ડાયાબિટીસની તકલીફથી પીડાતા લોકોએ જરૂર કરવું આ શાકભાજીનું સેવન, બ્લડસુગર રહેશે નિયંત્રિત અને સ્વાસ્થ્ય રહેશે નીરોગી
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવાનું છે કારણ કે થોડી બેદરકારી તેમના લોહીમાં શર્કરાનું સ્તર વધારી શકે છે. સ્ટાર્ચ ધરાવતા શાકભાજી ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગરનું સ્તર વધી શકે છે. હકીકતમાં સ્ટાર્ચી શાકભાજીમાં કાર્બોહાઇડ્રેટ ભરપૂર હોય છે.
આ કાર્બોહાઇડ્રેટ શરીરમાં ઊર્જા વધારવાનું કામ કરે છે, પરંતુ આ જ સ્ટાર્ચ ડાયાબિટીસ ના દર્દીના લોહીમાં ખાંડ પણ વધારી શકે છે. તો ચાલો જાણીએ કેટલાક એવા શાકભાજી વિશે જે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કારેલા
ડાયાબિટીસના દર્દી માટે કારેલા ખૂબ ફાયદાકારક છે. તેમાં ચરાટીન અને મોમોર્ડિસિન છે. આ ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તમે સવારમાં કારેલાનો રસ પી શકો છો. તમે આમળા અથવા તમારી પસંદગીની કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો, તથા કાળા મરી અને મીઠું છંટકાવ કરી શકો છો. ડાયાબિટીસ ને કાબૂમાં રાખવા માટે સવારે એક ગ્લાસ કારેલાનો રસ પીવો ખૂબ ફાયદાકારક છે.
બ્રોકોલી
બ્રોકોલી એ એક નોન-સ્ટાર્ચી શાકભાજી છે, જેમાં ખૂબ ઓછા કાર્બ્સ હોય છે અને તે બ્લડ સુગરના સ્તરને પણ અસર કરતું નથી. ડાયાબિટીસના દર્દીઓ તેમના આહારમાં બ્રોકોલી નો સમાવેશ કરીને આનો લાભ લઈ શકે છે.
ભીંડો
ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડી ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભીંડીમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, તેથી તે સરળતાથી પચી જાય છે અને ખાંડને નિયંત્રણમાં રાખી શકે છે. ભીંડામાં હાજર તત્વો ઇન્સ્યુલિન નું ઉત્પાદન વધારી શકે છે.
ગાજર
ગાજર ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. ગાજર ફાઇબર નો સારો સ્ત્રોત છે તેથી તે તમારા લોહીમાં ખાંડને ખૂબ ધીરે ધીરે છોડે છે. કાચા ગાજર ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કોબીજ
કોબીજ એ એક ઓછું સ્ટાર્ચી શાક છે, જે તમારા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ કોબીજ કાપીને તેને સલાડની જેમ અથવા તેના માટે શાક બનાવીને ખાઈ શકે છે.
બીટ
શરીરનું તંદુરસ્તા માટે લિલોતરી શાક ખુબ જ ઉપયોગી છે. તેમાં પણ બીટ શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીટ લોહીને ઘટ્ટ કરવાનું કામ કરે છે. તો સાથે સાથે ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે બીટનું સેવન કરવું જોઈએ. બીટ આરોગ્ય માટે ફાયદાકારક છે. બીટમાં વિટામિન, વનસ્પતિ સંયોજનો અને ખનિજો પુષ્કળ હોય છે. જે શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
પાલક
ડાયાબિટીઝને કાબૂમાં રાખવા માટે પાલકની ભાજી પણ ખુબ જ મહત્વની છે. પાલક ને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. પાલકનું સેવન કરવાથી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.
ટામેટાં
ટામેટાનું સેવન કરવાથી ડાયાબિટીઝના દર્દીઓમાં કોઈ નુકસાન થતું નથી. તમે ટામેટા કાચા અને રાંધેલા કોઈ પણ રીતે ખાઈ શકો છો. ટામેટા ખાવાથી બ્લડસુગર લેવલ નિયંત્રણમાં રહે છે. ટામેટાને હ્રદય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.