આ ગુજરાતી અભિનેતાનુ જ્યારે મૃત્યુ થયુ ત્યારે અનેક લોકો થઇ ગયા હતા દુખી, ટેલિ જગતમાં તૂટી પડ્યુ હતુ આભ
એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડ માટે વીતેલ બે મહિના દરમિયાન ઘણા બધા કલાકારોએ ઓચિંતા જ દુનિયાને અલવિદા કહી દીધી છે. જેમાં ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતાઓ ઈરફાન ખાન, ઋષિ કપૂર, નિર્દેશક બાસુ ચેટર્જી, કાસ્ટિંગ ડાયરેક્ટર કૃશ કપૂરનું ૨૮ વર્ષની ખુબ જ નાની ઉમરમાં બ્રેન હેમરેજ થવાથી મૃત્યુ થઈ ગયું છે.
ત્યારે ટીવી શોઝ્ના પણ એક પ્રસિદ્ધ અભિનેતા જાગેશ મુકાતીએ ૧૦ જુન, ૨૦૨૦ બુધવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. જાગેશ મુકાતીએ ટેલીવિઝન પર સોની ટીવી પર પ્રસારિત થતા શો ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. જાગેશ મુકાતીએ ટેલિવિઝનમાં કામ કરવાની સાથે જ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
મળી રહેલ જાણકારી મુજબ, જાગેશ મુકાતીને છેલ્લા બે- ત્રણ દિવસથી શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી હતી, જેના કારણ જાગેશ મુકાતીને ત્રણ- ચાર દિવસથી હોસ્પિટલમાં એડમીટ કરી દેવામાં આવ્યા હતા. જ્યાં જાગેશ મુકાતીને શ્વાસ લેવામાં આવી રહેલ મુશ્કેલીનો ઉપચાર ચાલી રહ્યો હતો. પરંતુ જાગેશ મુકાતીનું શ્વાસ લેવામાં પડી રહેલ સમસ્યાના ઉપચાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયું હતું. જાગેશ મુકાતીના મૃત્યુથી ફિલ્મ જગત અને ટીવી જગતમાં એકવાર ફરીથી શોકનું મોજું ફરી વળ્યું છે.
જાગેશ મુકાતીએ ૧૦ જુન, ૨૦૨૦ બુધવારના રોજ બપોરના સમયે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર પછી જાગેશ મુકાતીના પરિવારના સભ્યોએ બુધવારના જ રોજ અંતિમ સંસ્કારની વિધિ પણ પૂર્ણ કરી દીધી હતી. કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી અંબિકા રંજનકર કે જેમણે શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડૉ. હંસરાજ હાથીની પત્ની કોમલ હાથીનું પાત્ર નિભાવી રહ્યા છે. ત્યારે અંબિકા રંજનકરએ જાગેશ મુકાતીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા અંબિકા રંજનકર એક પોસ્ટમાં લખે છે કે, દયાળુ, સહાયક ભાવનાઓ. જલ્દી ચાલ્યા ગયા આપની આત્માને સદ્દગતિ પ્રાપ્ત થાય. ઓમ શાંતિ…. પ્રિય મિત્ર જાગેશ મુકાતી આપ હંમેશા યાદ રહેશો.’
View this post on Instagram
હિન્દી ટીવી શો, ફિલ્મો ઉપરાંત ગુજરાતી થિયેટરના પણ લોકપ્રિય અભિનેતા હતા.:
વર્ષ ૨૦૨૦ મનોરંજન દુનિયા માટે અત્યાર સુધી એક એવું વર્ષ સાબિત થઈ રહ્યું છે જેને આપણે પણ આપણી સ્મૃતિઓમાં રાખવાની ઈચ્છા ધરાવીશું નહી. વર્ષ ૨૦૨૦ને શરુ થયાને હજી છ મહિના પણ પૂર્ણ નથી થયા ત્યાં જ એક પછી એક કલાકારોના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે.
એકાદ મહિના પહેલા જ દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન, ઋષિ કપૂર, સંગીતકાર વાજીદ ખાન, પ્રીતા મહેતા, મનમીત ગ્રેવાલ, ચિરંજીવી સર્જા, કાસ્ટિંગ ડાયરેક્ટર કૃશ કપૂર, નિર્દેશક બાસુ ચેટર્જીના અવસાન થયાના સમાચારો એક પછી એક સામે આવ્યા છે. ત્યારે હવે ટીવી શોના અભિનેતા જાગેશ મુકાતીનું મૃત્યુ પણ ૧૦ જુન, ૨૦૨૦ બુધવારના બપોરના સમયે થઈ ગયું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત