ભોજનમાં લસણનો ઉપયોગ આ રીતે કરે છે હેલ્થને મોટો ફાયદો, લાભ જાણીને આજથી જ કરો ઉપયોગ
આજ કાલ લગભગ દરેક ઘરોમાં લસણનો ઉપયોગ ભોજનમાં કરવામા આવે છે આ સિવાય ભાગ્યે જ એવા કેટલાક લોકો છે જે લસણની મહત્તા અને તેનાથી થતા ફાયદા વિશે જાણે છે. આજે અમે તમને જણાવીશું કે લસણમાં એવા તો કયા ખાસ તત્વો છે જે તમારી હેલ્થને સારી રાખવામાં તમારી મદદ કરે છે અને તમે હેલ્ધી રહી શકો છો.
ખૂબ જ પૌષ્ટિક છે
લસણની એક કળીમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી અને વિટામીન બી6 હોય છે. આ સિવાય મેંગેનીઝ પણ મળે છે અને તેમાં અન્ય ન્યૂટ્રિએન્ટ્સ પણ હોય છે.
અનેક રોગોમાં નાશકારી બને છે આ લસણની કળીઓ
આયુર્વેદમાં લસણના અનેક ફાયદા ગણાવવામાં આવ્યા છે. લસણની એક કળી આપણી અંદર જન્મતા અનેક રોગોને નાશ કરવા માટે પૂરતી છે. તેનો તમે ભોજનમાં કે પછી ચાવીને પણ ઉપયોગ કરી શકો છો.
નેચરલ એન્ટી બાયોટિક
લસણ એક મહત્વનું પ્રાકૃતિક એન્ટી બાયોટિક ગણાય છે. તે એક નેચરલ એન્ટી બાયોટિક છે. આ અનેક પ્રકારના સંક્રમણને દૂર કરવામાં કારગર સાબિત થાય છે સાથે તેમાં હીલિંગનો ગુણ પણ જોવા મળે છે.
એન્ટી બાયોટિક, એન્ટી વાયરલ ગુણ
લસણમાં એન્ટી બાયોટિક, એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. લસણ ઈમ્યુનિટી બૂસ્ટર, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરેલું હોય છે.
ખાંસી અને શરદીમાં કરે છે મદદ
પુરુષોએ શેકેલું લસણ ખાવું. તે તેમના માટે ફાયદો કરે છે. તેને ખાવાથી ફક્ત શરદી, ખાંસીમાં રાહત મળે છે અને સાથે જ મેલ હોર્મોનમાં પણ વધારો થાય છે.
હ્રદયને મજબૂત રાખે છે
હ્રદયને મજબૂત રાખવામાં લસણ મહત્વનો ભાગ ભજવે છે. તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. પાચન ક્રિયાને વધારવા માટે લસણ રામબાણ ઔષધિ માનવામાં આવે છે અને તે અસરકારક રીતે કામ કરે છે.
પાચન શક્તિને વધારે છે
લસણમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટે એક કે 2 લસણની કળી ચાવી જવાથી લાભ થાય છે. ત્યારબાદ તેની પર 1 ગ્લાસ પાણી પીવાથી થોડા દિવસોમાં ફરક જોવા મળશે.
બીપીની તકલીફમાં કરે છે લાભ
જે લોકોને બીપીની તકલીફ રહે છે તેઓએ ખાલી પેટે સવારે રોજ લસણ ખાવું. તે બ્લડ સર્ક્યુલેશનને વધારવાનું કામ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત