હત્યા: ભાજપના આ નેતાની અજાણ્યા શખ્સોએ ગોળી મારી કરી હત્યા, દીકરા પર કર્યો ચપ્પાથી હુમલો, હોસ્પિટલમાં દાખલ
દિલ્હીમાં એક તરફ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યાં બીજી તરફ અહીં ભાજપના નેતાની કરપીણ હત્યા કર્યાની ઘટના બની છે. દિલ્હીમાં આ ઘટના સરાજાહેર બનતા ભારે ચકચાર મચી છે.
જાણવા મળ્યાનુસાર દિલ્હીના નંદ નગરી વિસ્તારના સુંદર નગરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને આરટીઆઈ કાર્યકર્તા ઝુલ્ફીકાર કુરૈશીની હત્યા કરવામાં આવી છે. ભાજપના નેતા ઝુલ્ફીકાર કુરૈશીની હત્યા અજાણ્યા શખ્સોએ ગોળી મારીને કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હત્યાની આ ઘટના ત્યારે બની જ્યારે ઝુલ્ફીકાર કુરૈશી સવારની નમાઝ અદા કરવા જઈ રહ્યા હતા. તે જ સમયે તકનો લાભ લઈ અને બદમાશોએ મસ્જિદની બહાર જ ઝુલ્ફીકારને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં તેમનું સ્થળ પર જ નિધન થયું હતું. આ સાથે જ હુમલો કરનાર શખ્સોએ ઝુલ્ફીકાર કુરૈશીના દીકરા ઉપર પણ ચાકુથી હુમલો કરી દીધો હતો.
દિલ્હી પોલીસ આ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઝુલ્ફીકાર કુરૈશીના દીકરાને ઘાયલ અવસ્થામાં સ્વામી દયાનંદ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. જો કે તેની હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે તપાસ પણ શરુ કરી દીધી છે.
પોલીસે કુરૈશીની લાશને પીએમ અર્થે ખસેડી અને તેના પરીવારના સભ્યો તેમજ આસપાસના લોકોની પુછપરછ શરુ કરી છે. પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો કે આ ઘટનાના કારણે દિલ્હીમાં ભારે હાહાકાર મચ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત