સૂર્યનું થશે વૃશ્ચિકમાં પરિવર્તન અને બદલી જશે આ ચાર રાશિના જાતકોને ભાગ્ય

જ્યારે કોઈપણ ગ્રહનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેની અસર બારે બાર રાશિના જાતકોને થાય છે. તેમાં પણ સૂર્યના રાશિ પરિવર્તનની સૌથી વધુ અસર થતી હોય છે. સૂર્ય જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેના ગોચરનો સમય 30 દિવસનો હોય છે. એટલે કે એક રાશિમાંથી નીકળી અને બીજી રાશિમાં પ્રવેશ કરે અને તેમાં રહે તે અવધિ 30 દિવસની હોય છે. આ જ પ્રકારે 16 નવેમ્બરના રોજ સૂર્ય રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. 16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને 16 ડિસેમ્બર સુધી આ રાશિમાં ગોચર કરશે.

image soucre

સૂર્યનું રાશિ પરિવર્તન બારમાંથી ચાર રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી સાબિત થવા જઈ રહ્યું છે. આ ચાર રાશિના જાતકો આ સમય દરમ્યાન જે પણ કામ કરશે તેમાં તેને ચોક્કસથી સફળતા મળશે. એમ કહેવું ખોટું નહી હોય કે 16 ડિસેમ્બર સુધીનો સમય આ ચાર રાશિના જાતકો માટે ગોલ્ડન પિરિયડ સાબિત થશે. ત્યારે કેટલીક રાશિના જાતકો માટે આ સમય સમસ્યાકારક રહેશે. તો ચાલો જાણીએ એ કઈ કઈ રાશિ છે જેના માટે આ અવધિ અત્યંત ફાયદાકારક સાબિત થવાની છે.

વૃષભ

આ લિસ્ટમાં સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશી સૂર્યનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સમય સાબિત થશે. આ સમય દરમિયાન કારકિર્દીમાં સફળતા જોવા મળશે અને અટકેલું ધન પણ પરત મળી શકે છે. આ રાશિના જાતકોને કરજમાંથી મુક્તિ મળે તેવી પણ સંભાવના છે. ધન-ધાન્યમાં વધારો થશે. મા લક્ષ્મી આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકો પર કૃપાદૃષ્ટિ રાખશે. આ રાશિના જાતકોએ એક વાતનું ધ્યાન રાખવાનું કે કોઇપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરે. આ સમય દરમ્યાન નવી નોકરી માટે ઓફર પણ આવી શકે છે અને કાર્ય સ્થળ પર માન-સન્માન પ્રાપ્ત થશે.

મિથુન

મિથુન રાશિના જાતકો માટે પણ આ ગોચર લાભકારક સાબિત થશે. નોકરીમાં સારી એવી સફળતા જોવા મળશે અને વેપારીઓને પણ લાભ થવાના અણસાર છે. નવું કામ શરૂ કરવાનું વિચારી શકો છો. પરિવારનો સાથ મળશે અને નિર્ણય સાચા સાબિત થશે. યાત્રાથી ધનલાભ થવાના પ્રબળ આસાર છે આ સમય દરમ્યાન વાહન સુખની પ્રાપ્તિ થશે અને ધનની આવક પણ થતી રહેશે.

કન્યા

કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું વૃશ્ચિક રાશિ પરિવર્તન લાભકારક સાબિત થવાનું છે. આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે. નવી નોકરી મળવાના પ્રબળ આસાર છે. કોઈ નવો પ્રોજેક્ટ પણ મળી શકે છે યાત્રાથી ધનલાભ થવાની સંભાવના છે. આ સમય દરમ્યાન માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ રાશિના જાતકો પર રહેશે.

મકર

મકર રાશિના જાતકો માટે પણ આ સમયે લાભકારક સાબિત થશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને લાભના અનેક અવસર પ્રાપ્ત થશે. કોઈ મોટી ઉપલબ્ધિ પણ મળી શકે છે. આ સમય દરમ્યાન સફળતાના યોગ બની રહ્યા છે. કોર્ટ-કચેરીની બાબતમાં પણ આ રાશિના જાતકોને જીત થાય તેવી સંભાવના છે. અચાનક ક્યાંકથી ધન પ્રાપ્તિ થઇ શકે છે.