આટલા બોલિવૂડ સ્ટાર્સની દુશ્મની છે ખતરનાક, વર્ષોથી એકબીજા સાથે વાત પણ નથી કરતા, જાણો કોની-કોની
બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ વચ્ચે ગાઢ મિત્રતા છે તો કોઈ વચ્ચે દુશ્મનીની વાતો પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જેની વર્ષોથી એકબીજા સાથે દુશ્મનાવટ છે. દુશ્મનાવટને કારણે આ સ્ટાર્સ લાંબા સમય સુધી એકબીજા સાથે વાત કરવાનું પસંદ કરતા નથી. આમાંના કેટલાકે તેમની દુશ્મની ઓનસ્ક્રીન પર આવવા દીધી ન હતી અને સાથે કામ પણ કર્યું હતું અને કેટલાક સેલેબ્સ સાથે કામ નથી કરતા. તો આવો વિગતે વાત કરીએ આવા બધા સ્ટાર્સ વિશે.
સલમાન ખાન અને સુભાષ ધઈ
1989માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કિયા દરમિયાન સલમાન ખાન અને સુભાષ ધઈ વચ્ચેનો ઝગડો શરૂ થયો, જે સમય સાથે સાથે વધતો ગયો. એક પાર્ટીમાં સુભાષ ધઇએ એશ્વર્યા વિશે કંઈક કહ્યું હતું, જે સલમાન ખાનને પસંદ ન હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સલમાને સુભાષ ધઈને થપ્પડ મારી લીધી હતી, બાદમાં એવા અહેવાલ મળ્યા હતા કે સલમાનની માફીના કારણે બંને વચ્ચે બધુ બરાબર થઈ ગયું હતું અને 2008માં બંનેએ યુવરાજ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
સની દેઓલ અને આમિર ખાન
15 જૂન 2001ના રોજ, સની દેઓલે આમિરને ફિલ્મ ‘લગાન’ માટે તારીખ આગળ વધારવાનું કહ્યું હતું. ત્યારબાદ સૂત્રોએ કહ્યું હતું કે-આમિર ખાને શરૂઆતમાં આ વાત સ્વીકારી હતી, પરંતુ રિલીઝની તારીખે આમિર ખાનની લગાન પણ પડદા પર આવી હતી, જેને સનીએ છેતરપિંડી જેવું અનુભવ્યું હતું. આ સાથે સનીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ પણ રીલિઝ થઈ હતી. આ પછી, બંને વચ્ચે ખાટા સંબંધો થયા હતા, જે આજે પણ એમનેમ છે. જો કે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ હતી.
બોબી દેઓલ અને કરીના કપૂર
બોબી દેઓલને પ્રથમ વખત 2007માં આવેલી ફિલ્મ જબ વી મેટમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ કરીના કપૂરે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કરીનાના કહેવા પર તેના તત્કાલિન બોયફ્રેન્ડ શાહિદ કપૂરને કાસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બોબી દેઓલ અને કરીના કપૂરનો અંગત સંબંધ બગડ્યો છે.
કરીના અને બિપાશા
કરીના અને બિપાશાએ 2001માં આવેલી ફિલ્મ અજનબીમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને કોઈ બાબતને લઈને ઝઘડામાં આવી ગયા હતા અને સેટ પરથી એવા અહેવાલો આવવા લાગ્યા હતા કે કરીનાએ બિપાશાને થપ્પડ મારી હતી. ત્યારથી બંને એક સાથે કામ કરતા નથી.
સલમાન ખાન અને વિવેક ઓબેરોય
એશ્વર્યા રાય ઉપર સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચેની દુશ્મનાવટ થઈ હતી અને જે વાત જગ જાહેર છે. તે સમયે વિવેક ઓબેરોય અને એશ્વર્યા રાયના અફેરના સમાચાર સામે આવવા લાગ્યા હતા. અહેવાલો અનુસાર ગુસ્સે ભરાયેલા સલમાન ખાને વિવેક ઓબેરોયને તેની કારકિર્દી બગાડવાની ધમકી આપી હતી અને તેની હત્યા કરી નાખીશ એવું પણ કહ્યું હતું. જે બાદ વિવેક ઓબેરોયને ફિલ્મો મળવાનું લગભગ બંધ થઈ ગયું હતું. વિવેક ઓબેરોયે પણ આ મામલે એકવાર મીડિયા સાથે વાત કરી હતી.
શાહરૂખ ખાન અને અજય દેવગણ
શાહરૂખ ખાન અને અજય દેવગણની દુશ્મની રાકેશ રોશનની ફિલ્મ કરન અર્જુન દરમિયાન શરૂ થઈ હતી. શાહરૂખ અને અજયને આ ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ શાહરૂખને આપવામાં આવેલી ભૂમિકા અજય દેવગનને ભજવવાની ઇચ્છા હતી, જે શરૂ થઈ ત્યારથી બંને વચ્ચેનો ઝઘડો હજી પણ ચાલુ છે.
સલમાન ખાન અને જોન અબ્રાહમ
સલમાન ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની દુશ્મનાવટ કેટરીના કૈફને લઈને થઈ હતી. ન્યૂયોર્ક ફિલ્મ દરમિયાન, કેટરીના કૈફ અને જ્હોન અબ્રાહમના નજીક આવવાના સમાચાર સામે આવ્યા હતા. એક ઘટનામાં મામલો એટલો વધી ગયો હતો કે બંનેએ એક બીજા પર હાથ ઉપાડી લીધા હતા. ત્યારબાદથી બંને અભિનેતાઓ વચ્ચે દુશ્મની છે.
અરિજીત સિંહ અને સલમાન ખાન
બોલિવૂડમાં રોમેન્ટિક સિંગર તરીકે જાણીતા અરિજીત સિંહને 2014માં એક એવોર્ડ ફંક્શન દરમિયાન બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ લેવા માટે સલમાન ખાને તેમને સ્ટેજ પર બોલાવ્યા અનેન પૂછવા લાગ્યા કે “શું તમે સૂઈ ગયા તા કે શું, જેના જવાબમાં અરિજીતે પણ તેમની સ્ટાઈલમાં જવાબ આપ્યો હતો. તમે લોકોએ મને સૂવડાવી દીધો હતો યાર. આથી નારાજ સલમાન ખાને અરિજીત સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં અરિજીતસિંહે પણ ઘણા પ્રસંગો પર ખુલ્લેઆમ સલમાનની માફી માંગી હતી, પરંતુ સલમાને તેની પ્રતિક્રિયા આપી ન હતી.
સલમાન ખાન અને નિર્દેશક સંજય લીલા ભણસાલી
સલમાન ખાન બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી સાથે પણ ટકરાયો છે, એવું કહેવામાં આવે છે કે સંજયની 2011 માં આવેલી ફિલ્મ ગુઝારિશમાં સલમાન ખાને તેમને ઋત્વિક રોશનની જગ્યાએ ખુદ પોતાને લેવાનું કહ્યું હતું. સંજય લીલા ભણસાલીએ તેને ના પાડી હતી, ત્યારબાદ બંને વચ્ચેના સંબંધો બગડ્યા અને સલમાને તેની કોઈપણ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો.
અનિલ કપૂર અને સની દેઓલ
અનિલ કપૂર અને સની દેઓલ 1988માં આવેલી ફિલ્મ રામ અવતારમાં સાથે કામ કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સન્ની દેઓલ અને અનિલ કપૂર વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તેમના સંબંધ દુશ્મનાવટમાં ફેરવાઈ ગયા હતા. બંને એકબીજા સાથે વાત કરતા નથી.
અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહા
બોલિવૂડમાં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહાને એક સમયે મિત્રતાના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવ્યા હતા, પરંતુ 70ના દાયકામાં આ બંનેની મિત્રતા પર કોઈની નજર લાગી ગઈ. બંનેએ ‘કાલા પથ્થર’, ‘દોસ્તાના’ અને ‘શાન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું પરંતુ બોલિવૂડમાં અમિતાભ બચ્ચન કરતા બંને વચ્ચેની હરીફાઈ મોટી હોવાનું કહેવાય છે. જો કે બંને ઘણા પ્રસંગોએ રૂબરૂ આવ્યા હતા અને બંને સામાન્ય રીતે વર્તે છે. બન્નેએ તેની દુશ્મનાવટ જાહેર થવા દીધી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત