સોહા અલી ખાને કર્યો ખુલાસો, જણાવો ઇન્ડસ્ટ્રીથી 6 વર્ષ સુધી દૂર રહેવાનું અસલી કારણ

એક્ટિંગથી લગભગ છ વર્ષ દૂર રહીને અભિનેત્રી સોહા અલી ખાન હવે વેબ સિરીઝ ‘કૌન બનેગા શિખરવતી’થી કમબેક કરી રહી છે. પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રી કહે છે કે હવે હું અભિનયની દુનિયામાં પરત ફરવા માંગુ છું. મને એ સમજાયું કે આ સમયે હું એક માતા અને એક અભિનેતા બંનેનો રોલ સારી રીતે કરી શકું છું

લોકડાઉન થયું ત્યારે આ કારણે થઈ હતી ખુશ

image soucre

અભિનેત્રી સોહા અલી ખાન આગળ કહે છે કે, “ઘણીવાર લોકો મને પૂછે છે કે હું શા માટે બહાર નથી જતી? હું કેમ કામ નથી કરતી. હું બીજું પુસ્તક કેમ નથી લખતી? પરંતુ જ્યારે લોકડાઉન થયું ત્યારે હું ખૂબ ખુશ હતી. કારણ કે મારે હવે એ બધા લોકોના સવાલોના જવાબ નથી આપવા પડતા. જો કે થોડા સમય પછી ધીમે ધીમે વસ્તુઓ ફરી શરૂ થઈ. પરંતુ પછી મને આ શો (કૌન બનેગા શિખરવતી) ની ઓફર મળી. તે પણ જ્યારે કોરોના પિક પર હતો. પરંતુ અમે રાજસ્થાનમાં એક બાયો બબલ બનાવવામાં અને ત્યાં શૂટ કરવામાં સફળ રહ્યા.”

હવે હું તૈયાર છું- સોહા

image soucre

સોહા અલી ખાન કહે છે કે હું સારી રીતે જાણું છું કે અભિનય એ “સમય લેતો વ્યવસાય” છે. આ માટે 12-14 કલાક ઘરથી દૂર રહેવું પડશે, પરંતુ હવે હું તે સમય આપી શકું છું.

કેમ લીધો હતો બ્રેક?

image soucre

કુણાલ ચોવીસ કલાક શૂટિંગ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં બાળકની સાથે માતા-પિતામાંથી કોઈ એક સાથે રહેવું જરૂરી હતું. તેથી મેં ઘણી ઓફરો ઠુકરાવી દીધી હતી. કારણ કે તે સમયે મારી દીકરીને મારી જરૂર હતી. પરંતુ હવે તે સ્વતંત્ર બની રહી છે. તેથી મને લાગ્યું કે આ સમયે હું મારી કારકિર્દી પર ધ્યાન આપી શકું છું.

image soucre

દિગગજ અભિનેત્રી શર્મિલા ટાગોર અને દિવંગત ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી, સોહા અલી ખાનએ “રંગ દે બસંતી”, “આહિસ્તા આહિસ્તા”, “મુંબઈ મેરી જાન” અને “સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ” જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. જો કે, પુત્રી ઇનાયાના જન્મ પછી, તેણે વર્ષ 2018 માં આવેલી ફિલ્મ “સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર 3” પછી બ્રેક લીધો હતો. તમને જણાવી દઈએ કે સોહા અલી ખાને બૉલીવુડ એકટર કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા છે