હિંમત તો જુઓ આ વ્યક્તિની…ધુસી ગયો શાહરુખના ઘરમાં અને નાહ્વા લાગ્યો સ્વિમિંગ પુલમાં, અને પછી પકડાયો તો…
શાહરૂખ ખાનના ઘરમાં ઘુસી સ્વિમિંગપુલમાં ન્હાવા લાગ્યો આ વ્યક્તિ, પકડાઈ ગયો તો આપ્યો આવો જવાબ, એકટર પણ ચોંકી ગયા હતા.
શાહરુખ ખાને ફિલ્મી બેકગ્રાઉન્ડના ન હોવા છતાં પણ બોલીવુડમાં જે સ્થાન મેળવ્યું છે એવું બહુ ઓછા લોકો કરી શકે છે. એમના ફેન્સ એમની એક ઝલક મેળવવા માટે એમના ઘરની બહાર ઉભા રહે છે એમના જન્મદિવસે તો મન્નતની બહાર ફેન્સની ભારે ભીડ જમા થઈ જાય છે. ઘણા ફેન્સ એવા હોય છે જેમની હરકતો પર ખુદ શાહરુખ ખાન પણ ચોંકી જાય છે. આ પ્રકારનો એક વ્યક્તિ સાથે એમનો સામનો થયો હતો જેના વિશે જણાવતા એમને રજત શર્માના શો આપકી અદાલતમાં વાત કરી હતી.
થયું હતું એવું કે એક ફેન કહ્યા વગર શાહરુખ ખાનના ઘરમાં ઘુસી ગયો હતો અને સ્વિમિંગ પુલમાં ન્હાવા લાગ્યો હતો. જ્યારે સિક્યોરિટી ગાર્ડે એમને પૂછ્યું કે શું એ શાહરુખ ખાનને મળવા માંગે છે તો એને ના પાડી દીધી હતી. શાહરુખ ખાને જણાવ્યું હતું કે ઘણા બધા ફેન એવા હોય છે જે રાત્રે મારા ઘરમાં ઘુસી જાય છે. એકવાર એક ફેનથી હું પરેશાન થઈ ગયો હતો. મારુ ઇન્ટરવ્યૂ હતું કે પછી બર્થડે હતો એટલે ઘણા પત્રકારોઆવ્યા હતા. બધા બેઠા હતા તો એમની સાથે જ એ ક્યાંકથી ઘુસી ગયો.
એમને આગળ જણાવ્યું હતું કે એને કપડાં ઉતર્યા અને અમારા સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવી. પાછા ગયા, ટુવાલ પણ સાથે જ લાવ્યા હતા. કપડાં પહેર્યા. ત્યારે સિક્યોરિટીએ એને રોકી લીધો અને કહ્યું કે તમે શું કરી રહ્યા છો અહીંયા? એને કહ્યું કઈ જ નથી કરી રહ્યો. હું ન્હાવા આવ્યો હતો એ પાણીમાં જેમાં શાહરુખ ખાન ન્હાય છે. મેં નાહી લીધું હવે હું જઈ રહ્યો છું.
સિક્યોરિટીને એ માણસની વાતો અજીબ લાગી તો એને શાહરુખ ખાનને ફોન કર્યો. શાહરુખ ખાન પણ આવા ફેનને મળવા માંગતા હતા પણ ફેને મળવાની ના પાડી દીધી. શાહરુખ ખાને જણાવ્યું હતું કે મેં કહ્યું કે હું મળવા આવું છું, આ તો ખૂબ જ અજીબ પ્રકારનો ફેન છે. તો કહેવા લાગ્યો કે મારે મળવું બળવું નથી. વધારે ફ્રી ન થાઓ મારી સાથે. હું ફક્ત પાણીમાં ન્હાવા આવ્યો હતો, હવે જઈ રહ્યો છું. એનાથી વધારે ઇમ્પોર્ટનસ નહિ આપી શકું. અને એ જતો રહ્યો.
શાહરુખ ખાનને આટલી લોકપ્રિયતા અને સફળતા એમ જ નથી મળી. એ માટે એમને ઘણા વર્ષો તનતોડ મહેનત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મોમાં આવતા પહેલા એ થિયેટરની બહાર ટીકીટ વેચવાનું કામ કરતા હતા જેના એમને 50 રૂપિયા મળતા હતા. એકવાર એમની આ જ ટીકીટ પછી વધેલા પૈસાથી એમને લસ્સી ખરીદી. લસ્સીમાં માખી પડી ગઈ તો એમને એને કાઢીને લસ્સી પી લીધી હતી. એ પછી એ ઊલટીઓ કરતા ઘરે આવ્યા હતા.
શાહરુખ ખાનને દિલવાલે દુલહનિયા લે જાયેંગે ફિલ્મે મોટા સ્ટાર બનાવી દીધા.પણ એ આ ફિલ્મને કરવાં નહોતા માંગતા.ફિલ્મમાં હીરોનો રોલ રોમેન્ટિક હતો.આ ફિલ્મને એમને 4 વાર ઠુકરાવી પણ આખરે એમને ફિલ્મ કરવી પડી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!