ધોરણ ૧ થી ૫ માટે દિવાળી પછી અને ધોરણ ૫ થી ૮ માટે નવા મહિને ખુલશે શાળા, રાખવું પડશે આ વાતનું ધ્યાન
મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમા નોંધપાત્ર ઘટાડો જોવા મળતા જ શાળા-કોલેજોમા ફરી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની કવાયત હાથ ધરવામા આવી છે. હાલ,ધોરણ ૯ થી ૧૨ અને કોલેજોમાં શરૂ કરવામાં આવેલ શૈક્ષણિક કાર્ય બાદ ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયાથી જ ધોરણ ૫-૮ ની શાળા શરૂ કરવા અંગે વિચારણા અને ચર્ચાઓ ચાલી રહી છે.
જો કે નાના ભૂલકાંઓ એટલે કે, ધોરણ ૧ થી ૫ માટે શિક્ષણ વિભાગ કોઈપણ જાતની ઉતાવળ કરવા ઇચ્છતું નથી. આ ધોરણો માટે શિક્ષણ વિભાગ દિવાળી બાદનો સમયકાળ વિચારી રહી છે ત્યારે હાલ આવનાર સમયમા જો આ નિર્ણય લેવાય તો તેની સાથે શું-શું સાવચેતીઓ રાખવી પડશે તે અંગે આપણે થોડી ચર્ચાઓ કરીએ.
ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ પણ રખાશે ચાલુ :
હાલ, આખા ગુજરાતમાં ૧૫ જુલાઈના રોજથી ધોરણ ૧૨ અને ૨૬ જુલાઈના રોજથી ધોરણ ૯ થી ૧૧ માટે ઓફલાઈન શાળાઓ શરૂ કરી દેવામા આવી છે. ત્યારે હાલ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આવનાર સમયમા અન્ય ધોરણના કલાસીસ પણ શરૂ કરવા માટેની તૈયારી કરી રાખી છે તેવું લાગી રહ્યું છે.
શિક્ષણમંત્રીએ હાલ થોડા સમય પહેલા થયેલી ચર્ચામાં એવું જણાવ્યું હતું કે, કોરોનાનુ સંક્રમણ હાલ હળવું થતા ધોરણ ૯ થી ૧૧ ના કલાસીસ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આવનાર દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક યોજાશે. અહી નિર્ણય લેવાશે કે, બાકીના વર્ગો ક્યારે શરૂ કરવામાં આવશે? જો કે, વર્ગો શરુ થયા બાદ પણ બાળકો માટે શાળાએ આવવુ ફરજીયાત નહિ રાખવામા આવે અને ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પણ હજુ ચાલુ જ રાખવામાં આવશે.
ધોરણ ૬ થી ૮ ના કલાસીસ ફરી ચાલુ કરવા શરુ થઇ ગઈ તૈયારીઓ :
શિક્ષણમંત્રીના ઉપરોક્ત સૂચનો પરથી એવો આભાસ થઇ રહ્યો છે કે, ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવા માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે. હાલ, રાજ્યની તમામ શાળાઓમાં વર્ગોની સાફ-સફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી જ ધોરણ ૫ થી ૮ ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. જો કે, હજુ ધોરણ ૧ થી ૫ શરૂ કરવા બાબતે સરકાર હાલ કોઈપણ પ્રકારનો જોખમ લેવા તૈયાર નથી માટે નાના ભૂલકાંઓનું શિક્ષણ કાર્ય દિવાળી બાદ શરૂ કરવા અંગે ચર્ચા-વિચારણાઓ ચાલી રહી છે.
આવનાર સમયમા શાળાઓમાં ધોરણ ૫ થી ૮ શરુ કરવા અંગે થઇ શકે વિધિવત જાહેરાત :
હાલ જે શૈક્ષણિક કાર્ય શરૂ થશે તેમા ૫૦ ટકા કેપિસિટી સાથે ઓડ ઈવન પદ્ધતિ પ્રમાણે વર્ગો શરૂ કરવાની સરકારે તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત હાલના સમય પુરતી શાળાઓમા વિદ્યાર્થીની હાજરી પણ મરજિયાત રાખવામાં આવશે. વાલીઓના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. હાલ હજુ પણ આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમા ચર્ચા થશે અને ત્યારબાદ રાજ્ય સરકાર આ અંગે વિધિવત રીતે જાહેરાત કરશે.
હાલ, ગુજરાત રાજ્યમા ૨૬ જુલાઈના રોજથી ધો.૯ થી ૧૧ની શાળાઓ ઓફલાઈન શિક્ષણ માટે શરૂ થઈ ચુકી છે ત્યારે પહેલા દિવસની જો વાત કરીએ તો ધો. ૯ થી ૧૧ મા ૨૫ ટકા કરતા પણ ઓછી હાજરી નોંધાઈ હતી. હાજર વિદ્યાર્થીઓના મુખ પર લગભગ ૬ મહિના બાદ ક્લાસરૂમમાં ભણીને જે ખુશી ચમકી રહી હતી તે સાફ દેખાઈ રહી હતી.
૧૫ જુલાઈના રોજથી રાજ્યમા ધો.૧૨ ની શાળાઓ અને કોલેજો શરૂ કરી દેવાઈ છે. એક અભ્યાસ મુજબ ધોરન ૯ થી ૧૧ ની ૧૨ હજાર ૯૩૪ શાળાઓમાં પ્રથમ દિવસે ત્રણ લાખ બોતેર હજાર નવસો ચૌદ વિદ્યાર્થીમાંથી છીયાસી હજાર સાતસો ચોત્રીસ વિદ્યાર્થી હાજર રહેતા ૨૩.૨૬ ટકા હાજરી નોંધાઈ હતી. જ્યારે ધોરણ ૧૦ મા ચાર લાખ ચાર હજાર વિદ્યાર્થીમાંથી અઠાણુ હજાર સતાવન વિદ્યાર્થી એટલે કે, ૨૪.૨૫ ટકા હાજરી નોંધાઈ હતી. ત્યારે હજુ પણ કોરોના શિક્ષણ ને કેટલું અસર કરશે તે તો હવે આવનાર સમયમાં જ ખબર પડશે.