એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ આપ્યો દીકરાને જન્મ
ટીએમસીની સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાં માતા બની ગઈ છે. એક્ટ્રેસે દીકરાને જન્મ આપ્યો છે. નુસરત જહાંએ 25 ઓગસ્ટની રાત્રે કોલકાતામાં Neoita હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. એકટર યશ દાસગુપ્તા નુસરતને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા.
ડિલિવરી પહેલા નુસરતે પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું હતું “Faith Over Fear #positivity #morningvibes. માતા બન્યા પછી નુસરત જહાંને ફેન્સ અને સેલેબ્સ શુભકામનાઓ આપી રહ્યા છે.
નુસરત જહાંની પ્રેગ્નનસીને લઈને ઘણો વિવાદ થયો હતો. ઘણા દિવસથી નુસરતને પ્રેગ્નેન્ટ હોવાની ખબર આવી રહી હતી. પછી નુસરતનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો વાયરલ થયો હતો. એ પછી એમની પ્રેગ્નનસીની પુષ્ટિ થઈ હતી. જ્યારે નુસરતની પ્રેગ્નનસીનો ખુલાસો થયો એ દરમિયાન એક્ટ્રેસની એના પતિ નિખિલ જૈનથી અલગ થવાની વાત સામે આવી હતી. નિખિલ જૈનના લગ્ન વર્ષ 2019માં થયા હતા પણ તણાવ પછી હવે એ બન્ને વર્ષ 2021માં અલગ થઈ ગયા છે.
નુસરતની પ્રેગ્નનસી પર નિખિલ જૈને કહ્યું હતું કે એમને આ વિશે કઈ જ ખબર નથી. ના આ બાળક એમનું છે. નુસરત જહાંની એ દરમિયાન એકટર યશ દાસગુપ્તા સાથે અફેર હોવાની ખબર સામે આવી. જો કે બન્નેએ પોતાના રીલેશનને હજી સુધી કનફર્મ નથી કર્યા.
નુસરત જહાં અને નિખિલ જૈને એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. નિખિલે જ નુસરત અને યશ દાસગુપ્તાના અફેર તરફ ઈશારો કર્યો હતો. જો કે સીધી રીતે નિખિલે યશનું નામ નહોતું લીધું. પણ એ ઈશારો જરૂર કર્યો હતો કે એમના સંબંધમાં તણાવ યશન કારણે આવ્યો.
નસુરતે નિખિલ સાથે અલગ થયા પછી એમની સાથે લગ્નને અમાન્ય ગણાવ્યા હતા. પોતાના બયાનમાં નુસરતે કહ્યું હતું કે એક વિદેશી જમીન પર હોવાને કારણે, તુર્કી મેરેજ રેગ્યુલેશન અનુસાર લગ્ન અમાન્ય છે કારણ કે આ એક બે અલગ અલગ ધર્મના લોકો વચ્ચે થયેલા લગ્ન હતા એટલે એને ભારતમાં વૈધનિક માન્યતા આપવાની જરૂર હતી પણ એવું ન થયું.
નુસરતે આગળ કહ્યું હતું કે કાયદેસર આ લગ્ન વેલીડ નથી પણ એક રિલેશનશિપ કે પછી લિવ ઇન રિલેશનશિપ છે. એટલે ડિવોર્સનો કોઈ સવાલ જ નથી ઉઠતો. નુસરતે નિખિલ પર એમના એકાઉન્ટમાંથી પૈસા કાઢવાનો પણ આરોપ લગાવ્યો હતો.
તો નિખિલનો આરોપ હતો કે નુસરત જહાં લગ્નને રજીસ્ટર કરાવવાથી બચી રહી હતી. એમને ઘણીવાર નુસરતને લગ્ન રજીસ્ટર કરાવવાનું કહ્યું હતું પણ નુસરત હંમેશા એ વાતને ટાળતી રહી.
નુસરત અને નિખિલે 19 જૂન 2019માં તુર્કીમાં લગ્ન કર્યા હતા. એમનું ડેસ્ટિનેશન વેડિંગ થયું હતું. બંનેએ એક શાનદાર રિસેપ્સન પણ આપ્યું હતું જેમાં મમતા બેનર્જી અને મિમી ચક્રવર્તી સામેલ થયા હતા.