શું તમે દરેક ચુકવણી ચેકબુકથી કરો છો તો ચેકબુક સબંધિત આ વાત જરૂરથી જાણી લો
જો તમે પણ બેંકના ગ્રાહક છો તો તમારા માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. આ બેન્કોના ગ્રાહકો આગામી મહિનાથી એટલે કે 1 ઓક્ટોબરથી જૂની ચેકબુકમાંથી ચૂકવણી કરી શકશે નહીં. ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (OBC) અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા (UBI) ની જૂની ચેકબુક આવતા મહિને એટલે કે 1 ઓક્ટોબરથી અમાન્ય થઈ જશે. એટલે કે, આગામી મહિનાથી તમે જૂની ચેકબુકમાંથી ચૂકવણી કરી શકશો નહીં. તમને જણાવી દઈએ કે 1 ઓક્ટોબર, 2021 થી ઓરિએન્ટલ બેંક, અલ્હાબાદ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક નકામી થઈ જશે. આનું કારણ એ છે કે 1 એપ્રિલ 2020 ના રોજ પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ અને યુનાઇટેડ બેન્કનું મર્જર કરવામાં આવ્યું હતું અને હવે તે પ્રભાવિત થઈ ગયું છે. પંજાબ નેશનલ બેંક (PNB) એ આ માહિતી આપી છે. તેથી જો તમારી પાસે પણ આ બેંકની જૂની ચેકબુક છે, તો તમે બેંક પર જઈને આ ચેકબુક બદલી શકો છો અને નવી ચેકબુક પ્રાપ્ત કરી શકો છો.
જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી બંધ રહેશે
PNB એ એક ટ્વીટમાં કહ્યું છે કે 1 ઓક્ટોબરથી ઈ-ઓબીસી અને ઈ-યુએનઆઈની જૂની ચેકબુક કામ નહીં કરે. ગ્રાહકોને કહેવામાં આવ્યું છે કે જેમની પાસે ઓબીસી અને યુએનઆઇ બેંકોની જૂની ચેકબુક છે, તેઓ જલ્દીથી નવી ચેકબુક સાથે બદલી લે, નહીંતર જૂની ચેકબુક 1 ઓક્ટોબરથી નકામી થઇ જશે. નવી ચેકબુક PNB ના અપડેટેડ IFSC કોડ અને MICR કોડ સાથે આવશે.
નવી ચેક બુક માટે કેવી રીતે અરજી કરવી
નવા ચેક માટે ગ્રાહકે બેંકની શાખાની મુલાકાત લેવી પડશે. આ સિવાય બેંકના ગ્રાહકો પણ ચેક માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તમે ઇન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા ચેકબુક માટે અરજી કરી શકો છો.
તમે આ નંબર પર કોલ કરી શકો છો
જો ગ્રાહક ઈચ્છે છે કે તેના ચેક સાથેના વ્યવહારમાં કોઈ સમસ્યા ન આવે, તો નવી ચેકબુક લેવી જરૂરી છે. ગ્રાહકો આ અંગે વિગતવાર માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 18001802222 પર કોલ કરી શકે છે. આ નંબર પર તમને દરેક માહિતી મળશે, સાથે તમને સરળ રીતે ચેકબુક બદલવાની માહિતી પણ મળશે.