વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન થઈ ગયા, હવે રિસેપ્શન થશે જ નહીં, જોઈ લો કોણે ના પાડી દીધી
બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન અને અભિનેત્રી નતાશા દલાલે આખરે 24 જાન્યુઆરી, 2021 ના રોજ અલીબાગમાં એક લક્ઝરી રિસોર્ટમાં તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. વ્હાઇટ ડ્રેસમાં કપલ અદભૂત દેખાતા હતા અને મીડિયાએ તેમના લગ્ન બાદ તરત જ તેમનું અભિવાદન કર્યું હતું. આ પછી મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે 2 ફેબ્રુઆરીએ મુંબઇમાં આ દંપતી માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડના ખાસ લોકો શામેલ હોઈ શકે છે. જો કે હવે આ મામલે એક વિશેષ અપડેટ સમાચાર સામે આવ્યા છે.
પિંકવિલા સાથે વાત કરતાં વરૂણના કાકા અને એક્ટર અનિલ ધવને પુષ્ટિ કરી છે કે 2 ફેબ્રુઆરીએ વરૂણ અને નતાશાના લગ્નના રિસેપ્શન માટે કોઈ પ્લાન બનાવવામાં આવ્યો નથી. અનિલે કહ્યું, ‘એવું કંઈ નથી. જો આવું કંઇક હશે તો અમે તારીખ નક્કી કરીશું.
લગ્ન સમારોહ પછી દરેક વ્યક્તિ તેમની વસ્તુઓમાં વ્યસ્ત છે. તમે જે સાંભળી રહ્યા છો તે સાચું નથી. નવદંપતીઓ તેમના પરિવાર અને મહેમાનો સાથે હવે પાછા મુંબઇ જઇ રહ્યા છે. કરણ જોહર સોમવારે મુંબઇ પાછા ફરનારા પ્રથમ મહેમાનોમાં સામેલ હતો.
શુક્રવારે વરૂણ અને નતાશાના લગ્નની ઉજવણી શરૂ થઈ હતી. અહેવાલ મુજબ તેની શરૂઆત બેચલર પાર્ટીથી થઈ હતી અને ત્યારબાદ મહેંદી અને સંગીત સમારોહ યોજાયો હતો. અનિલ ધવને કહ્યું કે તેઓ બધા વરૂણના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
તેણે કહ્યું હતું કે, ‘અમારા પરિવારમાં વરુણની પેઢીના આ છેલ્લા લગ્ન છે. વરૂણના મોટા ભાઈ રોહિત ધવનના લગ્ન થયા. મારા બાળકોનાં લગ્ન થયાં અને મારા મોટા ભાઈનાં બાળકોનાં પણ લગ્ન થયાં. તેથી આ સર્કલ હવે પુર્ણ થયું.
ઉલ્લેખનીય છે કે, બન્નેના લગ્નને લઈ ઘણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી હતી અને હવે આખરે આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે. ત્યારે વરુણ ધવને આ તસવીરો શેર કરીને સરસ કેપ્શન પણ આપ્યું છે જેની હવે ચર્ચા કરવામાં આવી રહી છે. વરુણે કેપ્શનમાં લખ્યું હતું કે- જીવન ભરનો પ્યાર હવે ઓફિશિયલ થઈ ગયો. વરુણ ધવનની આ પોસ્ટ પર હવે ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ બધાઈ આપી રહ્યા છે.
હાલમાં જ મા બનેલી અને વિરાટની પત્ની અનુષ્કાએ કોમેન્ટ કરી કે વરુણ અને નતાશાને બધાઈ. બન્નેનું જીવન સુખમય રહે અને ખુબ પ્રગતિ કરો. આ સાથે જ શ્રદ્ધા કપૂરે પણ કોમેન્ટ કરી કે Congratulations babdu and Nats! તેમજ શાહીદે પણ મજાક કરી કે બન્ને પરિવારને શુભકામના, ભગવાન તમારું ભલું કરે, આ સાથે જ શાહીદે લખ્યું કે અંધકાર તરફ તમારું સ્વાગત છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત