શ્રી કૃષ્ણની વાંસળી વિશેની આ 10 વાતો જાણીને તમે પણ ઘરમાં અને દુકાનમાં મુકી દેશો વાંસળી
તમારી પાસે વાંસળી વિશેની આ 10 માહિતી પણ હોવી જોઈએ
વાંસળીએ પ્રકૃતિની એક અનોખી ભેટ છે. ભગવાન શ્રીકૃષ્ણને વાંસળીનો ખુબજ શોખ હતો. તેવો હંમેશા તેને સાથે રાખતા હતા. જ્યાં તે બેઠા હોય ત્યાં એક સુંદર વાંસળી રાખવી જોઈએ.
વાંસળીનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણજી સાથે છે અને ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા પોતાની પાસે વાંસળી રાખતા હતા. કહેવામાં આવે છે કે કૃષ્ણજીને વાંસળી ઘણી પસંદ હતી અને તે ઘણી સરસ વાંસળી વગાડતા હતા. તેમના દ્વારા વગાડવામાં આવેલી વાંસળીના સુર સાંભળ્યા પછી ગોપીઓ આપો આપ તેમની તરફ ખેંચાઈ આવતી હતી અને નૃત્ય કરવા લગતી હતી, અને કૃષ્ણજી દરેક વખતે વાંસળીને પોતાની પાસે રાખતા હતા.
તમે પણ બજારમાં ઘણા પ્રકારની વાંસળીઓ વેચાતી જોઈ હશે અને લોકો તેને ઘણા ખરીદે પણ છે. પરંતુ શું તમને ખબર છે? કે વાંસળી ખરીદવું ઘણું શુભ હોય છે અને કહેવામાં આવે છે કે જો ઘરમાં વાંસળી રાખવામાં આવે તો ઘરમાં લાભ થતા રહે છે. વાસ્તુ અને ફેંગશુઈમાં વાંસળી ને શુભ હોવાનું કહેવામાં આવ્યું છે અને તે મુજબ ઘર માં વાંસળી લાવવાથી ઘર ને અનેક પ્રકાર ના લાભ થાય છે. ચાલો આપણે જાણીએ વાંસળી વિશે.
1. વાંસળી ખૂબ પવિત્ર અને આદરણીય માનવામાં આવે છે.
2. વાંસળીની અભિવ્યક્ત શક્તિ ખૂબ વૈવિધ્યસભર છે, તેના દ્વારા મધુર સંગીત વગાડવામાં આવે છે.
3. વાંસળી કુદરતી અવાજોનું અનુકરણ કરવામાં પારંગત છે, તેનો ઉપયોગ ઘણા પક્ષીઓના અવાજોની નકલ કરવા માટે થઈ શકે છે.
4. વાંસળી ઘરના વાતાવરણમાં હાજર તમામ નકારાત્મક શક્તિઓને દૂર કરીને સકારાત્મક ઉર્જાને સક્રિય કરવા માટે કાર્ય કરે છે.
5. વાંસળી વાંસથી બને છે અને તેના છોડને દૈવી માનવામાં આવે છે. તેથી, ઘરે વાંસળીનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે.
6. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ તેની નોકરીથી પરેશાન છે, તેના ઘરમાં વાંસળી રાખે છે, વાંસળી તેની બધી સમસ્યાઓ સરળ કરી શકે છે.
7. જો કોઈ વ્યક્તિ સખત મહેનત પછી પણ તેના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી, તો તેણે વાંસની બનેલી વાંસળીને તેની દુકાનમાં રાખવી જોઈએ, જેનાથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે.
8. જ્યારે કોઈ નવો ધંધો શરૂ કરો અને ભગવાનની ઉપાસના કરો ત્યારે, તમારી દુકાનની છત પર બે વાંસળી લગાડવી અથવા લટકાવી દેવી જોઈએ. આ વાંસળી સારી સફળતા સાબિત થાય છે.
9. વાંસળીમાંથી નીકળતો અવાજ પ્રેમની વાત કરે છે. જે ઘરમાં વાંસળી રાખવામાં આવે છે ત્યાં પ્રેમ અને પૈસાની કમી નથી.
10. વાંસળીના સંબંધમાં, એક ધાર્મિક માન્યતા છે કે જ્યારે વાંસળી એક હાથથી હલાવવામાં આવે છે, ત્યારે દુષ્ટ આત્માઓ દૂર થઈ જાય છે અને જ્યારે તે વગાડવામાં આવે છે, ત્યારે શુભ ચુંબકીય પ્રવાહ ઘરોમાં પ્રવેશ કરે છે.
સોર્સ : webduniya
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત