ભોજનની શરૂઆતમા તીખું અને છેલ્લે મીઠું ખાવાથી સ્વાસ્થ્યને મળે છે આ લાભ, આજે જ જાણો…
પ્રાચીન કાળના સમયથી જ લોકો જમ્યા પછી મીઠું ખાતા હોય છે. હિન્દુ શાસ્ત્રોમાં અને આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે મીઠાઈ ખાવા વિશે જાણતા જ હશો, પરંતુ ખૂબ ઓછા લોકોને એ ખબર નહીં હોય કે તેઓ શા માટે મસાલેદાર ખાય છે, અથવા તો તે પહેલા ચરકા શું કામે ખાતા હોય છે. ચાલો આજે આપણે તેના કારણ અને ફાયદાઓ વિષે જાણીશું.
તીખું ખાવાથી થતા ફાયદા :
જમતા પહેલા હંમેશા તીખું ખાવું જોઈએ કારણ કે તે તમારા પાચનતંત્રને સક્રિય બનાવે છે. સંશોધકોના મતે પ્રમાણે જ્યારે તમે તીખું ખાઓ છો, ત્યારે તમારા શરીરમાં પાચનનો રસ અને એસિડ નીકળે છે, જેનાથી પાચન ક્રિયાને વધારે છે. આ સાથે તે એ નક્કી કરે છે, કે તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કાર્યરત કરે છે.
આયુર્વેદ મુજબ શરૂઆતમાં મસાલેદાર ખોરાક ખાધા બાદ પાચન તત્વો અને એસિડ પેટમાં સક્રિય બને છે. તે આપણા પાચનતંત્રને ઝડપી બનાવે છે. ભોજનની શરૂઆતમાં મસાલેદાર ખોરાક ખાવાથી જઠરાંત્રિય માર્ગ માં પણ વધારો થાય છે, જેથી તમને સારી ભૂખ લાગવામાં આગળ વધારે છે. મસાલેદાર ખોરાક ખાવાથી માથાનો દુખાવો, ઓટોઈમ્યુન રોગ, સંધિવા અને ઉબકા જેવી સમસ્યાઓ થતી નથી. તે અન્ય વિકારોને દૂર કરવામાં પણ મદદ કરે છે.
મીઠું ખાવાથી થતા ફાયદા :
મીઠી વસ્તુઓમાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે, જે આપણી પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, તેથી જમ્યા પછી મીઠાઈ ખાવાથી આપણી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે. મીઠાઈ ખાવાથી સેરોટોનિન નામના હોર્મોનનું સ્તર આપણા શરીરમાં વધે છે. તે ન્યુરોટ્રાન્સમીટર તરીકે કામ કરે છે, જે તમને મીઠાઈ ખાધા પછી આનંદની અનુભૂતિ કરાવે છે. હકીકતમાં, મીઠાઈના સેવનથી એમિનો એસિડ ટ્રિપ્ટોફેનનું શોષણ વધે છે.
ટ્રિપ્ટોફેન સેરોટોનિનનું સ્તર વધારવા માટે તે ખુબ જાણીતું છે. સેરોટોનિન એ સુખની ભાવના સાથે સંકળાયેલું ન્યુરોટ્રાન્સમીટર છે, એટલે કે, મીઠાઈ ખાવાથી તમે ખુશ થઈ જાવ છો. તમે કોઈ વજન વાળો ખોરાક ખાધા પછી જો તમારે હાઇપોગ્લાયસેમિયા માંથી પસાર થવું પડતું હોય તો આ સ્થિતિમાં બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ જાય છે.
આ સ્થિતિથી બચવા માટે વ્યક્તિને જમ્યા પછી મીઠાઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદ મુજબ જમ્યા બાદ મીઠાઈ ખાવાથી એસિડની તીવ્રતા પણ ઓછી થાય છે, જેનાથી પેટમાં બળતરા કે એસિડિટી થવાની સમસ્યા રહેતી નથી.
કેટલીક બાબતોમાં સાવધાની રાખવી :
મીઠાઈમાં સફેદ ખાંડ ન ખાવી જોઈએ તે આપણા માટે નુકસાનકારક છે. તમારે તેનાથી બનાવેલી વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ. તે સ્થૂળતા અને અન્ય આરોગ્ય જટિલતાઓ તરફ દોરી શકે છે. તેના બદલે તમારે ઓર્ગેનિક ગોળ ખાવો જોઈએ અથવા તેમાંથી બનાવેલી વસ્તુઓનું જ સેવન કરવું જોઈએ. જો તમને ગમતું હોય તો તમે બ્રાઉન સુગર અથવા નાળિયેર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો.