જો તમે આ ખાસ સમયે તુલસીનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદાઓ, જાણો અને પીવાનું શરૂ કરી દો તમે પણ
આપણા આરોગ્યને સારું રાખવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈ છીએ. ખાસ કરીને સવારથી ઉઠ્યા પછી, આપણે યોગ અને કસરત દ્વારા આપણા શરીરને ફીટ રાખવા માગીએ છીએ. પરંતુ આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘર માંથી મળી આવે છે.
જે આપણને અનેક રોગોથી દૂર રાખે છે અને આપણને સ્વસ્થ પણ બનાવે છે. આજે વાત કરી રહ્યા છીએ તુલસી વિશે. તુલસીને આયુર્વેદમાં એક દવા માનવામાં આવે છે જે ઘણી સમસ્યાઓથી મુક્તિ આપે છે. જો તમે દરરોજ સવારે ઉઠીને તુલસીના પાણીનું સેવન કરવાથી, તમને ઘણા ફાયદાઓ થશે. તુલસીનું પાણી આપણા સ્વાથ્ય માટે ખુબ લાભદાઈ બને છે.
ખરેખર, આપણે તુલસી ચા તો પીએ જ છીએ, પરંતુ તુલસીનું પાણી પણ આપણા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીમાં બળતરા વિરોધી ગુણધર્મો અને એન્ટી ઓક્સિડેન્ટ પોષક તત્વો રેહલા છે. જે શરીરમાં રહેલા ખરાબ તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે તુલસીનું પાણી પીતા હોય તો તે તમારા શરીરની વૃદ્ધિ કરે છે અને શક્તિ જાળવે છે. તુલસીનું પાણી પીવાથી ઉધરસ ,કફ જેવી બીમારીથી પણ રાહત આપે છે.
તુલસીના પાનનું પાણી પીવાથી તણાવ દુર થાય છે
જો દરરોજ સવારે તુલસીનું પાણી પીવાથી તમે તમારી જીવનમાં રહેલા તણાવમાં ફાયદો થશે. કારણ કે તુલસીમાં હોર્મોન્સ કોર્ટિસોલ હોય છે જે તાણને ઘટાડે છે. આ પાણી પીવાથી ચિંતા અને હતાશામાં રાહત થાય છે. તેથી, તાણથી બચવા માટે, આ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ પાણી પીવાથી આપણા આરોગ્યને તે સારું રાખે છે અને તણાવ જેવી બીમારીમાંથી છુટકારો આપે છે.
બ્લડ સુગરના લેવલને કંટ્રોલમાં રાખે છે
તુલસીનું પાણી પીવાથી શરીરના પાચનતંત્રને મજબુત રાખે છે. તે આપણા બ્લડ સુગરને પણ નિયત્રિત રાખે છે. તે આપણા શરીરમાં રહેલ ખાંડને ઉર્ઝામાં પરિવર્તન કરે છે. એટલે કે ડાયાબીટીસના વ્યક્તિ માટે આ ખુબ ઉપયોગી છે. આ માટે જ તુલસીનું પાણી દરરોજ લેવું જોઈએ. તે આપણા શરીરમાં થતા રોગોમાં ખુબ ઉપયોગી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત