શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર માંગી સલાહ, આ નિર્ણય લેવામાં થઈ રહી છે કે કન્ફ્યુઝ

બિઝનેસમેન અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં જામીન મળી ગયા છે. તે પુરા 62 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા છે. બહાર આવ્યા બાદ રાજ કુન્દ્રા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ શિલ્પા શેટ્ટી સતત સોશિયલ મીડિયા પર સક્રિય છે અને લોકોની વચ્ચે પોતાના વિચારો મૂકી રહી છે. રાજ કુન્દ્રાના જામીન અને ઘરે પહોંચ્યા બાદ શિલ્પા શેટ્ટીએ પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. હવે ફરી એકવાર શિલ્પા શેટ્ટીએ એક સ્ટોરી શેર કરી છે.

image source

શિલ્પા શેટ્ટીએ હાલમાં જ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. તે આ પોસ્ટમાં જીવનના મોટા અને મહત્વના નિર્ણય વિશે વાત કરી રહી છે. વાત જાણે એમ છે કે પહેલાની જેમ, તેમણે પુસ્તકમાં છપાયેલા વિચારની તસવીર શેર કરી છે. તેનું શીર્ષક ‘ખુદ પર નિર્ભર રહેવું.’ આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે, ‘મુશ્કેલ સમયનો સામનો કરવો, ચરિત્રવાળો વ્યક્તિ પોતાના પર નિર્ભર રહે છે. તે પોતે આગળના પગલાથી સંબંધિત નિર્ણય લે છે. તેના દરેક નિર્ણયની જવાબદારી લે છે અને તે નિર્ણયોને પોતાના કહે છે.

कोई वर्णन उपलब्ध नहीं है.
image source

શિલ્પા શેટ્ટીની આ પોસ્ટમાં આગળ લખ્યું છે કે, ‘અંતે, આપણે પસંદ કરેલી દરેક વસ્તુ માટે આપણે જવાબદાર છીએ. જો આપણે નસીબદાર હોઈએ તો આપણને મિત્રો અને પરિવારનો સહયોગ મળે છે, તે જ સમયે આપણે નિર્ણયો લેવા અને તેમની જવાબદારી લેવાની છે. સાચું કે ખોટું, તે આપણા પર નિર્ભર છે. આપણે એક ઉંડો શ્વાસ લઈએ છીએ, આપણને મળેલી સલાહ પર ધ્યાન આપીએ છીએ, આપણા અનુભવ પર વિચાર કરીએ છીએ, અને પછી જે શ્રેષ્ઠ કાર્ય કરે છે તે કરીએ છીએ. જો વસ્તુઓ સારી રીતે ચાલે છે, તો આપણે રાહતનો શ્વાસ લઈએ છીએ અને જો ઠીક ન ચાલતી હોય તો એની જવાબદારી લઈએ છીએ અને આગળ વધી જઈએ છીએ.

image source

શિલ્પા શેટ્ટીએ પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું કે, ‘મને ઘણા બધા અભિપ્રાય અને સમર્થન મળ્યા, પરંતુ હું સમજી ગઈ કે અંતે તે મારા પર નિર્ભર કરે છે કે હું જીવનમાં કેટલો મહત્વનો નિર્ણય લઉં છું.’ આ સાથે તેણે ‘આ કે પેલું વાળું સ્ટીકર લગાવ્યું છે. હવે આવી સ્થિતિમાં ચાહકો જાણવા માંગે છે કે શિલ્પા કયા નિર્ણયથી મૂંઝવણમાં છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી આવી પોસ્ટ્સની હારમાળા ચાલી રહી છે, જેને જોઈને ચાહકો વારંવાર મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે

image source

તમને જણાવી દઈએ કે, રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રહી હતી. શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ્સ જોયા પછી લોકો તમામ પ્રકારની અટકળો લગાવી રહ્યા હતા. ઘણા લોકોએ રાજ અને શિલ્પા વચ્ચેના અણબનાવની વાત પણ કરી હતી. તો, ઘણા મીડિયા અહેવાલોમાં બંને વચ્ચે છૂટાછેડાની અટકળો પણ થઈ હતી. હવે આ દરમિયાન, શિલ્પા શેટ્ટીની તાજેતરની પોસ્ટ જે સામે આવી છે તે દર્શાવે છે કે બંને વચ્ચે વસ્તુઓ સારી છે અને તે રાજના જામીનથી ખુશ છે. એ સાથે જ ફેન્સ કન્ફ્યુઝ પણ છે કે શિલ્પા શેટ્ટી પહેલા એવા પોસ્ટ કેમ કરતી રહી