આ છે એક એવો દિવ્ય મંત્ર કે જેના મંત્રોચ્ચારણ માત્રથી તરી જશે તમારી સાત પેઢી અને થશે ધનલાભ…
મિત્રો, કોઈપણ વ્યક્તિ એવો નહિ હોય કે, જે જીવનમા શ્રીમંત બનવાની ઈચ્છા ના ધરાવતો હોય. શ્રીમંત બનવા માટે તે અનેકવિધ પ્રયાસો કરતો હોય છે પરંતુ, તેના ભાગ્યનો તેને સાથ ના મળવાથી તે નિષ્ફળ જતો હોય છે. આજે અમે તમને એક એવા મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની એક માળા કરવાથી તમને અઢળક સુખ અને ધનની પ્રાપ્તિ થઇ શકે છે.
વધુમા વધુ નાણા કમાઈને આવનારી પેઢીને એક સારુ એવુ જીવન આપવુ એ દરેક વ્યક્તિને ગમે છે. શું તમારા સંબંધીઓમા કોઇ એવુ વ્યક્તિ છે, જે એમ કહેતુ હોય કે તે પોતાની જિંદગીથી સંપૂર્ણપણે સંતુષ્ટ છે. જીવનમા તેને બધુ જ મળી ગયુ છે. તેની પાસે જેટલા પણ નાણા છે, તે તેના માટે પૂરતા છે. મારા મત મુજબ આવી વાત કહેનાર લગભગ કોઇ જ નહિ હોય. જો કોઇ હોય તો તે સંત-મહાત્મા હશે કે, જે આ સંસારની મોહમાયામાંથી મુક્ત થઈને ઈશ્વરને જ સર્વસ્વ માનતા હશે.
કોઇ વધારે પડતુ અમીર હોય છે તો કોઇ વધારે પડતુ ગરીબ. કોઇ રસ્તા ઉપર આમ-તેમ ભટકતા હોય છે તો અમુક લોકો એવા હોય છે કે, જે પોતાનો જીવનનિર્વાહ યોગ્ય રીતે કરી શકે તેટલી મૂડી ધરાવતા હોય છે. પોતાની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે તેણે રાહ જોવી પડે છે. જો તમે પણ એ લોકોમાથી એક છો કે, જે ખૂબ જ વધારે પડતા ધનની આશા રાખે છે અને તે ફક્ત પોતાને માટે જ નહિ પણ પોતાની આવનારી પેઢીને માટે પણ વિચારતા હોય છે, તેમના માટે એક મંત્ર લાવ્યા છીએ.
આપણા પૌરાણિક હિન્દુશાસ્ત્રોમા દરેક સમસ્યાનો ઉપાય દર્શાવવામા આવેલો છે. જો આ ઉપાય અજમાવવામા આવે તો દરેક વ્યક્તિને સુખની પ્રાપ્તિ થાય છે. આ શાસ્ત્રોમા ધનપ્રાપ્તિના પણ અચૂક ઉપાય સમાવિષ્ટ છે. આપણા શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મીને ધનના દેવી ગણવામા આવે છે. માતાની ઉપાસના કરનાર દરેક વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ રહે છે. તેને ક્યારેય ગરીબીનો સમય જોવો પડતો નથી.
માતા લક્ષ્મી સિવાય આદિત્ય દેવ એટલે કે પ્રભુ સૂર્યદેવની ઉપાસના પણ ધન પ્રાપ્તિ માટે સફળ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, જે ઘરમા નિયમિત આદિત્ય મંત્રનુ મંત્રોચ્ચારણ કરવામા આવે છે તે ઘરમા એક હજાર વર્ષ સુધી ગરીબી આવતી નથી અને લોકો તન-મન અને ધનથી સમૃદ્ધ બની રહે છે.
ધન પ્રાપ્તિ માટેનો દિવ્ય મંત્ર કઈક આ પ્રકારે છે, “जन्मान्तर सहस्त्रेषु, दारिद्रयं नोपजायते”।. આ મંત્રનો જે કોઈપણ વ્યક્તિ યોગ્ય રીતે મંત્રોચ્ચારણ કરે છે, તેની પેઢીઓને આવનાર સમયમા ક્યારેય પણ આર્થિક નાણાભીડની સમસ્યાથી પીડાવુ પડતુ નથી. આ મંત્રનો મંત્રોચ્ચારણ કરવા માટે સૌથી પહેલા તો નિયમિત સવારે વહેલા ઉઠીને સ્નાન કરવુ.
ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર પહેરીને પૂર્વ દિશા તરફ મોઢુ રાખીને બેસવુ અને આ સાથે જ મંત્રનુ મંત્રોચ્ચારણ શરુ કરી દેવુ. આપણા પૌરાણિક શાસ્ત્રોમા દરેક મંત્રની ૧૦૮ એટલે કે એક માળા કરવાનુ શુભ ગણાય છે. આ દિવ્ય મંત્રની દરરોજ ઓછામા ઓછી એક માળા જરૂર કરો. જો તમારી ઇચ્છા હોય તો તમે ૨ કે ૩ માળા પણ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત