જો તમે પણ કરો છો સંતરા ખાતા સમયે આ ભૂલ તો પીડાવુ પડી શકે છે જીવલેણ બીમારીથી…
મિત્રો, નારંગી એ પુષ્કળ માત્રામા વિટામિન-સી, એન્ટિ-ઓક્સિડન્ટ્સ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સમા જોવા મળે છે. તેને ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે પરંતુ, તમને જણાવીએ કે જો આ ફળનુ જરૂર કરતા વધુ સેવન કરવામા આવે તો ફાયદાને બદલે નુકસાનનો ડર રહે છે.
તમે ઘણીવાર શિયાળામાં લોકોને નારંગી ખાતા જોયા હશે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ, આજે આ લેખમા અમે તમને વધુ પડતા નારંગીના સેવનથી થતા નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે આ ફળના સેવનથી થતા ગેરફાયદા વિશે જાણીએ.
સંતરાના સેવનથી સ્વાસ્થ્યને થતા ગેરલાભ :
ડાઈજેશનની સમસ્યા :
જે લોકોને ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે, આવા લોકોએ વધુ પડતુ આ ફળનુ સેવન ટાળવુ જોઈએ. આ ફળનુ વધારે પડતુ સેવન એ આપણા પાચનતંત્રને બગાડી શકે છે અને પેટમા દુ:ખાવો, બળતરા, ગેસની સમસ્યા પણ સામેલ થઇ શકે છે.
દાંત સાથે સંકળાયેલી સમસ્યાઓ :
જો તમે તમારી જરૂરિયાત કરતા આ ફળનુ વધુ સેવન કરો છો, તો તે તમારા દાંત બગાડી શકે છે કારણકે, તેમા એસિડ પુષ્કળ માત્રામા હોય છે, જે તમારા દાંત માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
હાડકા નબળા પડી જવા :
વિટામિન-સી આ ફળમા ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. તેના વધુ પડતા સેવનના કારણે હાડકામા દુ:ખાવો અને સોજો આવી શકે છે.
પાચનક્રિયા નબળી પડે :
આ ફળમા પુષ્કળ માત્રામા ફાઇબર સમાવિષ્ટ હોય છે, જે તમારા પાચનમાર્ગને ખુબ જ ખરાબ રીતે અસર કરે છે અને તમારી પાચનક્રિયાને નબળી પાડે છે. તેથી, શક્ય બને તો તમારે વધારે પડતુ નારંગીનુ સેવન કરવુ જોઈએ નહિ.
પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ :
નાના બાળકોને વધુ પડતુ આ ફળનુ સેવન કરાવવુ જોઈએ નહિ નહીતર તે પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યાઓથી પીડાઈ શકે છે અથવા તો બેભાન થઈ શકે છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે નુકશાનકારક :
જે સ્ત્રીઓએ ગર્ભ ધારણ કર્યો છે તે તથા જે સ્ત્રીઓ બાળકને નિયમિત સ્તનપાન કરાવે છે તેમણે આ ફળનુ સેવન નહીવત પ્રમાણમા કરવુ જોઈએ નહીતર નવજાત શિશુ પર તેની ખરાબ અસર પડી શકે છે.
હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓ :
હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાતા લોકોએ આ ફળનુ સેવન કરવુ જોઈએ નહિ. તેનુ કારણ એ છે કે, આ ફળમા એસિડની માત્રા પુષ્કળ પ્રમાણમા જોવા મળે છે, જે આપણા હૃદય માટે ખુબ જ હાનિકારક સાબિત થાય છે. માટે જો શક્ય બને તો આ ફળનુ સેવન નિયંત્રિત માત્રામા કરવુ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત