જેલમાં રાજાશાહી નહિ ભોગવી શકે આર્યન ખાન, આવી રીતે રહેવું પડશે જેલમાં
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કેસની સુનાવણી બાદ ગુરુવારે ફોર્ટ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીએ કરી જામીન અરજી પણ ફગાવી દીધી છે. આનો અર્થ એ થયો કે આર્યન ખાન સહિત તમામ 8 આરોપીઓને હવે જેલમાં રહેવું પડશે. તમામ આરોપીઓને NCB ઓફિસમાંથી હવે જેલમાં લઈ જવામાં આવ્યા હતા. યુવાનોને આર્થર રોડ જેલમાં અને છોકરીઓને ભાયખલા જેલમાં મોકલવામાં આવ્યા છે
જેલમાં રહેવા દરમિયાન આરોપીઓને કોઇ સુવિધા આપવામાં આવશે નહીં. આ બાબત આર્યન ખાનને લઈને ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ તે ભલેસુપરસ્ટારનો પુત્ર હોય તો પણ તેને કોઈપણ પ્રકારની અલગ સુવિધા આપવામાં આવશે નહીં. કોર્ટના આદેશ અનુસાર, તમામ આરોપીઓએ તે જ ખોરાક લેવો પડશે જે બાકીના કેદીઓને મળે છે. ચાલો આપણે જાણીએ કે આર્યન ખાનની જેલમાં રહેતી વખતે તેનું આખું રૂટિન કેવું હશે.
આર્થર રોડ જેલમાં ક્વોરેન્ટાઇનમાં રહેશે આર્યન ખાન
આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ બંને નવી જેલના પહેલા માળે બેરેક નંબર 1 માં રહેશે. અગાઉ જેલની નવી ગાઈડલાઇન્સ મુજબ નવા આરોપીઓને 3 થી 5 દિવસ માટે ક્વોરન્ટાઇન સેલમાં રાખવામાં આવશે. હજી સુધી કોઈને પણ યુનિફોર્મ આપવામાં આવ્યો નથી.
નહિ મળે સ્પેશિયલ ટ્રીટમેન્ટ
આર્યન ખાનને જેલમાં કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે નહીં. તેમને ઘરનું ખાવાનું ખાવા માટે પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે. જોકે કોર્ટની કડક સૂચનાઓ છે કે બહારથી કોઈને ભોજન આપવામાં આવશે નહીં.
સવારે 6 વાગ્યે ઉઠવું પડશે
બાકીના કેદીઓની જેમ આર્યન ખાને પણ સવારે 6 વાગ્યે ઉઠવું પડશે. 7 વાગ્યે તેમને નાસ્તો મળશે, જેમાં માત્ર શિરો અને પૌઆ આપવામાં આવે છે. લંચ અને ડિનરમાં તમને રોટલી, શાક અને દાળ ભાત મળશે
કેન્ટીનમાંથી લઈ શકશે જમવાનું
જો આર્યન ખાનને જેલનું ભોજન ન ખાવું હોય તો , તો તે કેન્ટીનમાંથી ખાવાનું લઈ શકે છે. આ માટે, તે મની ઓર્ડર દ્વારા પરિવાર પાસેથી પૈસા મેળવી શકે છે. કેન્ટીનમાંથી ભોજન કર્યા પછી, આરોપી અંદર હરિ ફરી કરી શકે છે પરંતુ આર્યન ખાનને એની પરવાનગી ત્યાં સુધી નહિ મળે જ્યાં સુધી એમનો કોરોન્ટાઇન પીરિયડ ખતમ ન થઈ જાય.
સાંજે 6 વાગ્યે મળશે જમવાનું
રાતનું જમવાનું સાંજે 6 વાગ્યે જ આપવામાં આવે છે પરંતુ જો આરોપી ઇચ્છે તો તે રાત્રે 8 વાગ્યા સુધી ભોજનની પ્લેટ પોતાની પાસે રાખી શકે છે. આવી સ્થિતિમાં આર્યન રાત્રે આઠ વાગ્યા સુધી ડિનર કરી શકે છે.