ના હોય…આવું કરવાથી પણ તમે જલદી આવી શકો છો કોરોનાની ઝપેટમાં, જાણો અને જલદી બદલો તમારી આ આદતને નહિં તો…
ખડખડાટ હસવાથી કોરોના વાઇરસનો ચેપ લાગે છે! કોરોનાનું નવું તથ્ય
કોરોના વાઇરસથી આખી દુનિયામાં અત્યાર સુધીમાં ૧૯,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમણમાંથી પસાર થઈ રહ્યા છે. કોરોનાના વધતા કેરને જોતાં તેને ફેલાતો રોકવા માટે તમામ પ્રકારના સતત રિસર્ચ થઈ રહ્યા છે. આ કડીમાં આઇસીએમઆર અને એમ્સજીએ સાથે મળીને પોતાના નવા રિસર્ચના આધાર પર નવી ગાઇડલાઇન રજૂ કરી છે.
નવા રિસર્ચમાં દાવો કરાયો છે કે જોરથી હસવાથી પણ કોરોના વાઇરસના ફેલાવાનો ખતરો ઊભો થયો છે. નવા રિસર્ચ પ્રમાણે કહ્યું છે કે સંક્રમિત વ્યકિત દ્વારા જોરથી હસવા પર પણ કોરોના વાઇરસ સ્વસ્થ લોકોને પોતાની ઝપટમાં લઈ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઇસીએમઆર અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ડોકટરની સાથે મળીને કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે ગાઇડલાઇન્સ તૈયાર કરી છે.
રિસર્ચર્સનું કહેવું છે કે સંક્રમિત શખસ જોરથી હસે તો પણ કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો ઊભો થઈ શકે છે. જોકે કોરોના સંક્રમિત શખસ જોરથી હસે તો વાઇરસ ડ્રોપલેટના માધ્યમથી બહાર નીકળે છે, જેનાથી આસપાસના લોકો તેની ઝપટમાં આવ્યા તો તેઓ પણ સંક્રમિત થવાનો ખતરો હોઈ શકે છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધન પરિષદ અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જોરથી હસવાથી પણ કોરોના સંક્રમણ ફેલાય છે.
રિસર્ચમાં જાણવા મળી આ વાત
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધન પરિષદ અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જોર જોરથી હસવાથી પણ કોરોનાનું સંક્રમણ અન્ય વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકે છે.
હસવાથી કેવી રીતે ફેલાય છે કોરોના
ડોક્ટર્સની ટીમ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ જોર જોરથી હસે છે તો ત્યારે તેના મોઢામાંછી ક્યારેક ડ્રોપલેટ્સ નીકળે છે જે ખાંસી ખાવાથી અને છીંક ખાવાથી નીકળતા ડ્રોપલેટ્સના જેવા હોય છે.
ડોક્ટર્સનું કહેવું છે કે જો તમે લોકોની નજીક છો તો તમારે જોર જોરથી હસતી સમયે સાવધાની રાખવાની જરૂર છે. કેમકે એવા લોકો કોરોના સંક્રમિત છે તો હવામાં ફેલાતા ડ્રોપલેટ્સમાં કોરોના વાયરસ રહે છે અને તે શ્વાસથી શરીરમાં પ્રવેશ કરે છે.
એકમેકથી અંતર રાખવું એટલે કે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી
સૌથી જરૂરી છે કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો અને અન્ય લોકો સાથે 1 મીટરનું અંતર રાખો. કોશિશ કરો કે ઘરની બહાર ન નીકળો અને જરૂર પડે તો બહાર નીકળતી સમયે કોઈ જગ્યાને અડો નહીં. ખાસી અને છીંકની સાથે હવે જોર જોરથી હસવાને લઈને પણ લોકોએ દૂરી રાખવાની રહેશે. ડોક્ટરની સાથે સાથે સરકારની તરફથી પણ આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું અને સાથે તમે વાયરસના સંક્રમણથી દૂર રહો તે જરૂરી છે.
દેશમાં અત્યારસુધીમાં 1.07 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે, તેમાંથી 1.08 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. લગભગ 1.58 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1.84 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!