તારક મહેતાના શોમાં બબીતાજી બે મહિના પછી ફરી પરત, આ કારણે થઈ હતી દૂર.
ટીવીની મોસ્ટ પોપ્યુલર સિરિયલ્સમાં સામેલ તારક મહેતા કા ઉલટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તા છેલ્લા ઘણા દિવસોથી શોમાંથી ગાયબ છે. શોમાં બબીતાજીની ન જોઈ એવી અફવાઓ પણ સામે આવી કે મુનમુન દત્તાએ કદાચ આ શોને અલવિદા કહી દીધું છે અને એમના ફેન્સ ખૂબ જ નારાજ હતા. પણ હવે ફેન્સ માટે ગુડન્યુઝ છે અને એ એ છે કે બબીતાજી શૂટિંગ પર પરત ફરી છે અને લગભગ બે મહિના પછી એ પડદા પર ફરી દેખાશે.
લગભગ બે મહિનાથી શોમાંથી ગાયબ મુનમુન દત્તા જલ્દી જ અપકમિંગ એપિસોડમાં દેખાશે. એક્ટ્રેસે 2 3 દિવસથી શો માટે ફરી એકવાર શૂટિંગ શરૂ કર્યું છે અને ફરી એકવાર એ લાંબા સમયથી ચાલી રહેલા બબીતાજીના પાત્રમાં પરત આવી ગઈ છે. જણાવવામાં આવી રહયુ છે કે શોમાં અપકમિંગ ટ્રેક વેકસીનેશન પ્રોસેસ પર ફોક્સ કરવાનો છે જેમાં બબીતાજીને પણ વેકસીન મુકવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે એક મહિના પહેલા એ અફવાઓ જોર પકડ્યું હતું કે એક્ટ્રેસે એક કોન્ટ્રોવર્સીમાં ફસાયા પછી શોને અલવિદા કહી દીધું. વાત જાણે એમ છે કે મુનમુને એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી પોતાનો એક મેકઅપ ટ્યુટોરિયલ વિડીયો શેર કર્યો હતો જેમાં એમને ભંગી શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દના ઉપયોગ કરવાથી એસટી/ એસસી એક્ટ હેઠળ એમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. જો કે એક્ટ્રેસે પછી આ વીડિયોમાં આપત્તીજનક શબ્દના ઉપયોગને લઈને માફી માંગી હતી.
આ કોન્ટ્રોવર્સીમાં ફસાયા પછી એ ચર્ચા હતી કે મુનમુન દત્તા ફરી શોમાં પાછી નહિ આવે. આ અફવાઓ પછી લગભગ એક મહિના પહેલા એક્ટ્રેસે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તારક મહેતા કા ઉલટા ચશ્મામાં ચાલી રહેલા ટ્રેકમાં એમની ઉપસ્થિતિ જરૂરી નહોતી. એમને કહ્યું હતું કે મેં શો નથી છોડ્યો. ટ્રેકમાં હાલ મારી ઉપસ્થિતિની જરૂર નથી એટલે મને શૂટિંગ માટે નથી બોલાવવામાં આવી.
એક્ટ્રેસે આગળ કહ્યું હતું કે પ્રોડક્શન સીન અને આગલો ટ્રેક નક્કી કરે છે. હું એ નક્કી નથી કરતી. હું ફક્ત એક વ્યક્તિ હું જે કામ પર જાય છે, પોતાનું કામ કરું છું અને પાછી આવી જઉં છું. એટલે જો મારા સીનની જરૂર નહિ હોય તો સ્વાભાવિક વાત છે કે હું શૂટિંગ નહિ કરું.જ્યારે પ્રોડક્શન હાઉસ મને બોલાવશે તો હું શૂટિંગ શરૂ કરી દઈશ.
તમને જણાવી દઈએ કે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ મુનમુન દત્તાએ ફરીથી શૂટિંગ પર પરત ફરવાની ખબરની પુષ્ટિ કરી છે. એમને કહ્યું કે મુનમુન ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીમનો એક ભાગ રહી છે. એમના શો છોડવાની જે ખબર સામે આવી હતી એ ફક્ત અફવાઓ હતી..મુનમુને ફરીથી શો માટે શૂટિંગ શરૂ કરી દીધું છે અને તમે જલ્દી જ એમને ફરી બબીતાજીના પાત્રમાં જોઈ શકશો.