તો શું હવે રાજ્યમાં પ્રાથમિક શાળા ખોલવાનું કાઉન્ટડાઉન શરૂ? જાણો શું કહ્યું ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ
કોરોનાના કારણે ગુજરાતમાં દોઢેક વર્ષથી શાળા બંધ છે, આ દરમિયાન બાળકો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. જો હવે ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી દૈનિક 20થી 25 કેસ સામે આવી રહ્યા છે અને મોતના આંક પણ જીરો પર આવી ગયો છે. તેથી રાજયમાં હવે શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાને લઈને વાટાઘાટો ચાલી રહી છે.
તો બીજી તરફ રાજ્યમાં પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવાને લઈને રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
નોંધનિય છે કે, અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે નિર્ણય લેવામા આવશે. તો બીજી તરફ ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ એમ પણ કહ્યું કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8ના લર્ગો ખોલવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ જ શાળા ખોલવાને લઈને નિર્ણય કરવામાં આવશે
અત્રે ઉલ્લેખનિય છે કે,પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં અમદાવાદના શાહીબાગ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ સુધી સરકારનાં 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવશે, એ બાદ કોર કમિટીની બેઠક મળશે. તેમણે ઉમેર્યું કે, આ બેઠકમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં અંગે ચર્ચા કરવામાં આવશે. તો બીજી તરફ તબક્કવાર વર્ગ ચાલુ કરવાની વાત હતી એનું અમે પાલન કર્યું છે. નોંધનિય છે કે, ધોરણ 12 અને તે બાદ 9થી 11ના વર્ગ ચાલુ છે. ત્યારે હવે ટૂંક સમયમાં 6થી 8ના વર્ગ ચાલુ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, હાલમાં રાજ્યમાં 15મી જુલાઇ 2021થી ધો.12ના વર્ગો, પોલિટેક્નિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરવામાં આવી છે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. તો બીજી તરફ 26મી જુલાઈથી ધો. 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. નોંધનિય છે કે, રાજ્ય સરકાર દ્વાર લેવાયેલા નિર્ણય મુજબ, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું ફરજિયાત કરાયું હતું. આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત્ ચાલુ રખાઈ છે. ઓફલાઈન વર્ગોમાં કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન-SOPનું પાલન થાય એ પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. આમ હવે નજીકમાં સમયમાં પ્રાથમિક શાળાના શિક્ષણ અંગે પણ મહત્વનો નિર્ણય લેવાશે. કારણ કે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જો કે હજુ કોરોનાની ત્રીજી લહેરની પણ આશંકા છે તેથી તેને ધ્યાનમાં રાખીને કોઈ પમ નિર્ણય લેવામાં આવશે.
તમને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશ જણાવીએ તો હવે બીજી લહેરનો અંત આવી ગયો એમ તેમ લાગી રહ્યું છે, રાજ્યમાં દરરોજ 25થી 30 જેટલા જ કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે. નોંધનિય છે કે, 1 જુલાઈથી 100ની અંદર કેસો આવી ગયા છે આ ઉપરાંત દરરોજ 25થી 30 જિલ્લામાં શૂન્ય કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે 4 જિલ્લા સંપૂર્ણ કોરોનામુક્ત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, પોરબંદર, તાપી, અરવલ્લી અને છોટાઉદેપુર કોરોનામુક્ત બની ગયા છે. નોંધનિય છે કે, આ ચારેય જિલ્લામાં હાલ એકપણ કોરોનાનો એક્ટિવ કેસ નથી, જ્યારે 11 જુલાઈથી એકપણ કેસ નોંધાયો નથી.
તમને જણાવી દઈએ કે, 28 જુલાઈએ બે દર્દી ડિસ્ચાર્જ થતાં તાપી જિલ્લો કોરોનામુક્ત બન્યો હતો. આ ઉપરાંત પોરબંદર 1 ઓગસ્ટથી, અરવલ્લી 21 જુલાઈથી અને છોટાઉદેપુર 23 જુલાઈથી કોરોનામુક્ત થયા છે. જે રાજ્ય માટે સારા સંકેત છે.