વ્યસનનો શિકાર બનેલા વ્યક્તિની કેવી રીતે રાખશો સાર-સંભાળ…? વાંચો આ લેખ અને જાણો…
વ્યસન એક ખૂબ જ ખરાબ આદત છે, જે પીડિત વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના પરિવારને પણ સારું એવું નુકસાન પહોંચાડે છે પરંતુ, દ્રઢ નિશ્ચય સાથે તમે કોઈપણ વ્યસનને દૂર કરી શકો છો. આ વ્યસન ધૂમ્રપાનથી લઈને આલ્કોહોલ અને ડ્રગ્સ સુધીનું હોય શકે છે.
વ્યસનથી પીડિત વ્યક્તિ માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનો પણ શિકાર બની શકે છે. તેથી વ્યક્તિએ સમય રહેતા જ વ્યસનમાંથી બહાર નીકળી જવું જોઈએ. આ સમયે તેની આસપાસના લોકોનું વર્તન પરિવાર, મિત્રો અથવા નજીકના પરિચિત વ્યક્તિઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ચાલો આપણે જાણીએ કે, વ્યસન પીડિતની આસપાસ હાજર લોકોએ પીડિતાની કેવી રીતે કાળજી લેવી જોઈએ?
વ્યસનના ભોગ બનેલા લોકોની સાર-સંભાળ કેવી રીતે રાખવી?
જો તમારા પરિવારમાં અથવા પરિચિતમાં કોઈ વ્યસનનો શિકાર બને છે તો તમે નીચેની રીતે તેની સંભાળ રાખી શકો છો. જેથી તે જલ્દીથી આ વ્યસનથી છુટકારો મેળવી શકે. હંમેશા વ્યસન પીડિત સાથે દયા અને પ્રેમની લાગણીથી વાત કરો. તેની સાથે દર્દીની જેમ વર્તવું જોઈએ. જેથી તે તમારા પ્રત્યે નફરતની લાગણીથી દૂર રહે.
વ્યસનના કારણે પીડિત વ્યક્તિને આત્મહત્યા કરવા જેવા વિચારો પણ આવી શકે છે. તેથી, હંમેશા તેના શબ્દો અને અભિવ્યક્તિ સાંભળો અને સમજો. જો પીડિત વ્યક્તિ તમારા શબ્દો અથવા સલાહ સાંભળી રહ્યો નથી તો તરત જ તેની પાસેથી પોતાને દૂર કરવાનો પ્રયાસ કરો. ક્યારેક તમને ગુમાવવાનો ડર પણ તેને સાચા માર્ગ પર રાખે છે.
પીડિતાને વ્યસન છોડવા માટે હંમેશા પ્રેરિત કરતા રહો :
વ્યસનના ભોગ બનેલાની સાર-સંભાળ લેતી વખતે તમારી આસપાસના અન્ય લોકોની જેમ બાળકો વગેરેની સલામતીનું પણ ધ્યાન રાખો. ક્યારેક પીડિત ગુસ્સામાં આવીને કોઈ ખોટું પગલું ભરી શકે છે, જેના કારણે આસપાસના લોકો જોખમમાં મુકાઈ શકે છે. જો તમે એકલા પીડિતાની સંભાળ રાખવામાં અસમર્થ છો તો તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસેથી મદદ લેવામાં અચકાશો નહીં.
વ્યસનથી પીડાતી વ્યક્તિને આર્થિક જવાબદારીઓ ન આપો. આના કારણે આર્થિક નુકસાન થવાનું જોખમ રહેલું છે. પીડિતાને ઉપચાર અને સારવાર લેવા માટે મનાવતા રહો, આ એક પ્રભાવશાળી મદદ હોય શકે છે.