આ પાછુ નવું સંશોધન આવ્યું, આલ્કોહોલ સુંઘવાથી મટી જશે કોરોના! રિસર્ચમાં થયો એવો ખુલાસો કે…

જ્યારથી કોરોના વાયરસ મહામારી આખી દુનિયામાં ફેલાયી છે ત્યારથી એના બચાવ માટે માસ્ક અને આલ્કોહોલ મિશ્રિત સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. ઘણા સમય પહેલા એવા સવાલ ઉઠી રહ્યા છે કે શું આલ્કોહોલ એટલે કે દારૂને સીધું હાથમાં લગાવવાથી કે પછી એને પીવાથી કોરોના વાયરસને મારી શકાય છે?

image source

એવામાં જો કોઈ એ કહે કે આલ્કોહોલને સુંધીને કોરોના વાયરસથી રક્ષણ મળશે કે પછી કોરોનાની સારવારમાં એવું કરવાથી જલ્દી ફાયદો થશે તો એ સાંભળીને કોઈને પણ નવાઈ લાગશે. પણ આ વાત સાચી છે અમેરિકામાં ગયા વર્ષથી એવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે જેમાં આલ્કોહોલની બાફને દવાના રૂપે ઉપયોગ કરવાની કવાયદ ચાલુ છે.

image source

વાત જાણે એમ છે કે અમેરિકામાં આલ્કોહોલની બાફ સુંઘાડીને કોરોનાની સારવાર કરવાં સંબંધિત શોધ થઈ રહી છે. હજી સુધી પ્રયોગના ત્રણ સ્ટેજના પરિણામ સામે આવ્યા છે, જેનાથી વૈજ્ઞાનિકો ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે હજી સુધી પરીક્ષણમાં થોડી જ મિનિટોમાં દર્દીને શ્વાસ લેવામાં ઘણો જ આરામ મળી રહ્યો છે.

ફેફસામાં ઇન્ફેક્શનની બાબતમાં આલ્કોહોલની બાફ સુઘવાનો પ્રયોગ અને એમાં સફળતા પહેલીવાર સામે આવી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આ ટેક્નિક એટલે કે પ્રોસેસને સાર્વજનિક રીતે ઉપયોગ કરવાની મંજૂરી મળી જાય તો આ ખરેખરમાં મેડિકલ ક્રાંતિ હશે.

image source

અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)ના સેન્ટર ફોર ડ્રગ ઇવેલ્યુશન એન્ડ રિસર્ચમાં આ શોધ ચાલુ છે. અમેરિકા સહિત દુનિયાના ઘણા સાયન્સ જનરલમાં આ વાતની ચર્ચા થઈ છે કે આ ટેક્નિકની અસર કોરોના વાયરસ પર થઈ છે. ઘણી આંતરરાષ્ટ્રીય જનરલ્સમાં રિસર્ચ પ્રકાશિત થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે researchgate, ijbcp સહિત ઘણી જગ્યાએ એનો વિસ્તાર પૂર્વક ઉલ્લેખ થઈ ચૂક્યો છે.

image source

અનેક આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં રિસર્ચ પ્રકાશિત થયેલા છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ બેઝિક એન્ડ ક્લિનિકલ ફોર્મેકોલોજીમાં છપાયેલા ડો.સૈફૂલ ઈસ્લામના રિસર્ચ મુજબ ઈથાઈલ આલ્કોહોલ એટલે કે ઈથેનોલ (Ethanol) સૂંઘવાની અસર નાક દ્વારા ફેફસા સુધી થાય છે. કોરોના વાયરસ નાક દ્વારા જ ગળા અને ફેફસા સુધી પહોંચે છે. આલ્કોહોલની 65 ટકા માત્રાવાળા સોલ્યૂશનને એસ્પિરિન (Aspirin) સાથે સીધો કે ઓક્સીજન દ્વારા કે પછી ઓક્સીજન એઆરડીએસ ટેક્નિકથી નાક દ્વારા શ્વાસની સાથે ફેફસા સુધી પહોંચાડવામાં આવે છે.

image source

અમેરિકાના એડવેન્ટિસ્ટ હોસ્પિટલના વિશેષજ્ઞોની ટીમે બ્રિટનના રસાયણ વૈજ્ઞાનિક ડો. ઈસ્લામના નેતૃત્વમાં આલ્કોહોલ વેપર પર પ્રયોગ ક્યો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ફાર્માસ્યૂટીઝમાં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટ મુજબ સામાન્ય તાપમાન પર સૂરજની રોશનીથી દૂર રાખવામાં આવેલા 65 ટકા આલ્કોહોલની માત્રાવાળા રસાયણને ઓક્સીજન દ્વારા 3.6 મિલિગ્રામ પ્રતિમિનિટની માત્રાથી શ્વાસમાં મોકલવામાં આવ્યું. રોજ 45 મિનિટ સુધી આ સારવાર કોરોનાના ગંભીર સંક્રમિત દર્દીઓને આપવામાં આવી.

image source

કોવિડ સંક્રમણ મામલે ટીમને જાણવા મળ્યું કે મોટાભાગના લોકોને પહેલા ઉપરની શ્વાસ લેવાની નળી પર અસર પડે છે. તેના પર તરત કાબૂ ન મેળવવામાં આવ્યો તો નીચલી નળીને અસર કરે છે. કોવિડ વાયરસના 3 પ્રકારના વેરિઅન્ટ રિસર્ચર્સને મળ્યા જે સીધા શ્વાસની નીચલી નળી પર જ અસર કરે છે. તેનાથી સંક્રમિત વ્યક્તિના જીવ પર જોખમ આવી જાય છે.