જેલના આ નિયમોથી શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન થયો પરેશાન
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, જે મુંબઈમાં ક્રૂઝ પર આયોજિત પાર્ટીમાં ડ્રગસના આરોપમાં પકડાયો હતો, તે હવે એનસીબીની કસ્ટડીમાંથી બહાર આવી ગયો છે અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં પહોંચી ગયો છે. આજે જેલમાં આર્યન ખાનનો પહેલો દિવસ હતો અને તેની સાથે કોઈ ખાસ સારવાર કરવામાં આવી ન હતી અને તેને અન્ય કેદીઓ સાથે સવારે 6 વાગ્યામાં જ ઉઠાડ્યો હતો. એવું કહેવાય છે કે જેલના નિત્યક્રમ મુજબ આર્યન સહિત તમામ કેદીઓ સવારે 6 વાગ્યે ઉઠ્યા હતા. તેમને સવારે સાત વાગ્યે નાસ્તો કરવા માટે પોહા આપવામાં આવ્યા હતા. જયારે ગૌરી ખાન તેમના પુત્ર માટે તેની પસંદનું બર્ગર લઈને મળવા ગઈ હતી, ત્યારે એનસીબીના લોકોએ આ બર્ગર આપવાની ચોખ્ખી મનાઈ કરી હતી. તેમણે જણાવ્યું કે આર્યન ખાન સાથે એવી રીતે જ વર્તન કરવામાં આવે, જેવું અન્ય કેદીઓ સાથે કરવામાં આવે છે. કારણ કે અહીંયા એ કોઈ સુપરસ્ટારનો છોકરો નહીં, પરંતુ એક ગુનેગાર જ છે.
જણાવી દઈએ કે આર્યન મુંબઈની આ સૌથી જૂની જેલ આર્થર રોડની બેરેક નંબર -1 માં બંધ છે. હાલમાં, આર્યનને અહીં 5 દિવસ કોવિડ નિયમો હેઠળ અલગ રાખવામાં આવશે.
આર્યને અન્ય કેદીઓની જેમ જેલની દિનચર્યાનું પાલન કરવું પડશે અને તેને કોઈ વિશેષ સારવાર આપવામાં આવશે નહીં. આર્યનને અન્ય કેદીઓ સાથે 11 વાગ્યે બપોરના ભોજનમાં રોટલી, શાક, દાળ એને ભાત આપવામાં આવશે. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આર્યન અન્ય કેદીઓની સરખામણીમાં વધારાનું ખાવા માંગે છે, તો તેને આ માટે અલગથી ચૂકવણી કરવી પડશે. આ માટે આર્યન મની ઓર્ડરથી પૈસા મેળવી શકે છે.
જેલના નિયમો અનુસાર, બપોરના ભોજન પછી, કેદીઓને ત્યાં અંદર ચાલવાની તક મળે છે, પરંતુ આર્યનને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે, તેથી તેને ચાલવા દેવામાં આવશે નહીં.
રાત્રિ ભોજનની વાત કરીએ તો આર્યનને સાંજે 6 વાગ્યે રાત્રિ ભોજન આપવામાં આવશે. રાત્રિ ભોજનમાં સાદી રોટલી, દાળ, શાકભાજી અને ભાત આપવામાં આવશે. એવું કહેવાય છે કે કેટલાક કેદીઓ રાત્રે આઠ વાગ્યે પણ રાત્રિ ભોજન કરે છે, તેવા સંજોગોમાં તેમને પોતાની જાતે જ પ્લેટ રાખવી પડે છે.
એવું કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત પહેલા જેલમાં તમામ કેદીઓની ગણતરી કરવામાં આવે છે અને પછી તેમને બેરેકમાં બંધ કરી દેવામાં આવે છે. જેલ મેન્યુઅલમાં, કેદીઓને સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જેલ પરિસરમાં ચાલવાની છૂટ છે, પરંતુ હાલમાં આર્યન માટે છૂટ નથી, કારણ કે તે કોરોનટાઇન છે.