સુશાંત સિંહનુ ફેમિલી છે એકદમ એજ્યુકેટેડ, જેમાં પિતા છે અધિકારી અને બહેન ક્રિકેટર, વાંચો વધુમાં…
બહેન ક્રિકેટર તો પિતા છે અધિકારી આવો છે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર
સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના મૃત્યુના સમાચાર આવતા જ આખાએ બોલીવૂડ અને સોશિયલ મિડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવાની શરૂ કરી દીધી હતી. તેમના નોકરે આ માહિતિ પોલીસને આપી હતી. સુશાંતે આત્મહત્યા કેમ કરી, તેને લઈ હજુ સુધી કેઈ જાણકારી મળી નથી. જો કે પોલીસને સુશાંતના મિત્રએ જણાવ્યું કે તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તે માટેની દવાઓ પણ સમયસર નહોતો લેતો.
પોલીસને સુશાંતના ઘરેથી ડિપ્રેશનની સારવાર માટેની ફાઈલ પણ મળી છે. પોલીસે પોસ્ટમોર્ટમ માટે સુશાંતની બોડી મોકલી દીધી હતી. અને સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સઘન તપાસ અર્થે તેના નિવાસ્થાને પહોંચી ગઈ હતી.
પટનામાં જન્મેલા સુશાંતના પિતાનું ઘર બિહારના પૂર્ણિયામાં આવેલું છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં લીડ રોલ પ્લે કરી ચુકેલા સુશાંત વિષે લોકો ઘણી ઓછી માહિતી ધરાવે છે. તેની બહેન મિઠ્ઠુ એક સ્ટેટ લેવલ ક્રીકેટર છે.
સુશાંત પોતાની માતાની ખૂબ નજીક હતા. તેમની માતાનું નિધન 2002માં થયું હતું. માતાના નિધન બાદ સુશાંત ટૂટી ગયો હતો અને તે જ એ વર્ષ હતું જ્યારે તેનું કુટુંબ દિલ્લી શિફ્ટ થયું હતું. સુશાંતના પિતા એક સરકારી અધિકારી છે. આ ઉપરાંત તેના કુટુંબમાં તેની ચાર બહેનો છે જેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે અને માત્ર ત્રણ બહેનો અને સુશાંત જ બચ્યા હતા.
સુશાંત સિંહ રાજપૂતનું ઘર પટનાના રાજીવ નગરમાં છે. સુશાંતના પિતા હવે ત્યાં જ રહે છે. સુશાંતના માતાના ગુજરી ગયા બાદ તેના કુટુંબમાં, તેના પિતા, ત્રણ બહેનો અને સુશાંત જ હતા. સુશાંત ગયા વર્ષે 2019માં પોતાના ઘરે આવ્યો હતો. 11 મે 2019ના રોજ રાજીવનગરના મંદિરમાં એક પૂજામાં પણ તેણે હાજરી આપી હતી.
સુશાંતના અંગત જીવનની વાત કરીએ તો તે ટેલીવિઝન શો પવિત્ર રિશ્તા દરમિયાન અંકિતા લોખંડેના સંપર્કમાં આવ્યો હતો અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્નેના સંબંધ સોશિયલ મિડિયામાં વાયરલ થતી રહેતી હતી. બન્ને એક બીજાને ઘણા વર્ષો સુધી ડેટ કર્યા પણ 2016માં તે બન્નેના સંબંધ પૂરા થઈ ગયા. સુશાંતના મૃત્યુ બાદ અંકિતા લોખંડેએ પોતાના સોશિયલ મિડિયા કાઉન્ટ પર શોક વ્યક્ત કરતી એક ગૂઢ પોસ્ટ મુકી હતી જો કે થોડીવાર બાદ તેણે તે પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. ત્યાર બાદ સુશાંત અને કૃતિ શેનનના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. જો કે તે બન્નેએ આ સંબંધનો ક્યારેય જાહેરમાં સ્વિકાર નહોતો કર્યો. સુશાંત સિંહનું કુટુંબ તેના મૃત્યુ બાદ ભારે આઘાતમાં છે.
બોલીવૂડની જાણીતી હસ્તીઓએ સુશાંતના મૃત્યુ પર કર્યું દુઃખ વ્યક્ત
View this post on Instagram
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ પ્રધાનમંત્રી મોદી સહીત નવાઝુદ્દીન સિદ્દિકી, એકતા કપૂર, સ્વરા ભાસ્કર, શિલ્પા શેટ્ટી, મનોજ મુંતશિર, ગોવિંદા અને કુમાર વિશ્વાસ જેવા દિગ્ગજોએ સોશિયલ મિડિયા પર સુશાંતના મૃત્યુ પર શોક પ્રગટ કર્યો છે.
Source: Aajtak
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત