જો તમારા જીવનમા પણ છે પૈસાને લગતી સમસ્યા તો આજે જ અપનાવો આ ઉપાય, મળશે એવા લાભ કે જાણીને રહી જશો દંગ…

હાલમાં દરેક વ્યક્તિને જો કોઇ એક સમસ્યા રહેતી હોય તો તે છે નોકરી સંબંધિત. જી હાં આપણાં કાર્યસ્થળે ઘણી વખત આપણે કામ કરતાં હોઇએ છીએ પણ આત્મ સંતોષ મળતો નથી. તો ઘણી વખત યોગ્ય પદ કે પ્રતિષ્ઠા નથી મળતી. ક્યારેક બધુ હોય તો પગાર ઓછો પડે છે.

image soucre

તો ઘણી વખત બઢતી એટલે કે પ્રમોશન સમયે આપણ ને યોગ્ય વળતર મળતું નથી. આવી અનેક સમસ્યાઓનો સામનો કરનારા જો આ સામાન્ય ઉપાય અપનાવશે તો તેમને નોકરી ને લગતી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. કુંડળીમાં દશમ ભાવ નોકરી અને વેપારનું માનવામાં આવે છે.

image soucre

આ ભાવના પીડિત થવાથી આપણી પ્રોફેશનલ લાઇફમાં પરેશાની આવે છે. તેથી કુંડળીમાં દશમ ભાવના સ્વામી થી સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઇએ. શનિવાર અને મંગળવારના દીવસે મનોકામના પૂર્તિ માટે શનિવાર અથવા મંગળવાર ના દિવસે હનુમાનજીની મૂર્તિ સામે બેસીને એકસો આઠ વાર આ મંત્ર નો જાપ કરવામાં આવે તો ઘણી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મંત્ર : ॐ महाबलाय वीराय चिरंजिवीन उद्दते। हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये।।

નોકરીમાં પ્રમોશન નથી મળતુ, તો હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઇએ. જે દિશામાં તમે માથું રાખીને સૂતા હોવ તેની સામે જ દિવાલ પર હનુમાનજીનો ફોટો લગાવો. દરરોજ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા હનુમાનજીના દર્શન કરો. હનુમાન ચાલીસા અને બજરંગ બાણ વાંચો.

image soucre

જ્યોતિષ મુજબ કોઇ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે શિવજીની પૂજા કરવી જોઇએ. નોકરીમાં પદોન્નતીની કામના કરતા લોકોને દરરોજ શિવલિંગ પર જળ ચઢાવવું જોઇએ અને અક્ષત અર્પિત કરવું જોઇએ.સાથે જ બેલપત્ર પણ અર્પણ કરવા જોઇએ.

image soucre

દરરોજ સવારે સૂર્યદેવ ને જળ ચઢાવો. જળ તાંબાના લોટાથી ચઢાવવું અને જળમાં લાલ મરચાંનાં બી પણ નાખવાં. આમ કરવાથી નોકરી મળશે, મનોવાંછિત જગ્યાએ બદલી થશે, પ્રમોશન થશે, ચાલુ નોકરીમાં આવી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે.

image soucre

નોકરી મેળવવામાં કે ચાલુ નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ પક્ષીઓને અનાજ ખવડાવવું જોઈએ. સાત પ્રકારનાં અનાજ ને મિશ્રિત કરીને પક્ષીઓને ખવડાવો. જેમાં ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, ચોખા અને વિવિધ દાળ લઈ શકાય. દરરોજ સવારે ઊઠીને આ ચણ પક્ષીઓને નાખવું.

image soucre

માન્યતા મુજબ સુર્ય ને રોજ જળ અર્પણ કરવાથી પણ વ્યક્તિ ને નોકરીમાં તરક્કી મળે છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ પણ કરવો જોઇએ. શનિવાર ના દિવસે શનિ દેવની મૂર્તિ સમક્ષ સરસવ ના તેલનો દિવો પ્રગટાવવા થી પણ નોકરીમાં આવતી પરેશાની દૂર થવાની માન્યતા છે. શનિ દેવ ને પ્રસન્ન કરવા માટે શનિ દેવથી સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઇએ.