આ પાંચ રત્નોને માનવામાં આવે છે ખુબ જ શક્તિશાળી, જાણો રાશી મુજબ પહેરવાથી થતા આ લાભ વિશે
મિત્રો, આપણા પૌરાણિક જ્યોતિષશાસ્ત્રમા નવ ગ્રહોનુ વર્ણન કરવામા આવેલુ છે. આ દરેક ગ્રહ પોતાનુ એક આગવુ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત આ દરેક ગ્રહ કોઈને કોઈ રત્ન સાથે પણ જોડાયેલા હોય છે. આ રત્નોમા અનેકવિધ ક્ષમતાઓ સમાવિષ્ટ છે, જે તેમને સામાન્ય પથ્થરોમાથી રત્ન બનાવે છે.
જ્યારે પણ કોઈ ગ્રહ અશુભ સ્થિતિમા હોય છે ત્યારે તેને અનુકૂળ બનાવવા અને સમસ્યાઓથી મુક્ત થવા માટે આ રત્ન ધારણ કરવામા આવે છે પરંતુ, દરેક વ્યક્તિ દરેક રત્નને ધારણ કરી શકતો નથી. દરેક રત્નની અસર જુદા-જુદા પ્રકારની હોય છે એટલે તેને ધારણ કરતા પહેલા યોગ્ય જ્યોતિષીય સલાહ લેવી અત્યંત આવશ્યક છે.
આપણા જ્યોતિષશાસ્ત્રમા પાંચ રત્નોને ખૂબ જ શક્તિશાળી ગણાવવામા આવ્યા છે. આ પાંચેય રત્નો ખૂબ જ ઝડપથી પોતાનો પ્રભાવ બતાવે છે. તો ચાલો જાણીએ કે, આ કયા પાંચ રત્નો છે કે, જેમને ધારણ કરવાથી તમારા જીવનમા આવી શકે છે અનેકવિધ બદલાવ, ચાલો જાણીએ.
માણેક રત્ન :
જ્યોતિષશાસ્ત્ર મુજબ આ રત્ન ગ્રહોના રાજા સૂર્ય સાથે સંબંધ ધરાવે છે. એવુ માનવામા આવે છે કે, જ્યારે કોઈપણ વ્યક્તિ માણેક ધારણ કરે છે અને તેમના પર કોઈ સંકટની ઘડી આવે છે તો આ રત્નનો રંગ એકદમ ફીકો થવા લાગે છે. મેષ , વૃશ્ચિક, ધનુ અને કર્ક રાશિના લોકો માટે આ રત્ન ધારણ કરવો શુભ માનવામા આવે છે.
પન્ના રત્ન :
આ રત્ન લીલો રંગનો હોય છે. આ રત્ન બુદ્ધિ સાથે સંબંધિત છે. જો કોઈની કુંડળીના સાતમા સ્થાને બુધ નબળો હોય તો પછી તેમના માટે આ રત્ન ધારણ કરવો ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. વૈવાહિક સમસ્યાઓ દૂર થશે. શિક્ષણ, કળા, લેખન, વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ રત્ન ધારણ કરવુ ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. મિથુન અને કન્યા રાશિના લોકો માટે આ રત્ન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
પોખરાજ રત્ન :
જે વ્યક્તિની કુંડળીમા ગુરુ નબળો હોય તેમના માટે આ પોખરાજ ધારણ કરવુ અત્યંત શુભ માનવામાં આવે છે. મીન અને ધન રાશિવાળા લોકોએ પોખરાજ ધારણ કરવો જોઈએ. જેથી, તેમના જીવનમા લગ્ન અને પૈસાથી સંબંધિત તમામ સમસ્યાઓનુ સમાધાન થાય છે.
હીરો :
આ રત્ન ખૂબ મૂલ્યવાન તેમજ ખૂબ જ પ્રભાવશાળી છે. આ રત્ન શુક્ર ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. તુલા, વૃષભ, મિથુન અને મકર રાશિના લોકો માટે આ રત્ન ધારણ કરવુ ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે.
નીલમ રત્ન :
આ રત્ન શનિ ગ્રહ સાથે સંકળાયેલ છે. આ રતનને જ્યોતિષશાસ્ત્રમા ખૂબ જ શક્તિશાળી માનવામા આવે છે. કુંભ રાશી તથા મકર રાશિજાતકો માટે આ રત્ન શુભ સાબિત થઇ શકે છે. આ રત્ન ધારણ કરવાથી તમને અથાગ પરિશ્રમનુ ફળ વહેલી તકે મળે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,