જ્યારે સલમાનની જીદના કારણે શાહરૂખે આ 5 ફિલ્મોમાંથી કાઢી ઐશ્વર્યાને અને પછી…
સલમાન ખાન જેટલી સારી રીતે દોસ્તી નિભાવે છે એટલી જ સારી રીતે દુશ્મની પણ. એમના જેવો સારો માણસ મળવો મુશ્કેલ છે તો એમનામાં ઘણી બુરાઈઓ પણ છે અને એ વાત બધા જાણે જ છે.
સલમાન ખાને ઐશ્વર્યા રાયને ખૂબ જ પ્રેમ કર્યો અને કદાચ આજે પણ કરે છે. એમને જેટલો ઐશ્વર્યાને પ્રેમ કર્યો, એના કરતાં ઘણા વધારે એમના પર બંધનો લગાવવાની કોશિશ કરી. એક બાજુ ઐશ્વર્યાને લઈને એ પાગલપનની હદ સુધી ઓવર પઝેસિવ થઈ ગયા હતા. એમની આ જ આદતને કારણે કદાચ આજે ઐશ્વર્યા અને એમના રસ્તા અલગ છે.
સલમાન ખાનની ઐશ્વર્યા પ્રત્યે પઝેસીવનેસનો એક આલમ એ હતો કે એમના કારણે ઐશ્વર્યાના હાથમાંથી ઘણી મોટી ફિલ્મો ગઈ. સલમાન ઈચ્છતા હતા કે ઐશ્વર્યા ફક્ત એમની સાથે જ ફિલ્મોમાં કામ કરે. એ કારણે ઐશ્વર્યાને રાજા હિન્દુસ્તાની અને કમલ હસનની ફિલ્મ અભયથી હાથ ધોવા પડ્યા હતા કારણ કે સલમાન ખાનને આ ફિલ્મોથી પણ આપત્તિ હતી. ધીમેં ધીમે આ વાત દરેક નિર્દેશકને સમજાવા લાગી કે સલમાન ઐશ્વર્યાને બીજી ફિલ્મોમાં કામ નહીં કરવા દે કારણ કે એવું ઘણીવાર થયું કે ઐશ્વર્યા જેવી બીજી ફિલ્મ સાઈન કરતી હતી, સલમાન પ્રોડ્યુસર પાસે પહોંચીને તમાશો કરવા લાગતા હતા.એટલે સુધી કે એમને ઘણા એકટર, ડાયરેકટર અને ફિલ્મ મેકરને વોર્નિંગ પણ આપી દીધી હતી કે જો કોઈએ ઐશ્વર્યા સાથે કામ કર્યું તો એ એમની સાથે કામ નહીં કરે. કોઈ મેકર કે એકટર એમની સાથે પંગો લેવા નહોતા માંગતા અને એ બધાની અસર ઐશ્વર્યાના કરિયર પર પડવા લાગી.
એક ઇન્ટરવ્યૂમાં ખુદ ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે એ સમયે શાહરૂખ ખાને એમને પાંચ ફિલ્મોમાં રિપ્લેસ કરાવી હતી. પહેલા આ 5 ફિલ્મોમાં ઐશ્વર્યાને કાસ્ટ કરવામાં આવી હતી પણ સલમાન સાથેના બ્રેકઅપ પછી સલમાનની જીદ પર શાહરૂખે એમને આ ફિલ્મોમાં રિપ્લેસ કરાવી દીધી અને બીજી હિરોઇનને કાસ્ટ કરાવી. એમાં ચલતે ચલતે, વીર ઝારા, મેં હું ના, કલ હો ના હો જેવી ફિલ્મો સામેલ છે.
દેવદાસમાં ઐશ્વર્યા અને શાહરૂખની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને દર્શકો આ જોડીને ફરી એકવાર પડદા પર જોવા માંગતા હતા. શાહરુખ ખાન અને જુહી ચાવલાની પ્રોડક્શન કંપનીએ જ્યારે ફિલ્મ ચલતે ચલતેનું પ્લાનિંગ કર્યું તો શાહરુખ ખાને ઐશ્વર્યાના કહેવા પર એમને એમની ઓપોઝિટ હિરોઇન તરીકે કાસ્ટ કરી લીધી. ફિલ્મનું અડધું શૂટિંગ પણ થઈ ચૂક્યું હતું પણ જ્યારે સલમાન ખાનને ખબર પડી કે શાહરુખ અને ઐશ્વર્યા વચ્ચે લવ મેકિંગ સીન ફિલ્મવવાના છે તો એ ફિલ્મના સેટ પર પહોંચી ગયા અને ધમાચકડી મચાવી દીધી.
જ્યારે શાહરુખ ખાને સલમાનને રોક્યા તો સલમાને શાહરૂખના કોલર પકડીને એમના પર હાથ ઉઠાવી દીધો હતો. શાહરુખ આ વાતથી એટલા ગુસ્સે થઈ ગયા હતા કે એમને ઐશ્વર્યાને પૂછ્યા વગર રાની મુખર્જીને ફિલ્મમાં સાઈન કરી લીધી. ઐશ્વર્યાને આ વાત ખૂબ જ ખરાબ લાગી અને શાહરૂખ સાથે આ વાતને લઈને મનભેદ પણ થઈ ગયો.
એ પછી જ્યારે યશ ચોપડાએ વીર ઝારાનું પ્લાનિંગ કર્યું તો એ ફિલ્મ માટે શાહરુખની ઓપોઝિટ ઐશ્વર્યાને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. કહેવાય છે કે અહીંયા પણ સલમાન વચ્ચે આવી ગયા અને શાહરૂખને ઐશ્વર્યા સાથે કામ ન કરવાની સલાહ આપી. આખરે શાહરૂખે યશજીને પ્રીતિ ઝિન્ટાનું નામ સજેસ્ટ કર્યું અને ઐશ્વર્યાના હાથમાંથી આ મોટી ફિલ્મ પણ જતી રહી.
ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના શૂટિંગ દરમિયાન જ ઐશ્વર્યા અને સલમાન વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ ફિલ્મના કલાઈમેક્સમાં ઐશ્વર્યા અજય દેવગન પાસે પરત ફરે છે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે સલમાન ફિલ્મનો એન્ડ બદલવાની જીદ પર અડયા હતા અને એ માટે એમને ઘણા પ્રયત્નો કર્યા. એ સમયે સલમાન ઐશ્વર્યાના પ્રેમમાં એટલા પાગલ હતા કે એ નહોતા ઈચ્છતા કે ઐશ્વર્યા માટે એમના બદલે અન્ય કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવે. પછી એ ફિલ્મ જ કેમ ન હોય. એ ઈચ્છતા હતા કે ફિલ્મના અંતમાં ઐશ્વર્યા એમની પાસે પરત ફરે. એ વાત અલગ છે કે સલમાનની જીદ આગળ ભણસાલી ઝુક્યા નહિ.
શાહરુખ સાથે ઐશ્વર્યાની ફિલ્મ જોશમાં શાહરૂખે ઐશ્વર્યાના ભાઈનો રોલ કર્યો હતો પહેલા આ રોલ સલમાનને ઓફર કરવામાં આવ્યો હતો પણ સલમાન ઐશ્વર્યાને પ્રેમ કરતા હતા એટલે એમને સ્ક્રીન પર પણ એમના ભાઈ બનવાનું મંજુર ન કર્યું એટલે એમને ના પાડી દીધી.
ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ સમયે સલમાનના કારણે ઇન્ડસ્ટ્રીમાં એમના મિત્રોએ એમનો સાથ છોડી દીધો હતો. સલમાનના કારણે ઘણી મોટી ફિલ્મો એમના હાથમાંથી જતી રહી. સલમાન સાથે બ્રેકઅપ પછી ઇન્ડસ્ટ્રીમાં લોકોનું વર્તન એમના પ્રત્યે બદલાવા લાગ્યું હતું.લોકોને એમના અને સલમાનમાંથી પસંદગી કરવાની હતી અને બધાએ સલમાનને પસંદ કર્યા જેના કારણે એ ઘણી ફિલ્મો ખોઈ બેઠી. ઐશ્વર્યાએ ત્યારે જ નિર્ણય કરી લીધો હતો કે એ સલમાન ખાનને છોડી દેશે. આખરે ઐશ્વર્યાએ 2004માં પ્રેસ કોંફરન્સ કરીને સલમાન સાથેના બ્રેકઅપની વાત અનાઉન્સ કરી દીધી હતી અને 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા.
ઐશ્વર્યા અને સલમાનને સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની ઓફર કરવામાં આવી હતી જે ઐશ્વર્યાએ એ કહીને ઠુકરાવી દીધી હતી કે ભણસાલી એમના માટે બાજીરાવ ન શોધી શક્યા. પહેલા સલમાને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. એ પછી ઐશ્વર્યાને ફિલ્મ પદ્માવતમાં રાની પદ્માવતીનો રોલ પણ ઓફર થયો હતો અને સલમાનને ખીલજીનો રોલ મળ્યો હતો પણ સલમાને એ કરવાની પણ ના પાડી દીધી.