અંતે પવનદીપે ઈંડિયન આઈડલ શોના છેલ્લા દિવસે અરુણિતાને કહી દિલની વાત

ઇન્ડિયન આઇડલની આ વર્ષની સિઝનમાં સૌથી વધુ ચર્ચામાં રહી છે. આમ તો આ સીઝનમાં ઘણા વિવાદાસ્પદ ટ્વીસ્ટ આવ્યા પરંતુ તે તમામ વચ્ચે આ શો લોકપ્રિય રહ્યો હતો. ખાસ કરીને આ સીઝનમાં આવેલા સ્પર્ધકોમાંથી પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. બંનેની જોડીને દર્શકો પણ ખૂબ પસંદ કરે છે. જ્યારે પણ બંને એક સાથે પરફોર્મ કરે છે ત્યારે તે પરફોર્મન્સ પ્રેક્ષકો માટે પણ ખાસ બની જાય છે.

image source

શોમાં ઘણી વખત આદિત્ય નારાયણ બંને સાથે મસ્તી કરતો પણ જોવા મળતો હતો. બંને એકબીજાના ખાસ મિત્રો હોવાની પણ ચર્ચાઓ થઈ હતી. તેવામાં શોના ફિનાલેમાં પવનદીપે કંઈક એવું કર્યું કે જેને જોઈ બધા ચોંકી ગયા હતા. શોના ફિનાલેમાં ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ પણ એન્કર તરીકે જોડાયા હતા. તેઓએ શોના જજ અને સ્પર્ધકોને અલગ અલગ એવોર્ડ આપ્યા હતા. તેમાં પવનદીપ માટે હર્ષે સ્ટેજ પર કહ્યું હતું કે, ” તમે સાંભળ્યું જ હશે કે એક ફૂલમાં દો માલી હોય છે, પરંતુ અહીં માત્ર એક ફૂલ છે અને માત્ર એક જ માલી છે. આ એક ફૂલ એક માલી એવોર્ડ તે વ્યક્તિને આપવામાં આવશે જેણે દરેક મહિલા ગેસ્ટ જજને ફૂલ આપ્યા છે.”

image source

ત્યાર પછી એક ક્લિપ બતાવવામાં આવે છે જેમાં પવનદીપ, રેખા, ઝીનત અમાન, આશા ભોંસલે અને કરિશ્મા કપૂરન ગુલાબ આપતો જોવા મળે છે. પવનદીપને સ્ટેજ પર બોલાવવામાં આવે છે અને હર્ષ તેને કહે છે કે આજે તમે કોઈને ફૂલ આપવા માંગો છો? પવનદીપ કહે છે તમે કહો કોને આપવું છે ? તો હર્ષ કહે છે કે તમારો ચહેરો કહી રહ્યો છે કે તમારે કોને ફૂલ આપવું છે..

image source

આ પછી અરુણિતાને સ્ટેજ પર બોલાવવામાં આવે છે અને પવનદીપ તેને ફૂલ આપે છે. પરંતુ અહીં ટ્વીસ્ટ આવે છે જેને જોઈ અનુ મલિક સહિતના તમામ લોકો ચોંકી જાય છે. પવનદીપ આ ફૂલ આપીને કહે છે કે આ ગુલાબનું ફુલ નથી પણ ગોબીનું છે. ત્યારબાદ ભારતી કહે છે કે તમે પાછળથી એવું કહેવા ઈચ્છો છો કે ” દિવાના હું તેરા તેરે અપને બાપ કા મત સમજના “. આ વાત પર બધા જ લોકો ખડખડાટ હસવા લાગે છે.

ઈંડિયન આઈડલના વિજેતા બનેલા પવનદીપ વિશે વાત કરીએ તો શોની શરુઆતથી જ તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ રહી છે. શોમાં આવનાર મહેમાન પણ તેના અવાજના દિવાના બની જતા હતા.