ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દયાબેન પાત્ર ભજવી શકે છે આ અભિનેત્રી? સામે આવે મોટી ખબર.

ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દયાબેન પાત્ર ભજવી શકે છે દિવ્યાંકા ત્રિપાઠી? સામે આવે મોટી ખબર.

ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દયાબેનના પરત ફરવાને લઈને ઘણી બધી અટકળો લગાવવામાં આવીબરહી છે. ફેન્સ દયાબેનને પાછા શોમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

image source

પણ દિશા વકાણીના શોમાં પાછા ફરવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એના મેકર્સે દયાબેનની જગ્યા ભરવા માટે ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને અપ્રોચ કર્યો છે.

એકતા કપૂરના શો યે હે મોહબ્બતેથી લોકોનું દિલ જીતનારી દિવ્યાંકા ત્રિપાઠીને તારક મહેતા કા ઉલટા ચશ્મામાં દયાબેનના રૂપમાં દેખાઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના કરિયરમાં ક્યાં હુઆ તેરા વાદા, આજ કી હાઉસવાઈફ હે…સબ જાનતી હે, પુનરવિવાહ, કુછ તો લોગ કહેગે અને તારક મહેતા કા ઉલટા ચશ્મા જેવા શો ઠુકરાવી ચુકી છે.

image source

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પહેલા દિશા વકાણીના પાત્રને પહેલા દિવ્યાંકા ત્રિપાઠીને ઓફર કરવામાં આવ્યો હતો. પણ એમને ના પાડી દીધી એ પછી એ રોલ દિશાને આપવામાં આવ્યો. જો કે હવે દિવ્યાંકા ત્રિપાઠી શોના એ ઓફરને સ્વીકાર કરશે કે નહીં એ વિષય પર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે નથી આવી.

મીડિયા રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે દિવ્યાંકા ત્રિપાઠી જે હાલના દિવસોમાં રોહિત શેટ્ટીના સ્ટંટ બેઝડ રિયાલિટી શો ખતરો કે ખિલાડી 11માં દેખાઈ રહી છે. હવે દિવ્યાંકા ત્રિપાઠી તારાક મહેતા કા ઉલટા ચશ્મા શોની ઓફર પર વિચાર કરી શકે છે.

દિવ્યાંકાનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ ભોપાલમાં જ પૂર્ણ કર્યો હતો.

ફેમસ ટીવી અભિનેત્રી દિવ્યાંક ત્રિપાઠી લોકોના દિલો પર રાજ કરતી જોવા મળી રહે છે. લગભગ 35 વર્ષની આ અદાકારના ચાહકો આજે પણ લાખોમાં છે. વર્ષ 2004માં પોતાના કરિયરની શરૂઆત કરનાર દિવ્યાંક ત્રિપાઠીએ જી ટીવીના ઈન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટારમાં સૌથી પહેલા કામ કર્યું હતું. આ શોમાં તેણે એવોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

image source

વર્ષ 2016માં દિવ્યાંકાએ વિવેક દહિયા સાથે લગ્ન કર્યાં હતાં. ટીવી જગતમાં આ કપલને બહુ જ પસંદ કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ પહેલા દિવ્યાંકા ઘણાં સમય સુધી શરદ મહોલ્ત્રા સાથે રિલેશનશિપમાં હતી દિવ્યાંકાએ બનું મેં તેરી દુલ્હન સીરિયલથી ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે પોતાની મહેનતથી એક પછી એક નવા મુકામ હાંસિલ કરતી ગઈ. દિવ્યાંકાના ચાહકો તેને ટીવી પર જોવા માટે બહુ જ એક્સાઈટેડ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!