એસબીઆઈની જનરલ વ્હીકલ પોલીસીમા મળશે હવેથી આ સુવિધા, વાંચો આ લેખ અને જાણો આ ફેરફાર વિશે…?
એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે તેના મોટર વીમા ગ્રાહકો માટે મૂલ્ય વર્ધિત સેવા તરીકે ફાસ્ટલેન ક્લેમ સેટલમેન્ટ શરૂ કર્યું છે. આ વેલ્યુ એડેડ સર્વિસ ના ભાગરૂપે ગ્રાહકો પાસે તેમના નાના મૂલ્યના મોટર ઇન્શ્યોરન્સ સેટલમેન્ટનો તાત્કાલિક નિકાલ કરવાનો વિકલ્પ રહેશે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. કંપનીનો ઉદ્દેશ સેટલમેન્ટ સમય ને થોડી મિનિટો ઘટાડી ને ગ્રાહકના અનુભવ ને વધારવાનો છે.
ફાસ્ટલેન ક્લેમ સેટલમેન્ટ સુવિધા કેવી રીતે મેળવવી ?
લોન્ચિંગ સમયે બોલતા એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ ના હેડ ક્લેમ એન્ડ ડિજિટલ અતુલ દેશપાંડે એ જણાવ્યું હતું કે, “એસબીઆઈ જનરલમાં અમે હંમેશા ગ્રાહક કેન્દ્રિત સોલ્યુશન્સ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે આખરે ગ્રાહકો ના સંતોષ ને ગ્રાહકો ની ખુશીમાં ફેરવશે.
અમે દ્રઢપણે માનીએ છીએ કે તકનીકી અને ડિજિટલ ઉકેલો ગ્રાહકો ના અનુભવ ને સુધારવામાં અભિન્ન ભૂમિકા ભજવી શકે છે. ફાસ્ટલેન ક્લેમ સેટલમેન્ટ સાથે, અમારું લક્ષ્ય ઓટોમોટિવ સેટલમેન્ટ્સ ના નિકાલ માટે ટર્ન-અરાઉન્ડ સમય ઘટાડવાનું છે, જેનાથી શારીરિક નિરીક્ષણ, દસ્તાવેજી કરણ અને ક્વેરી મેનેજમેન્ટ ની જરૂરિયાત માં ઘટાડો થાય છે.
આ લોકોને મળશે લાભ :
કંપની તમામ વ્યક્તિઓ અને વ્યવસાયો માટે વીમા ને સરળ બનાવવા માટે સસ્તી કિંમતે રિટેલ અને વાણિજ્યિક ક્ષેત્રમાં સામાન્ય વીમા ઉત્પાદનો ની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. કંપની રિટેલ સ્પેસમાં મોટર, હેલ્થ, પર્સનલ એક્સિડન્ટ્સ, ટ્રાવેલ અને હોમ ઇન્શ્યોરન્સ થી માંડીને કોમર્શિયલ સ્પેસમાં એવિએશન, ફાયર, મરીન, પેકેજ, કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ અને લાયબિલિટી ઇન્શ્યોરન્સ જેવા ઉત્પાદનો નો સંપૂર્ણ સ્યુટ પ્રદાન કરે છે.
સમય લાગશે ખુબ જ ઓછો :
દેશપાંડે નું કહેવું છે કે ફાસ્ટલેન ક્લેમ સેટલમેન્ટ સાથે કંપની નો ઉદ્દેશ મોટર વાહનો સાથે સંબંધિત દાવાઓના સમાધાનની પ્રક્રિયામાં લેવામાં આવેલા સમય ને ઘટાડવાનો છે. આનાથી વાહનોની નિરીક્ષણ, કાગળની કાર્યવાહી અને પૂછપરછ ની જરૂરિયાત ઓછી થશે. ફાસ્ટલેન ક્લેમ સેટલમેન્ટએ હકીકતનું બીજું ઉદાહરણ છે કે એસબીઆઈ જનરલ બ્રાન્ડ તેના ગ્રાહકોને સુરક્ષા અને વિશ્વાસ બંને પ્રદાન કરવાના વચનને સંપૂર્ણપણે પૂર્ણ કરે છે.
એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ નું વ્યાપક નેટવર્ક :
એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સે સ્ટેટ બેંક ગ્રુપની ત્રેવીસ હજાર થી વધુ શાખાઓ અને પાંચ હજાર પાંચસો થી વધુ પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી) માં પોતાની હાજરી સ્થાપિત કરી છે. એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ હાલમાં ત્રણ મુખ્ય ગ્રાહક સેગમેન્ટ એટલે કે રિટેલ સેગમેન્ટ (વ્યક્તિગત રેતી પરિવારો માટે), કોર્પોરેટ સેગમેન્ટ (મધ્ય થી મોટા કદની કંપનીઓ માટે) અને એસએમઇ સેગમેન્ટને સેવા આપી રહ્યું છે.
વીમા વિના વાહન ચલાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે :
ભારતમાં પોતાનું વાહન ખરીદનાર દરેક વ્યક્તિ માટે વાહન વીમો એટલે કે મોટર વીમા પોલિસી ખરીદવી ફરજિયાત છે. આ ત્રણેય કાર ટુ વ્હીલર અથવા કોમર્શિયલ કારને લાગુ પડે છે. મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ મુજબ વીમા વિના જાહેર સ્થળે મોટર વાહન ચલાવવું એ શિક્ષાપાત્ર ગુનો છે.