લગભગ 27 વર્ષથી પતિથી અલગ રહે છે અલકા યાજ્ઞિક, જાણો ક્યાં કારણસર હજી એવોને એવો જ છે બન્નેનો પ્રેમ
પોતાના સુરીલા અવાજથી સૌના દિલ જીતી લેનાર બોલિવૂડની પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક દર વર્ષે 20 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવે છે. છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરનાર અલકા યાજ્ઞિકે બોલિવૂડના એકથી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. 20 માર્ચ 1966ના રોજ કોલકાતામાં જન્મેલી અલકાના અવાજના આજે સમગ્ર વિશ્વમાં દિવાના છે. મધ્યમ-વર્ગીય પરિવારમાંથી આવતા, અલ્કાએ તેની માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીત શીખ્યું અને નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું.
90ના દાયકામાં પોતાના ગીતોથી લોકોને દિવાના બનાવનાર અલકા યાજ્ઞિકે 6 વર્ષની ઉંમરે પહેલું ગીત ગાયું હતું. 10 વર્ષની ઉંમરે, અલકા તેની માતા સાથે મુંબઈ આવી અને ફિલ્મ નિર્માતા રાજ કપૂરને મળી. રાજ કપૂરને તેમનો અવાજ ખૂબ ગમ્યો અને તેમને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પરિચય કરાવ્યો. આ પછી, 14 વર્ષની ઉંમરે, અલકાએ ફિલ્મ ‘પાયલ કી ઝંકાર’નું ગીત ‘થિરકટ અંગ લચક ઝુકી’ ગાયું.
પ્રોફેશનલ લાઈફની સાથે અલકા યાજ્ઞિક પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહી છે. હકીકતમાં, 1989માં, ગાયકે શિલોંગના એક બિઝનેસમેન નીરજ કપૂર સાથે સાત ફેરા લીધા હતા. લગ્ન કર્યા પછી પણ તે છેલ્લા 27 વર્ષથી તેના પતિથી અલગ રહે છે. પરંતુ ખાસ વાત એ છે કે બંનેના અલગ થવાનું કારણ કોઈ લડાઈ, ઝઘડો કે અણબનાવ નથી, પરંતુ બંનેનું કામ છે.
અલકા યાજ્ઞિક અને તેના પતિની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. બંનેની પહેલી મુલાકાત રેલવે સ્ટેશન પર થઈ હતી, ત્યારપછી બંને મિત્રો બન્યા અને ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. અલકાએ વર્ષ 1988માં તેના માતા-પિતા સાથે તેના લગ્નની વાત કરી હતી. નીરજ અને અલ્કાના સંબંધોમાં તેમના પરિવારના સભ્યો સાથે કોઈ સમસ્યા નહોતી. પરંતુ દરેક માટે એક જ ચિંતા હતી અને તે હતી અલકા યાજ્ઞિકની કારકિર્દી.
વાત જાણે એમ હતી કે અલકા અને નીરજ બંનેનું કામ અલગ હતું. આવી સ્થિતિમાં, પરિવારના સભ્યોને ડર હતો કે પછીથી તેમના સંબંધોમાં સમસ્યા ઊભી થઈ શકે છે. પરંતુ બંનેએ પરિવારના સભ્યોને લગ્ન માટે મનાવી લીધા હતા. લગ્ન પછી અલકા મોટાભાગનો સમય મુંબઈમાં જ રહી, તેનો પતિ નીરજ શિલોંગમાં પોતાનો બિઝનેસ સંભાળે છે. બંને સમય કાઢીને ક્યારેક એકબીજાને મળવા જાય છે. એકબીજાથી દૂર હોવા છતાં, અલકા અને નીરજ ખૂબ સારા સંબંધ ધરાવે છે. તેમને એક પુત્રી પણ છે, જે પરિણીત છે.