અક્ષય કુમારના દીકરા આરવને લઈને રાજેશ ખન્નાએ કરી હતી ભવિષ્યવાણી, કહ્યું કે એક દિવસે…..

ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ન ધરાવતા અભિનેતા અક્ષય કુમારે, 90ના દાયકામાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. અક્ષયના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તે રાજેશ ખન્ના પાસે તેમની ઓફિસમાં કામ પૂછવા જતો હતો. જો કે તેને કલ્પના નહોતી કે એક દિવસ તે તેની મોટી દીકરી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરશે અને તે બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના જમાઈ બનશે. અક્ષય કુમાર માત્ર રાજેશ ખન્નાના જમાઈ જ નથી બન્યા, પરંતુ રાજેશ ખન્નાએ અક્ષય કુમારને તેની ફિલ્મી કારકિર્દી વિશે ઘણું માર્ગદર્શન પણ આપ્યું હતું.

image soucre

જ્યારે અક્ષય કુમારે તેની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તે તે સમય દરમિયાન મોટાભાગે ‘ખિલાડી’ ટાઇટલવાળી ફિલ્મો કરતો હતો. તેની ખેલાડી સાથે જોડાયેલી દરેક ફિલ્મ દર્શકોને પણ પસંદ આવી હતી. અક્ષય કુમાર દરેક ફિલ્મમાં પોતાનું જોરદાર એક્શન બતાવતો હતો. જો કે, મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન રાજેશ ખન્નાએ અક્ષય કુમારને તેમની ફિલ્મોની પસંદગી અંગે કેટલાક ફેરફારો કરવાની સલાહ આપી અને એક ફિલ્મ લિકથી હટીને કરવા કહ્યું.

image soucre

વર્ષ 2009માં એક મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીત દરમિયાન રાજેશ ખન્નાએ જણાવ્યું હતું કે તેમણે અક્ષયને અલગ અલગ પ્રકારની ફિલ્મો પસંદ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘મેં અક્ષયને કહ્યું કે તે સારી ફિલ્મો કરી રહ્યો છે, પરંતુ મારી તેને સલાહ છે કે હવે તેણે ડાન્સ પર પણ ધ્યાન આપવું જોઈએ જેથી દર્શકોનું મનોરંજન થાય. તેઓએ એવી ફિલ્મો પસંદ કરવી જોઈએ જેની સમાજ પર અસર પડે અને જેનું કોઈ પ્રયોજન હોય

image soucre

રાજેશ ખન્નાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેણે અક્ષય કુમારને હવે ખિલાડી સિરીઝમાં કામ ન કરવાની સલાહ પણ આપી હતી. જો કે આ સાથે તેણે ખિલાડી કુમારના કામની પણ પ્રશંસા કરી હતી. અક્ષય કુમારે પણ તેના સસરાની આ સલાહને ખૂબ જ ગંભીરતાથી લીધી અને તેણે ખિલાડી સિરીઝથી અંતર બનાવી લીધું અને અલગ-અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

image soucre

રાજેશ ખન્નાએ માત્ર અક્ષય કુમાર વિશે જ ભવિષ્યવાણી નથી કરી પરંતુ રાજેશ ખન્નાએ તેમના પૌત્ર આરવ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી. કાકાએ તેમના પરિવાર વિશે કહ્યું કે મને મારા પરિવાર પર ખૂબ ગર્વ છે. દરેક વ્યક્તિ મારા માટે ખાસ છે. રાજેશ ખન્નાએ આરવ વિશે કહ્યું હતું કે, ‘હું આજે જાહેરમાં કહી રહ્યો છું કે સુપરસ્ટાર રાજેશ ખન્ના પછી આરવ આગામી સુપરસ્ટાર હશે.

image soucre

રાજેશ ખન્નાએ એમની વાત મુકતા કહ્યું કે હું આરવને આગામી સુપરસ્ટાર એટલે નથી કહી રહ્યો કારણ કે તે અક્ષય કુમારનો પુત્ર છે. બલ્કે તે જે લગનથી કામ કરે છે અને તેનામાં હુનર છે કે તે ફિલ્મી દુનિયાનો આગામી સુપરસ્ટાર બની શકે છે. અક્ષય કુમારે વર્ષ 2001માં ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા અને બંનેને બે બાળકો છે. આરવ અને નિતારા.