જો તમે પણ કરશો રોજ આટલી માત્રામાં પીસ્તાનું સેવન, તો બ્લડ સુગરમાં મળશે ભરપુર ફાયદો..
મિત્રો, આપણે સૌ આ વાત સારી રીતે જાણીએ છીએ કે, ડાયાબિટીસ એ એક સામાન્ય બીમારી છે. આ બીમારીમા તમારે વારંવાર પેશાબ જવુ પડે, તરસ પણ વધારે લાગે છે અને ભૂખ પણ વધારે લાગે છે. જો તમને પણ આ બીમારી છે, તો તમે થઇ જજો સાવચેત!
આ બીમારી એટલી જીવલેણ છે કે, તેના કારણે અનેકવિધ બીમારીઓ જન્મ લે છે. તેમા સ્ટ્રોક, હૃદયરોગ, અલ્સર અને આંખ સાથે સંકળાયેલ સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ બીમારી પેન્ક્રિયાટિકમાથી ઇન્સ્યુલિન મેળવવાનુ બંધ કરી દે છે. આ બીમારીમા રક્તમા શુગરનુ સ્તર વધી જાય છે.
આ ઉપરાંત નિષ્ણાતોના મત મુજબ એવુ કહેવામા આવે છે કે, ડાયાબિટીસની સમસ્યા દરમિયાન બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવું એ વાત અશક્ય સાબિત થાય છે. આ બીમારીને નિયંત્રણમા રાખવા ઈચ્છતા હોવ તો રૂટિન પર વિશેષ ધ્યાન આપો. આ સિવાય દરરોજ વર્કઆઉટ કરો.
આ સિવાય જો તમે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા ઈચ્છતા હોવ તો પિસ્તાનુ સેવન પણ લાભદાયી સાબિત થઇ શકે છે. અનેકવિધ સંશોધનોમા આ વાત જાણવા મળી છે કે, આ વસ્તુના સેવનથી બ્લડશુગરનુ સ્તર સુધરે છે. જો કે, એક દિવસમા કેટલા પિસ્તા ખાવા જોઈએ, તે અંગે યોગ્ય માહિતી હોવી અત્યંત આવશ્યક છે. તો ચાલો આજે આ વિશે માહિતી મેળવીએ.
એક સંશોધન મુજબ પિસ્તા એ ડાયાબિટીસની સમસ્યાથી પીડાતા લોકો માટે ઔષધ સમાન સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી તમારુ બ્લડશુગર પણ તુરંત જ નિયંત્રણમા આવી જાય છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા ઉર્જા સમાવિષ્ટ હોય છે. આ સિવાય તેમા આવશ્યક માત્રામા પ્રોટીન અને ચરબી પણ સમાવિષ્ટ હોય છે, જે લાંબા સમય સુધી પેટથી ભરપૂર હોય છે.
એક સંશોધનમા પણ આ વસ્તુને ડાયાબિટિસની બીમારીની દવા તરીકે પણ વર્ણવવામાં આવી છે. આ સંશોધનને નિરંતર ૧૨ અઠવાડિયા સુધી પિસ્તા ખાવાની સલાહ આપવામા આવી છે. આ સંશોધન મુજબ નિયમિત ૨૫ ગ્રામ પિસ્તા ખાવાથી તમારી ડાયાબીટીસની સમસ્યા નિયંત્રણમાં રહે છે.
આ ઉપરાંત તે તમારા બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસના અભ્યાસની સમીક્ષામાં દૈનિક ૩૦ પિસ્તા ખાવાની સલાહ આપવામાં આવી છે. જો કે, એક બાઉલ ફ્રૂટ સલાડ સાથે પિસ્તાનો ઉપયોગ કરી તેનુ નિયમિત સેવન કરો તો પણ આ ડાયાબીટીસની સમસ્યામા તમને રાહત મળી શકે છે. માટે જો તમે પણ ડાયાબીટીસની સમસ્યા સામે સુરક્ષિત રહેવા ઈચ્છતા હોવ તો આ વસ્તુનો રોજીંદા આહારમા સમાવેશ કરો અને થોડા જ સમયમા તમને ફરક જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત