એક વાર તમે પણ ધ્યાનથી જોઇ લો કે તમારા પગમાં આવાં નિશાન છે કે નહિં, જો હશે તો તમે ખૂબ જ…
મિત્રો, માણસના શરીરનુ રચાનાતંત્ર એકદમ જટિલ અને આશ્ચર્યજનક હોય છે. કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વ અને સ્વભાવ ને છુપાવી શકતુ નથી. તમે શુ વિચારો છો? તમારું પાત્ર અને વ્યક્તિત્વ કેવુ છે? આ બધી જ બાબતો તમારુ શરીર સરળતાથી અન્ય લોકોને જણાવી દે છે.
સમુદ્રવિજ્ઞાનની સાથે, હવે આ અંગે ઘણા વૈજ્ઞાનિક વિશ્લેષણ પણ કરવામા આવી રહ્યા છે, જેના આધારે માનવીય અંગો અને તેમના સ્વભાવ નુ મૂલ્યાંકન કરવામા આવે છે. સમુદ્રશાસ્ત્ર એ આપણા દેશની સૌથી પ્રાચીન વિધાઓ દર્શાવતો ગ્રંથ છે કે જેમા વર્ષોના ગહન અધ્યયન નો ઉલ્લેખ કરવામા આવેલ છે. આ ગ્રંથમા દર્શાવવામા આવેલી તમામ બાબતો સનાતન સત્ય છે, તેમા દર્શાવેલી કોઈપણ બાબત શંકાને પાત્ર નથી.
આપણે સૌ જાણીએ છીએ કે, જ્યારે પણ બાળક નો જન્મ થાય છે ત્યારે તેના શરીર પર અમુક વિશેષ નિશાનો હોય છે, જે જન્મથી બનેલા હોય છે જેને આપણે “બર્થમાર્ક” તરીકે પણ ઓળખીએ છીએ. આ નિશાન શરીરના કોઈપણ ભાગ પર હોય શકે છે. સમુદ્રવિજ્ઞાન મુજબ શરીર પર આવેલા આ જન્મચિહ્નો આપણને અમુક વિશેષ સંકેતો આપે છે, જેની મદદથી આપણે આપણા ભવિષ્ય વિશે ઘણુ બધુ જાણી શકીએ છીએ.
આજે, અમે તમને એક વ્યક્તિના પગના તળિયા પર બનેલા અમુક વિશેષ નિશાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ , જે વિશ્વના અમુક ભાગ્યશાળી લોકોના પગમા જ હોય છે અને જેના પગ પર આ નિશાન હોય છે, તે ખૂબ જ નસીબદાર હોય છે, તે જીવનમા ખુબ જ પ્રગતિ કરે છે, તો ચાલો આ વિશે વધુ માહિતી મેળવીએ.
જે લોકોના પગના તળીયામા શંખનુ નિશાન હોય છે તે લોકો ખૂબ નસીબદાર અને બુદ્ધિશાળી હોય છે. આ લોકો ને શ્રીમંત બનતા કોઈપણ રોકી શકતુ નથી. આ જાતકો ને વાતો કરવાનુ ખુબ જ વધારે પડતુ પસંદ હોય છે. આ સિવાય જે લોકોના પગમા માછલીઓ નુ નિશાન હોય છે તે બહાર ફરવાનુ ખુબ જ વધારે પડતુ પસંદ કરતા હોય છે. આ જાતકો પોતાના પરિશ્રમ ના બળ પર અનેકવિધ ઊંચાઈઓ હાંસલ કરી લે છે.
આ સિવાય જે લોકોના પગ ના તળિયા પર કમળ , શંખ , છત્ર , તલવાર , સાપ , ધ્વજ જેવા શુભ ચિહ્નો હોય તેવા લોકો રાજાશાહી જીવન જીવે છે. તેમના જીવનમા ક્યારેય પણ કોઈપણ વસ્તુની કમી હોતી નથી. તેમને તેમના ભાગ્ય નો હમેંશા સાથ મળી રહે છે. આ જાતકોને દયા અને ઉદારતા ના વિશેષ પ્રતીકો માનવામા આવે છે, તે હંમેશા જરૂરીયાતમંદ લોકોની સહાયતા માટે ઉભા રહેતા હોય છે.
એવુ કહેવામા આવે છે કે, જે લોકોના પગ પર ત્રિકોણ ની નિશાની હોય તે તેમના જીવનમા પુષ્કળ ખ્યાતિ પ્રાપ્ત કરે છે. સમુદ્રવિજ્ઞાન મુજબ જે વ્યક્તિની પગના તળીયાની રેખા એડીથી નીકળીને અંગૂઠા ના મધ્ય ભાગ સુધી પહોંચે છે, આવા લોકો ખુબ જ નસીબદાર હોય છે. તેમના પર લક્ષ્મી માતાની કૃપા હંમેશા બની રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત