શેખર સુમનના દીકરાની આત્મહત્યાની ફેક ન્યૂઝ સાંભળીને માતાએ હોંશ ખોઈ દીધા, હવે અભિનેતાએ માગ કરી કે…
હાલમાં શેખર સુમનને લઈને એક વાત સામે આવી રહી છે જે ખરેખર ચિંતાજનક છે. સેલેબ્રિટી નહીં સામાન્ય જનતા પણ આ ઘટના પછી લાલઘૂમ છે. કારણ કે હાલમાં સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સતત અવાજ ઉઠાવનાર શેખર સુમન ફેક ન્યૂઝનો શિકાર થઈ ગયા છે. એક ન્યૂઝ ચેનલે તેના દીકરાના આત્મહત્યાની ખોટી ખબર ચલાવી દીધી હતી. ત્યારબાદ તે ચિંતીત થઈ ગયા અને એમના દીકરાના સંપર્કમાં લાગેલા છે. જો કે અધ્યયન બિલકુલ સુરક્ષિત છે અને તે દિલ્હીમાં છે. હવે શેખરે એ ન્યૂઝ ચેનલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
હાલમાં તેણે એક વીડિયો શેર કર્યો છે અને આ ક્લિપ શેર કરીને શેખરે લખ્યું કે, અમે એ ખબર જોઈ છે, આ સમાચારે અમને પણ તબાહ કરી દીધા. આ ન્યૂઝમાં દાવો કરવામાં આવ્યો કે મારા દીકરા અધ્યયન સુમને આત્મહત્યા કરી લીધી છે. આ ન્યૂઝ જોયા બાદ અમે તરત જ દીકરાનો સંપર્ક કર્યો હતો. મારો દીકરો દિલ્હીમાં હતો અને એનો નંબર પણ નહોતો લાગતો. માટે એક એક પળમાં અમે પરિવારના બધા લોકો હજારવાર મર્યા છીએ. અમે બધા ખુબ જ પ્રભાવિત થયા છે. હું ચેનલને માંફી માગવાની ડિમાન્ડ કરુ છું.
હું પ્રકાશ જાવડેકર, મહારાષ્ટ્ર મુખ્યમંત્રી અને NCP અનિલ દેશમુખને નિવેદન કરુ છું કે આ રીતે ગેરજિમ્મેદાર અને નિંદનીય કૃત્ય કરનાર ચેનલ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે. તેમણે એક એવી ન્યૂઝ ચલાવી કે જેણે મને, મારી પત્નીને અને મારા પરિવારને તબાહ કરી દીધો. આ ન્યૂઝ જોયા બાદ મારી પત્ની સદમામાં જતી રહી હતી. હું આ ચેનલ વિરુદ્દ લીગલ એક્શન લઈશ. આવું પણ શેખર સુમને કહ્યું હતું.
We are aghast and still not come out of the shock.I request ev one to tweet against such an unpardonable behavior of @ZeeNews and ban the channel lest it happens to anyone https://t.co/tf2uzjnsLz going ahead and taking a suitable legal action them. pic.twitter.com/vqpZAkI0H7
— Shekhar Suman (@shekharsuman7) February 21, 2021
આ પહેલા સુશાંતને લઈને પણ અભિનેતા શેખર સુમન ઘણી વાર ચર્ચામાં આવી ચૂક્યા છે. તેમણે ખુલાસો કર્યો હતો કે તે આ વર્ષે 7 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ નહીં મનાવે. તેણે કહ્યું કે, તે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને કોઈ સેલિબ્રેશન નહીં કરે. શેખર સુમને આ વાતની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત પછી શેખર સુમન સતત ન્યાયની માગ કરી રહ્યા હતા.
What the hell, sir you should take legal action against Zee News. Shame on Zee News
— komal 🇦🇺🦋JusticeForSSR🦋 (@komalV92) February 21, 2021
જો વાત કરીએ અધ્યયન સુમનની તો તેણે વર્ષ 2008 માં ફિલ્મ ‘હાલ-એ-દિલ’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસમાં ફ્લોપ થઇ ગઈ, પરંતુ અધ્યયનના ભાગમાં બીજી ફિલ્મ ‘રાઝ : ધ મિસ્ટ્રી કંટીન્યુસ’ આવી ગઈ. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ઠીકઠાક ચાલી, અને ફિલ્મની સાથે શરુ થયો અધ્યયન સુમનના જીવનનો કંટ્રોવર્સી સમય. ફિલ્મમાં પોતાની કો-સ્ટાર કંગના રનૌત સાથેના તેમના અફેયરની બધાને ખબર હતી, પણ એ પછી થયેલી કંટ્રોવર્સી આજુસુધી લોકોને યાદ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!