જ્યારે ટ્વીનકલ ખન્નાની આ હરક્તથી નારાજ થઈને એમને થપ્પડ મારવાના હતા આમિર ખાન, એક્ટ્રેસે જાતે કર્યો ખુલાસો
બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો એક એવો અભિનેતા છે જેની પાસે ફિલ્મોની ભરમાર છે. અક્ષય સતત તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં બીઝી છે. જો કે વ્યસ્ત હોવા છતાં, અક્કી તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને બાળકો માટે પરિવાર માટે સમય કાઢી જ લે છે. ટ્વિંકલ ખન્નાનું ફિલ્મી કરિયર ભલે કઈ ખાસ ન રહ્યું, પરંતુ રિયલ લાઈફમાં અક્ષય અને ટ્વિંકલની જોડી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ ટ્વિંકલે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે એમની એક હરક્તના કારણે આમિર ખાનને એમના પર એટલો ગુસ્સો આવ્યો હતો કે એ એમને થપ્પડ મારવાના હતા. ચાલો જાણી લઈએ આખો કિસ્સો
.
વાત જાણે એમ છે કે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાનું ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યું છે. જો કે ટ્વિંકલે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે ફિલ્મોની સફળતાનો શ્રેય તેના કો સ્ટાર્સને જાય છે. લગભગ 8 વર્ષ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રહ્યા પછી, તેણીએ અભિનયને અલવિદા કહ્યું અને લેખક બની ગઈ
ટ્વિંકલ અને અક્ષયની લવસ્ટોરીની વાત કરીએ તો બંનેની મુલાકાત ફિલ્મ ‘ઈન્ટરનેશનલ ખિલાડી’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા. કહેવાય છે કે અક્ષયે પ્રપોઝ કર્યો એ પછી ટ્વિંકલ હંમેશા પોતાના વિચારોમાં ખોવાયેલી રહેતી હતી. તેની આ હરક્તના કારણે એકવાર આમિર ખાન એટલો ગુસ્સે થઈ ગયો કે તે ટ્વિંકલને થપ્પડ મારવા માંગતો હતો. આ કિસ્સાનો ઉલ્લેખ ટ્વિંકલે એક ઇવેન્ટમાં કર્યો હતો, જ્યારે કરણ જોહરે તેની સાથે આમિર ખાનના ટ્યુનિંગ વિશે પૂછ્યું હતું.
ટ્વિંકલે જવાબ આપ્યો અને કહ્યું- આમિરે મને પૂછ્યું કે તું શું કરે છે, કેમ આવું વર્તન કરે છે, તું તારા કામ પર ધ્યાન કેમ નથી આપતી, તો મેં જવાબ આપ્યો, હું ફક્ત અક્ષય વિશે જ વિચારું છું. આ સાંભળીને આમિર ગુસ્સે થઈ ગયો અને તે મને થપ્પડ મારવા જતો હતો.
બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વિંકલ ખન્નાએ પોતાના માતા-પિતાની જેમ અભિનયને કારકિર્દી તરીકે પસંદ કરી હતી.
તેણે 1995માં ફિલ્મ ‘બરસાત’થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સાથે લીડ એકટર તરીકે બોબી દેઓલ જોવા મળ્યો હતો. આ પછી ટ્વિંકલે બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એક ઈન્ટરવ્યુમાં ટ્વિંકલે જણાવ્યું કે મારા જીવનની સૌથી મોટી સમસ્યા એ હતી કે મારા માતા-પિતા બંને બોલિવૂડના મોટા સ્ટાર્સ હતા, તેથી મારા માટે એક્ટિંગ સિવાય કોઈ વિકલ્પ પસંદ કરવો થોડો મુશ્કેલ હતો.
ટ્વિંકલના જણાવ્યા અનુસાર, 8 વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ તેને લાગ્યું કે તે અભિનેત્રી તરીકે નિષ્ફળ ગઈ છે. આ વાત સમજાતા જ એમને રાઇટિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું અને તેમાં તેને સફળતા પણ મળી. અત્યાર સુધી તેમના અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે.
તમને જણાવી દઈએ કે ટ્વિંકલે વર્ષ 2001માં અક્ષય કુમાર સાથે સાત ફેરા લીધા હતા અને લગ્નના એક વર્ષ બાદ 2002માં તેણે પુત્ર આરવને જન્મ આપ્યો હતો, જ્યારે તેની પુત્રી નિતારાનો જન્મ 2012માં થયો હતો.