એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી ઉંડા આઘાતમાં સરી પડી અંકિતા લોખંડે, જોઇ લો વિડીયોમાં

એક્સ બૉયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી ઉંડા આઘાતમાં સરી પડી અંકિતા લોખંડે – વિડિયો આવી રહી છે સામે

image source

ગત રવિવારના રોજ બોલીવૂડના પ્રતિભાવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના સમાચારે આખાએ દેશને હચમચાવી દીધો. અને લોકો જાણે એક ઉંડા આઘાતમાં સરી પડ્યા. તેના નજીકના લોકોમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ શામેલ છે.

અંકિતા લોખંડેએ અને સુશાંતે એકતા કપૂર દ્વારા નિર્મિત હીટ સિરિઝ પવિત્ર રિશ્તામાં મુખ્ય પાત્રો ભજવ્યા હતા. અને તે સમય દરમિયાન જ તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા અને એક બીજાને ડેટ કરી રહ્યા હતા. તેમણે ઘણા વર્ષો એકબીજાને ડેટ કર્યા પણ કોઈ કારણસર તેમનું બ્રેકઅપ થઈ ગયું અને બન્ને પોતપોતાના રસ્તે આગળ વધ્યા.

image source

પણ સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ તેણી ઉંડા આઘાતમાં સરી પડી છે. બન્નેએ લગભગ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. તે બન્ને સાથે પવિત્ર રિશ્તામાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પ્રાર્થના બેહરે જણાવ્યું કે સુશાંતના મૃત્યુની ખબર સાંભળ્યા બાદ અંકિતા હચમચી ગઈ છે.

પ્રાર્થનાએ જણાવ્યું કે અંકિતા આ ખબર સાંભળીને ખૂબ જ આઘાત અનુભવી રહી છે, પણ લોકોએ સમજવું પડશે કે તેણીની લાઈફમાં હવે કોઈ બીજું આવી ગયું છે અને તે પોતાના સંબંધોને ખૂબ સમ્માન આપે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે પ્રાર્થનાએ કહ્યું, ‘હું અંકિતા વિષે જણાવું છું, તેણી આઘાતમાં છે, તેનું બધું જ બરબાદ થઈ ગયું છે અને તેણી ખૂબ રડી રહી છે, પણ તે પણ સમજવાની જરૂર છે કે બધા જ પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છે. સમાચાર સાંભળ્યા બાદ તેણી ત્યાં જ અટકી ગઈ છે પણ હવે તેણીના જીવનમાં બીજું કોઈ પણ છે અને તેણી તે સંબંધનું સમ્માન કરે છે.’

 

View this post on Instagram

 

A post shared by PeepingMoon (@peeping.moon) on

પ્રાર્થના બેહરે આગળ જણાવ્યું, ‘તે ત્યાં જવા ઇચ્છતી હતી, પણ બધા જાણે છે કે તેણી કેટલીક સંવેદનશીલ અને લાગણીશીલ છે. તેણી ખૂબ રડી રહી છે. જ્યારે મેં પવિત્ર રિશ્તા ગૃપમાં સુશાંતને છેલ્લીવાર જોવા જવા વિષે જણાવ્યું, ત્યારે અમને ખબર પડી કે માત્ર 20 લોકો જ અંતિમ સંસ્કારમાં જઈ શકે છે.’ તેમણે તે પણ કહ્યું કે આખું સોશિયલ મિડિયા આ જ કોમેન્ટથી ભર્યું છે કે અંકિતા સુશાંતના અંતિમ સંસ્કારમાં કેમ ન ગઈ અને ‘પવિત્ર રિશ્તા’ના અભિનેતા મહેશ શેટ્ટીએ સુશાંતનો કૉલ કેમ નહોતો ઉઠાવ્યો.

image source

તમને જણાવી દઈએ કે સુશાંત અને અંકિતાના સંબંધો છ વર્ષ સુધી ચાલ્યા હતા અને 2016માં તે બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ હતું. અંકિતા હાલ વિક્કી જૈન સાથે રિલેશનશિપમાં છે અને બન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે સુશાંત સિંહ વિષે અફવા ફેલાઈ હતી કે કૃતિ સેનને ડેટ કરી રહ્યો છે ત્યાર બાદ તેનું નામ રિયા ચક્રવર્તી સાથે જોડાયું. અને હાલમાં તો એવા પણ સમાચાર મળી રહ્યા છે કે સુશાંત આ શિયાળામાં લગ્ન પણ કરવા જઈ રહ્યો હતો.

Source : Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત