જો તમે આ દિવસે આટલું નાનકડું કામ કરશો તો ક્યારે ઘરમાં નહિં પડે પૈસાની તકલીફ અને બદલાઇ જશે જીંદગી
ગુરુ પૂર્ણિમાના દિવસે કરી લેવો જોઈએ આ સંકલ્પ, જે બદલી શકે છે આપની જિંદગી.
કોઈ પણ વ્યક્તિના જીવનમાં ગુરુની ઉપયોગિતા પ્રાણવાયું કરતા ઓછી હોતી નથી. એવામાં ગુરુના આશિર્વાદ અને માર્ગદર્શન મળવાથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
એવું કહેવામાં આવે છે કે, પ્રાચીન કાળના સમયમાં સ્થાપિત કરવામાં આવેલ ગુરુકુળોમાં વિદ્યાર્થીઓને મોટાભાગે મફતમાં શિક્ષા ગ્રહણ કરતા હતા. એવામાં તેઓ ગુરુ પૂર્ણિમાના દિવસે સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી પોતાના સામર્થય મુજબ પોતાના ગુરુને દક્ષિણા આપીને તેમનું પૂજન કરવામાં આવતું હતું.
ત્યાર બાદ ધર્મ ગ્રંથ, વેદ, શાસ્ત્ર અને અન્ય વિદ્યાઓનું શિક્ષણ શરુ કરવામાં આવતું હતું. ગુરુ પાસેથી શિક્ષા લેતા સમયે અમને બધાને ગુરુઓ પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા બધા લોકો પોતાના ગુરુ માટે વ્રત પણ કરે છે. એના સિવાય પણ કેટલાક ઉપાયો છે જેની મદદથી આપ આપના ગુરુને પ્રસન્ન કરવામાં આવી શકે છે.
કેવી રીતે કરી શકો છો ગુરુને પ્રસન્ન.
ગુરુ પૂર્ણિમાના દિવસે સવારના સમયે વહેલા ઉઠીને સ્નાનાદી કાર્ય વગેરે નિત્ય કર્મ પૂર્ણ કરી લીધા બાદ શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ.
-આપના ઘરમાં આવેલ કોઈ સ્વચ્છ અને પવિત્ર સ્થાને લાકડાના પાટલા પર સફેદ રંગનું વસ્ત્ર પાથરીને પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ દિશામાં બાર- બાર લાઈન દોરીને એક વ્યાસપીઠ તૈયાર કરવી જોઈએ.
-ત્યાર બાદ મંત્ર ‘ગુરુપરંપરાસિદ્ધયર્થ વ્યાસપૂજાં કરિષ્યે’ ના જાપ કરીને આપે સંકલ્પ કરો અને દશે દિશાઓમાં અક્ષત વેરવા જોઈએ.
-આપે મનમાં બ્રહ્માજી, વ્યાસજી, શુકદેવજી, ગોવિંદ સ્વામીજી, શંકરાચાર્યજી અને પોતાના પ્રિય ગુરુજીના નામ મંત્ર જાપ કરતા સમયે પૂજા, હવન વગેરે કરવું જોઈએ. આ તમામ વિધિ કરવા દરમિયાન ગુરુનું ધ્યાન અનિવાર્ય રૂપથી કરવું જોઈએ.
-ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ અને ધાર્મિક ગ્રંથોનું અધ્યયન મનન કરવું પણ શુભ માનવામાં આવ્યું છે.
-ગુરુ પૂર્ણિમાના દિવસે ગરીબ- બ્રાહ્મણોને દાન આપવાથી પણ, આમ કરવાથી પણ આપના ગુરુ પ્રસન્ન થઈ જાય છે અને આપ પુણ્ય લાભ પ્રાપ્ત કરી શકો છો.
-ગુરુ પૂર્ણિમાના દિવસે આપે જરૂરિયાતમંદ બાળકોને તેમના અભ્યાસ માટે જરૂરી હોય તેવા સાધનોની મદદ કરવાથી કે પછી શાળાની ફી ભરી દેવાથી પણ આપના ગુરુ આપની પર પ્રસન્ન થાય છે.
-આજના સમયમાં ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને કોઈને કોઈ ભેટ કે પછી સરપ્રાઈઝ આપીને પણ સન્માન કરવામાં આવે છે. તેમજ કેટલાક વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને ફરવા માટે કે પછી સન્માન સમારોહનું પણ આયોજન કરીને શિક્ષકોનું સન્માન કરે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,