જાન આવતા પહેલા દુર્ઘટનાનો શિકાર થઈ દુલહન,વરરાજાને મળ્યો નાની દીકરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ, પણ વરરાજાએ કહ્યું કે….

તમે વર્ષ 2006માં આવેલી શાહિદ કપૂર અને અમૃતા રાવની ફિલ્મ વિવાહ તો જોઈ જ હશે. હાલમાં જ ઉત્તરપ્રદેશમાં આવી જ એક ઘટના બની છે જે તમને વિવાહ ફિલ્મની યાદ અપાવી દેશે. આ ઘટના યુપીના પ્રતાપગઢના કુંડામાં થી હતી. જ્યાં લગ્ન માટે તૈયાર થયેલી એક દુલહન દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ હતી.

image soucre

એ દરમિયાન દુલહનને ઘણી ગંભીર ઇજાઓ પણ થઈ હતી. 8 સપ્ટેમ્બરના રોજ થયેલા આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા છે. વાત જાણે એમ છે કે થયું એવું કે આરતી એના લગ્ન માટે તૈયાર થઈ રહી હતી. જાન આવવામાં હજી વાર હતી. ઘરમાં લગ્નની ચહલપહલ ચાલી જ રહી હતી કે એ દરમિયાન એક બાળકને બચાવવા દરમિયાન આરતી ધાબા પરથી નીચે પડી ગઈ. આ ઘટનામાં આરતીના કરોડરજ્જુનું હાડકામાં ઘણી ઇજા થઇ હતી અને સાથે જ આરતીના બનેં પગ પણ તૂટી ગયા હતા.જલ્દી જલ્દીમાં આરતીને પ્રયાગરાજન એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

જ્યાં ડોકટરે જણાવ્યું કે આરતીને થોડા મહિના સુધી હવે ફક્ત બેડ પર જ રહેવું પડશે. છોકરાવાળાઓને જ્યારે આ વિશે ખબર પડી તો વરરાજા અવધેશ સહિત ઘણા જાનૈયા આરતીના ઘરે પહોંચી ગયા. છોકરીના માતા પિતાએ અવધેશને આખી ઘટના જણાવી અને છોકરીની નાની બહેન સાથે લગ્નનો પ્રસ્તાવ આપ્યો.

નાની બહેન સાથેના લગ્નના વિકલ્પનો અવધેસે ઇનકાર કરી દીધો અને આરતી સાથે જ સાત ફેરા લેવાનું વચન આપ્યું. અવધેસે કહ્યું કે એ નક્કી કરેલા સમય મુજબ જ આરતી સાથે લગ્ન કરશે અને એની જાતે જ કાળજી લેશે. પરિવારે અવધેશને મનાવવાની કોશિશ કરી પણ અવધેશ એક નો બે ન થયો, એ એની વાતો પર મક્કમ રહ્યો.

એ પછી આરતીની સારવાર કરી રહેલ ડોકટરોને બધી સ્થિતિ જણાવવામાં આવી. ડોકટરોએ પરવાનગી આપી દીધી એટલે લગભગ સાત વાગે આરતીને એમ્બ્યુલન્સથી ઘરે લઈ જવામાં આવી. સ્ટ્રેચર પર સુતા સુતા આરતીએ અવધેશ સાથે સાત ફેરા લીધા. આરતીનો હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. આરતીના ઠીક થયા પછી એની ધામધૂમથી વિદાય કરવામાં આવશે.

ખરેખર અવધેશનો આરતી પ્રત્યેનો પ્રેમ વખાણવા લાયક છે. જો દરેક વ્યક્તિમાં આવી સમજણ જોવા મળે તો પછી જોઈએ જ શુ