મહંત સ્વામીનું સાંજે આટલા વાગે ઓનલાઇન ગુરુપૂજન કરવામાં આવશે, ભક્તો એકત્ર ન થાય તે માટે કરાઈ વ્યવસ્થા
અષાઢ શુક્લ પૂર્ણિમા એટલે ગુરુ પુર્ણિમાનો પર્વ, આ પર્વને દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. ત્યારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે બીએપીએસના કરોડો ભક્તો માટે ખાસ ઓનલાઈન ગુરુ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ ગુરુ પુજન ધામધૂમથી થાય છે અને તેમાં લાખો ભક્તો જોડાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે વ્યવસ્થા બદલવામાં આવી છે. આજથી પવિત્ર ગુફામાં દિવ્ય આરતી શરૂ થઈ ગઈ છે. જેનું પહેલીવાર દૂરદર્શન પર પ્રસારણ કરવામાં આવ્યું.
સામાજિક અંતર જળવાય અને લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે સંસ્થા દ્વારા સાંજે 5 કલાકે મહંત સ્વામીનું ઓનલાઈન ગુરુ પૂજન રાખવામાં આવ્યું છે. આ સિવાય ગુરુકુળ, કાલુપુર સ્વામિનારાયણ અને કુમ કુમ મંદિર સહિત અન્ય સંપ્રદાયોમાં પણ આજની પૂજા ઓનલાઈન જ રાખવામાં આવી છે.
આ વર્ષે કોરોનાના કારણે મોટા ભાગની સંસ્થોએ ઓનલાઈન પૂજાને મહત્વ આપ્યું છે. આ કાર્યક્રમના ભાગરૂપે સવારે 8 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ સાંજે 4.45 કલાકથી 6 કલાક સુધી વેદ વ્યાસજીની પૂજા કરવામાં આવશે અને સાથે જ ગુરુ પાદુકાની પૂજા થશે. આ તમામ પૂજાનું ફેસબુક પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. આ લાઈવ ચિન્મય મિશન અમદાવાદના ફેસબુક પેજ પરથી જોઈ શકાશે.
જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાનો પર્વ મહર્ષિ વેદવ્યાસના જન્મની ઉજવણીના ભાગરુપે કરવામાં આવે છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસથી ઋતુ પરિવર્તન પણ થાય છે. ગુરુ પૂર્ણિમાના અવસરે દરેક શિષ્ય તેના ગુરુની ઉપાસના કરે છે. ગુરુને યથાશક્તિ દક્ષિણા, પુષ્પ, વસ્ત્ર વગેરે આપે છે. આ વર્ષે આ પર્વ 5 જુલાઈ અને રવિવારે ઉજવાય રહ્યો છે.
આ વર્ષે પંચાંગ અનુસાર પૂનમની તિથિ 4 જુલાઈ 2020ના રોજ સવારે 11 કલાકથી શરુ થઈ હતી જે 5 જુલાઈ સુધી રહેશે. આ સમય દરમિયાન ગુરુ પૂજા કરી શકાય છે. યોગાનુયોગ આજે વર્ષનું ત્રીજું ચંદ્રગ્રહણ પણ થયું છે. જો કે આ ગ્રહણ ભારતમાં દ્રશ્યમાન નથી. વર્ષ 2020માં થયું હોય તેવું આ ત્રીજું ગ્રહણ છે. આ પહેલા 5 જૂન ચંદ્રગ્રહણ અને 21 જુલાઈએ સૂર્ય ગ્રહણ થયું હતું.
ગુરુ પૂર્ણિમાના દિવસે થનાર ચંદ્રગ્રહણ સવારે 8.54 કલાકથી 11.21 કલાક સુધી રહ્યું હતું. 2.43 મિનિટના સમયનું આ ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હતું જે ભારતમાં દ્રશ્ય ન હતું.