આર્યન ખાનની ધરપકડ પછી મન્નતની સામે સુશાંતના ફેન્સ દોડી આવ્યા, જાણો આ શા માટે ભેગા થયા
2 ઓક્ટોબરના રોજ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા. ક્રુઝ પર રેવ પાર્ટીના અહેવાલો બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની આ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. NCB એ ક્રુઝ શિપમાંથી ડ્રગસ જપ્ત કરી અને આર્યન ખાન સહિત આઠ લોકોની ધરપકડ કરી. આર્યન ખાનની ધરપકડના વિવાદ વચ્ચે, કિંગ ખાન અને તેના પરિવારને ચાહકો અને બોલિવૂડ સેલિબ્રિટીઝ તરફથી વધુ સમર્થન મળી રહ્યું છે.
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ચાહકો રવિવારે રાત્રે શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’ ની બહાર ભેગા થયા હતા. સુશાંત સિંહ રાજપૂતના ચાહકો સુશાંતના રોલ મોડેલ શાહરૂખ ખાનને ટેકો આપવા પહોંચ્યા. ચાહકોએ સુશાંત સિંહ રાજપૂત અને દિશા સલિયનની તસવીરો લઈને ઉભા હતા.
ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ શાહરૂખ ખાને તેની સાથે એક સુંદર તસવીર શેર કરી હતી. ફોટો શેર કરતા શાહરૂખે લખ્યું, “તે મને ખૂબ પ્રેમ કરતો હતો. હું તેને ખૂબ જ યાદ કરીશ. હું તેની ઉર્જા, ઉત્સાહ અને વિશાળ સ્મિતને ખુબ યાદ ક્રિસ. અલ્લાહ તેની આત્માને શાંતિ આપે. હું તેના અંગત લોકો પ્રત્યે મારી સંવેદનાઓ મોકલવા માંગુ છું. તે ખૂબ જ દુઃખદ છે અને તે એક દુઃખદાયક ઘટના છે. ”
આ દરમિયાન, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. મેજિસ્ટ્રેટની કોર્ટે આર્યન ખાન અને બાકીના આરોપીઓના જામીન ફગાવી દીધા હતા. આર્યનના વકીલે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે, જે કેસની સુનાવણી 13 ઓક્ટોબરે થવાની છે. આર્યનની સાથે તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મૂનમૂન ધામેચા પણ ન્યાયિક કસ્ટડીમાં છે.
અગાઉ, અરબાઝના પિતા અસલમ મર્ચન્ટે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “આ તમામ આરોપો નિરાધાર છે. કંઈપણ કહેવું જલ્દબાજી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો બાળકોને સહકાર આપી રહ્યા છે અને તેમની સાથે સારો વ્યવહાર કરી રહ્યા છે. છેલ્લે સત્યની જ જીત થશે અને તેમને સજા આપવામાં આવશે નહીં કારણ કે તેઓ નિર્દોષ છે.