નુસરત જહાંની લગ્ન કારકિર્દી ડખે ચડ્યા બાદ રાજકીય કારકિર્દી પણ અંતના આરે, લોકસભામાં ઉઠી મોટી માંગ
બદાયુંના ભાજપના સાંસદ સંઘમિત્રા મૌર્યાએ લોકસભાના અધ્યક્ષ પાસે માંગ કરી છે કે પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા બેઠક પરથી ટીએમસી સાંસદ નુસરત જહાંની લોકસભા સદસ્યતા રદ કરવામાં આવે. નુસરત તાજેતરમાં નિખિલ જૈન સાથેના તેના કથિત લગ્ન તોડવાના કારણે સમાચારોમાં છે. લોકસભાના અધ્યક્ષને મોકલવામાં આવેલા પત્રમાં, સાંસદે નુસરત જહાં પર અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવે છે કે નુસરત જહાંએ લોકસભાના સભ્ય પદના શપથ દરમિયાન નુસરત જહાને રૂહી જૈન તરીકે તેમનું નામ જાહેર કર્યું હતું. નુસરત જહાંના પતિનું નામ લોકસભાની વેબસાઇટ પર નિખિલ જૈન લખ્યું છે.
એ વાત જાણીતી છે કે નૂસરત જહાંએ 19 જૂન 2019ના રોજ તુર્કીના લગ્ન નિયમન અધિનિયમ હેઠળ તુર્કીના બોરડમ શહેરમાં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. આ શાહી લગ્ન આખા દેશમાં જોવા મળ્યા હતા. લોકસભાની ચૂંટણીની લહેર દરમિયાન થયેલા આ લગ્નનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. બંનેના લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી રિવાજ મુજબ થયા હતા. કોલકાતાની આઈટીસી રોયલ હોટેલમાં નુસરત અને નિખિલે રિસેપ્શનને હોસ્ટ કર્યું હતું. જ્યાં રાજકારણ અને ફિલ્મ જગત સહિત અન્ય ક્ષેત્રની અનેક મોટી હસ્તીઓ પહોંચી હતી. વર્ષ 2020માં, જ્યારે બંનેની પહેલી વર્ષગાંઠ હતી, ત્યારે નુસરત અને નિખિલે એકબીજાને અભિનંદન આપ્યા હતા.
પરંતુ બંનેના આ લગ્ન બે વર્ષ પણ ચાલ્યા ન હતા. આ વખતે બીજી મેરેજ એનિવર્સરી પહેલા બંનેના છૂટા થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. નૂસરત જહાંએ લગ્ન વિશે કહ્યું હતું કે તેણીનું લગ્ન તુર્કી મેરેજ એક્ટ હેઠળ થયું છે, તેથી તે ભારતમાં માન્ય નથી. તેણે નિખિલ પરના તમામ આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમના સંબંધો લિવ-ઇન રિલેશનશિપ જેવા છે, તેથી છૂટાછેડા માટે અરજી કરવાની પણ જરૂર નથી. એવું કહેવામાં આવતું હતું કે જ્યારે ભારતમાં લગ્ન માન્ય નથી, તો પછી છૂટાછેડા કેવી રીતે? આટલું જ નહીં નુસરત જહાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લગ્નની તમામ તસવીરો પણ હટાવી નાખી હતી.
તેણે કહ્યું કે નિખિલે ખોટી રીતે તેના ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા અને લગ્નમાં તેમને મળેલા તમામ ઘરેણાં પણ પડાવી લીધા હતા. આ દરમિયાન નુસરતની ગર્ભાવસ્થાના સમાચાર પણ આવી રહ્યા હતા. જો કે નિખિલે એ વાત જાણવાનો જ ઇનકાર કરી દીધો હતો. તે જ સમયે, નિખિલ જૈને પણ આ સમગ્ર મામલે પોતાનો મુદ્દો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 8 માર્ચ, 2021 ના રોજ અમારા લગ્નને રદ કરવા બદલ મને અલીપોરની સિવિલ કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવાની ફરજ પડી હતી.
નિખિલે વધુમાં કહ્યું કે, તેના ખાતામાંથી મારા ખાતામાં જે પણ પૈસા મોકલવામાં આવતા તે તેના હપ્તા હતા. જૈનએ નુસરતનાં આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે તેણે હજી પણ મોટી રકમ પરત કરવાની છે. તેમના દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો અપમાનજનક તેમજ અસત્ય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મેં અમારા લગ્નની નોંધણી કરાવી લેવા નુસરતને ઘણી વાર વિનંતી કરી હતી, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં, અને હાલમાં જે બાળક છે એ મારુ નથી.