રામાયણમાં આ પાત્ર ભજવનાર વ્યયક્તિનું થયું મૃત્યુ, મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
મુંબઈ. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ખ્યાતિ ઘનશ્યામ નાયકના અચાનક અવસાન બાદ ટેલિવિઝને વધુ એક રત્ન ગુમાવ્યું છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર દિગ્ગ્જ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું કાલ રાત્રે મુંબઈમાં અવસાન થયું. હાર્ટ એટેક અને ઘણા અવયવોના કામ ન કરવાને કારણે તેમનું અવસાન થયું. મીડિયા અહેવાલો અનુસાર, અરવિંદ ત્રિવેદી લાંબા સમયથી બીમાર હતા અને હાર્ટ એટેક અને ઘણા અવયવોના કામ ન કરવાને કારણે તેમનું અવસાન થયું હતું. આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ 82 વર્ષના હતા.
અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના વતની હતા અને પૂર્વ સાંસદ અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્મ્સના સુપરસ્ટાર હતા.
અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ તેના કાકાના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું કે તે છેલ્લા ઘણા વર્ષોથી તે બીમાર હતા. છેલ્લા 3 વર્ષથી, તેમની તબિયત ખૂબ ખરાબ રીતે બગડવાની શરૂઆત થઈ હતી. આ સમયગાળા દરમિયાન તેને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તે એક મહિના પહેલા જ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. ગઈ કાલ રાત્રે 9.30 વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો. તેમણે કાંદિવલીમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા.
રાવણની ભૂમિકા ભજવવા માટે અરવિંદ ત્રિવેદીને સૌથી વધુ યાદ કરવામાં આવે છે. તેમણે ઘણી લોકપ્રિય ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ગુજરાતી સિનેમામાં તેમની કારકિર્દી 40 વર્ષ સુધી ચાલી. ‘રામાયણ’ ઉપરાંત, તેમણે અન્ય લોકપ્રિય ટીવી શો ‘વિક્રમ અને બેતાલ’ માં પણ પોતાનું પ્રદર્શન બતાવ્યું. તેમણે હિન્દી અને ગુજરાતી સહિત 300 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. દિવંગત અભિનેતાએ ઘણી સામાજિક અને પૌરાણિક ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
ભારતીય સિનેમામાં સફળ કારકિર્દી ઉપરાંત અરવિંદ ત્રિવેદી 1991 થી 1996 સુધી સંસદસભ્ય પણ રહ્યા હતા. તેઓ સાબરકાંઠા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. ફિલ્મ સર્જક વિજય આનંદે ફિલ્મ પ્રમાણપત્ર (CBFC) ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ ત્રિવેદી તેના કાર્યકારી અધ્યક્ષ બન્યા.
ગયા વર્ષે લોકડાઉન દરમિયાન, કલ્ટ ટીવી શો ‘રામાયણ’ દૂરદર્શન પર ફરી પ્રસારિત થયો હતો અને તેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. દૂરદર્શન દ્વારા આ મહાકાવ્ય શો ફરી શરૂ થયા બાદ, શોના તમામ કલાકારો ફરી પ્રસિદ્ધિમાં આવ્યા અને તેમાંના ઘણા ટ્વિટર સાથે જોડાયા. તેમના ભૂતપૂર્વ ‘રામાયણ’ના સહ-કલાકારો અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા ટ્વિટર પર આવ્યા પછી અરવિંદ ત્રિવેદી પણ ટ્વિટર પર આવ્યા હતા.
અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં રાવણની ભૂમિકા ભજવી હતી, પરંતુ તે હકીકતમાં ખુબ મોટા રામભક્ત છે. આ ઓન સ્ક્રીન લંકાધિપતિ રાવણે પોતાના ઘરમાં મોરારિબાપુના હાથે રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બની ગયા હતા. ત્યાર બાદ તેઓ ‘લંકેશ’નાં નામથી ઓળખાવા લાગ્યા હતા. આજે પણ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નાં નામથી જ ઓળખાય છે. એક ઈન્ટરવ્યુમાં અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો. શૂટિંગથી પરત આવીને અરવિંદ ઘરે રામની સ્તુતિ કરતા હતા, કારણ કે શૂટિંગ દરમિયાન તેમણે રામ વિશે ઘણા જ અપમાનજનક સંવાદો કહ્યા હતા.