હોળીના પર્વ પર તમે અજમાવો આ વિશેષ ઉપાય, ધનને લગતી તમામ સમસ્યાઓ થઇ જશે દૂર
મિત્રો, આપણા દેશ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોને વિશેષ મહત્વ આપનાર દેશ છે. આપણા દેશમા દરેક ધર્મના લોકો વાસ કરે છે અને તેના કારણે જ આપણા દેશમા જુદા-જુદા પર્વ આખુ વર્ષ ઉજવવામા આવે છે. આ પર્વ પોતાની પોતાની સાથે ખુશીઓની લહેર લઈને આવે છે અને તમારા જીવનના તમામ દુ:ખ-દર્દને હરી લે છે.
હાલ, આવનાર સમયમા રંગોનો પર્વ એ ૨૯ માર્ચના રોજ ઉજવવામાં આવશે. જ્યારે તેની આગળના દિવસ એટલે કે, ૨૮ માર્ચના રોજ હોળીકાદહન કરવામા આવશે. આપણા ધાર્મિક હિન્દૂ પંચાગ મુજબ દર વર્ષે હોળીનો પર્વ એ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામા આવે છે.
આ ઉતાસણીનો પર્વ પૂર્ણ થાય એટલે તુરંત જ બીજા દિવસે ધુળેટીના વિશેષ પર્વની ઉજવણી કરવામા આવે છે. એવી માન્યતા છે કે, આ બે દિવસ જો અમુક પ્રકારના વિશેષ ઉપાય અજમાવવામા આવે તો તમને વિશેષ પ્રકારના ધનલાભની પ્રાપ્તિ થઇ શકે છે. આ ઉપાય અજમાવવાથી માતા લક્ષ્મીજીની તમારા પર અસીમ કૃપા બની રહે છે તથા તમારા પર રહેલા તમામ આર્થિક સંકટ દૂર થવા લાગે છે.
આ ઉપાય હોળીના પર્વ સમયે પરિક્રમા કરતી વખતે કરો. આ પર્વ દરમિયાન હોળીની અગ્નીમા ચણા, ઘંઉ, બાજરો, મકાઇ અળસી વગેરે વસ્તુઓ નાખો. જો તમે ધનલાભ મેળવવા ઈચ્છતા હોવ તો આ ઉપાય એકદમ અચુક માનવામા આવે છે. આ સિવાય હોળીની રાત્રીએ પીપળાના વૃક્ષ નીચે ઘી નો દીવડો પ્રગટાવીને સાત પરિક્રમા કરવામા આવે તો તમારા જીવનની દરેક સમસ્યાઓનો અંત થશે અને તમારી આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થશે.
આ સિવાય જો તમે તમારી આર્થિક સમસ્યાઓમાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો આ પર્વના દિવસે ૨૧ ગોમતી ચક્ર ભોલેનાથ પર અર્પણ કરો. નિયમિત વહેલી સવારે ઉઠીને આ ગોમતીચક્રને જો તમે તિજોરીમા કે પૂજાઘરની પાસે રાખી દો તો આ ઉપાય તમારી નાણા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓને દૂર કરશે.
આ ઉપરાંત જો તમે આ સમયે અમુક વિશેષ વસ્તુઓ લઇને પરિક્રમા કરો અને આ વસ્તુઓ તેમા અર્પણ કરો તો તમારા જીવનના તમામ કષ્ટ દૂર થઇ જશે. આ સિવાય જો તમે આ પર્વ નિમિતે ત્રણ પ્રદક્ષિણા કરો અને મનમા એક સંકલ્પ લો તો તેના કારણે તમારા તમામ સંકટ દૂર થઇ જશે. ફક્ત એકવાર આ ઉપાય અજમાવો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,