આ એક્ટરના નામે છે વર્લ્ડ રેકોર્ડ, નિભાવી ચુક્યા છે 300થી વધુ રોલ
કોમેડી ટીવી સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ આજે પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિરિયલમાં એક કરતાં વધુ પાત્રો જોવા મળે છે, જેમાં મનમોહન તિવારી તરીકે રોહિતાશ્વ ગૌડ, અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રે અને વિભૂતિ નારાયણ મિશ્રા તરીકે આસિફ શેખ મુખ્ય છે.
આજે આપણે આ સીરિયલમાં વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ભજવતા આસિફ શેખ વિશે વાત કરીશું. સિરિયલમાં આસિફે એક એવા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જે બેરોજગાર છે અને આખો વિસ્તાર તેને ‘નલ્લા’ કહીને ચીડવે છે. જો કે આસિફ શેખ પણ અન્ય એક કારણથી ચર્ચામાં છે.
ભાબી જી ઘર પર હૈ શો 2015માં શરૂ થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ શોના કલાકારો અને પાત્રોએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. આસિફ શેખ સિનિયર એક્ટર છે, તેથી તેમણે વિભૂતિ મિશ્રાનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું અને લોકોને તેમનું કામ ખૂબ પસંદ આવ્યું હતું. આ દરમિયાન તે ક્યારેક નકલી પોલીસ ઓફિસર તરીકે જોવા મળ્યો તો ક્યારેક નકલી કવિ બનીને લોકોને હસાવ્યા. જેના કારણે હવે તેણે આ ઈતિહાસ રચ્યો છે.
વાસ્તવમાં આસિફે આ કોમેડી સિરિયલમાં 300થી વધુ અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. આ પોતાનામાં એક વર્લ્ડ રેકોર્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસિફનું નામ વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડ, લંડનમાં નોંધાયેલું છે. જો કે, આસિફના જીવન સાથે જોડાયેલ એક અન્ય પાસું છે, જેના વિશે અમે તમને જણાવીશું. આજે આસિફનું નામ ઘર-ઘર ફેમસ છે અને તેની ગણતરી ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાં થાય છે, પરંતુ એક સમય હતો જ્યારે આસિફ બે સમયની રોટલી માટે પણ મોહતાજ થઈ ગયો હતો.
આસિફે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના જીવનમાં એક એવો તબક્કો હતો જ્યારે ઘર ચલાવવા માટે તેણે પોતાની એક સોનાની ચેન પણ વેચવી પડી હતી. જો કે આસિફે એ પણ કહ્યું હતું કે આ ખરાબ સમયમાં સુપરસ્ટાર સલમાન ખાન તેની મદદ માટે આગળ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને આસિફ શેખ સારા મિત્રો છે.
ભાબી જી ઘર પર હૈ શો છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યો છે. પછી તે અંગૂરી ભાબી હોય, અનિતા ભાબી હોય કે મનમોહન તિવારી હોય. શોનું દરેક પાત્ર દર્શકોને ખૂબ હસાવે છે અને તેમના દિવસનો થાક દૂર કરે છે.