આજે જ આ રીતે કરો ચોખાના દાણાનો ઉપયોગ, પછી જુઓ તમારા જીવનમાં કેવી થાય છે પ્રગતિ
જો કોઈપણ વ્યક્તિને પિતૃદોષ હોય તો એવું માનવામાં આવે છે કે કાગડાને ચોખાથી રાંધેલી ખીર અને રોટલી ખવડાવવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે.
તમે પણ ગ્રહ કોઇ ગ્રહ – બાધાથી પીડાતા હોવ અને તમારા પર્સમાં વધારે સમય પૈસા ટકતા ના હોય તો આ ઉપાય કરો. કોઇપણ શુભ મુહૂર્તમાં કે અખાત્રીજના દિવસે કે પુર્ણિમાના દિવસે જલદી ઉઠો. દરેક આવશ્યક કાર્યો પતાવીને લાલ રેશમી કપડું લો. હવે આ લાલ કપડામાં 21 ચોખાના દાણા રાખો. ધ્યાન રાખો કે 21 ચોખાના દાણા પુરી રીતે અખંડ હોય તેમાંથી કોઇપણ દાણો ખંડિત ના હોય.
જો કોઈ વ્યક્તિને સફળતા પામવા પહેલા બાધાઓનો સામનો કરવો પડતો હોય તો એવા લોકોએ મીઠા ચોખા રાંધીને અગાસી પર વેરી નાખવા જોઈએ જેનાથી કાગડાઓ તેનું સેવન કરી શકે. આવું કરવાથી માણસને જલ્દી જ સફળતા મળવાના યોગ બને છે.
જો કોઈ વ્યક્તિને એના જીવનમાં આર્થિક કમી નો સામનો કરવો પડી રહ્યો હોય તો એના માટે પોતાના વોલેટમાં 21 ચોખાના દાણા લાલ રંગના રેશમી કપડામાં રાખે તો મનાય છે કે તેના જીવનમાં આર્થિક ફાયદો થાય છે. પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાય માત્ર શુક્રવારે જ કરવો કારણકે શુક્રવારે આ ઉપાયને કરવો એ શુભ મનાય છે
~ ચોખાના ચાર દાણા પણ બદલી શકે છે તમારું નસીબ, આજે જ કરો આ ઉપાય.
– ઘણી વખત આકરી મહેનત કરવા માણસ તેનું ફળ પામી શક્તો નથી. જ્યોતિષ પ્રમાણે કુંડળીમાં જો કોઈ ગ્રહ બાધા હોય તો વ્યક્તિએ ગરીબાઈ સહન કરવી પડે છે. જો તમે પણ કોઈ ગ્રહ બાધાથી પિડીત છો અને તમારા પર્સમાં થોડા સમય સુધી જ પૈસા ટકતા હોય તો આ ઉપાય કોઈ પણ શુભ મુહૂર્ત અથવા અક્ષય તૃતિયા અથવા પૂર્ણિમા અથવા દિવાળી અથવા અન્ય કોઈ પણ શુભ મુહૂર્તમાં સવારે જલ્દી ઉઠીને સ્નાનાદી નિત્ય કર્મ કરીને એક લાલ રેશમી કાપડ લઈને તેમાં ચોખાના એકવીસ દાણા રાખો.
ચોખાના બધા દાણા પૂરી રીતે અખડિત હોવા જોઈએ, ધ્યાન રાખો કે જ્યા સુધી વિધિ પૂરી ન થાય ત્યા સુધી ચોખાનો એક પણ દાણો તૂતવો ન જોઈએ. હવે આ કાપડને ધનલક્ષ્મી દેવીની સામે રાખીને વિધિ વિધાન સાથે પૂજા કરો. પૂજા પછી આ લાલ કાપડને ચોખા સહિત પોતાના પર્સમાં રાખી લો.
આ કાર્ય કર્યા પછી થોડા દિવસ પછી તમારી ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થશે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે લાલ કાપડવાળા પર્સમાં લાલ કાપડ સાથે ક્યારેય પણ અધાર્મિક વસ્તુ ન રાખશો. પર્સમાં લાલ કાપડ સાથે ચાવીઓ ન રાખો. સિક્કાઓ અને નોટને પણ પર્સના અન્ય ભાગમાં રાખો. કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુ પર્સમાં ન રાખો.
આ કાર્યની અર્થ એ નથી કે આપણે આપણાં પ્રયત્નો અટકાવી દઈએ કે આ વિધિના સફળતાની રાહ જોતા નિયતિના ભરોસે રહીને બેસી રહીએ. આ કાર્ય માત્રને માત્ર મનના વિશ્વાસને મજબૂત કરવા માટે છે અને નિયતિ જો આપણા ધાર્યા પ્રમાણે ન વર્તે તો જે ફળ મળે તેનો સ્વીકાર કરવા મનને તૈયાર રાખીએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત