આમિર ખાને કેજીએફ એકટર યશ અને મેકર્સની વારંવાર માંગી માફી, અભિનેતાએ જાતે જણાવ્યું કારણ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ કહેવાતા સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મોની ફેન્સ આતુરતાથી રાહ જુએ છે. તાજેતરમાં આમિર ખાને તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ ફિલ્મ આવતા વર્ષે 14 એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આમિર અભિનેત્રી કરીના કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ આમિર ખાનની આ ફિલ્મ સાથે સાઉથ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF 2’ પણ રિલીઝ થવા જઈ રહી છે.

આમિરે માંગી માફી

image soucre

એવામાં આવતા વર્ષે 14 એપ્રિલે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટક્કર જોવા મળશે. જો કે આ અથડામણને કારણે હવે આમિર ખાને ‘KGF 2’ના મેકર્સ અને અભિનેતા યશની માફી માંગી છે. એક રિપોર્ટ અનુસાર, આમિર ખાને તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં KGFના મેકર્સ અને અભિનેતા યશની 14 એપ્રિલે તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ કરવા બદલ માફી માંગી છે.

આમિરે જણાવ્યું કારણ

image soucre

આમિર ખાને કહ્યું કે અમારી ફિલ્મ વિઝ્યુઅલ ઈફેક્ટના કારણે રીલીઝમાં મોડું થઈ રહ્યું છે. અમારી પાસે બે ઓપશન છે, કાં તો અમે ફિલ્મ જલ્દી જલ્દીમાં રિલીઝ કરીએ અથવા ક્વોલિટી વર્ક સાથે ફિલ્મ રિલીઝ કરીએ અને મને ઉતાવળ બિલકુલ પસંદ નથી. તેથી જ અમે બીજા ઓપશન સાથે આગળ આવ્યા છીએ. તેથી જ અમે યશની ‘KGF 2’ જે દિવસે રિલીઝ થઈ રહી છે તે જ દિવસે ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ કરવાની ફરજ પડી છે.

KGF 2ને પ્રમોટ કરશે આમિર ખાન

image socure

આમિર ખાને એ પણ કહ્યું કે તેને તેની ફિલ્મ ‘KGF 2’ સાથે રિલીઝ કરવાનો અફસોસ છે. આવી સ્થિતિમાં તેણે ‘KGF 2’ની ટીમ સાથે ડીલ કરી છે કે તે યશની ફિલ્મનું પ્રમોશન કરશે. અભિનેતાએ કહ્યું કે હું મારી ફિલ્મ ક્યારેય અન્યની ફિલ્મો સાથે રિલીઝ કરતો નથી. મને બીજાનું સ્થાન લેવું ગમતું નથી. પરંતુ એ પણ સાચું છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ દ્વારા હું પહેલીવાર સ્ક્રીન પર શીખનું પાત્ર ભજવી રહ્યો છું અને તેથી જ મને બૈસાખી કરતાં વધુ સારી રિલીઝ ડેટ મળી શકે તેમ નથી.

KGF જોવા જશે આમીર

image soucre

આટલું જ નહીં, આમિર ખાન પહેલા દિવસે થિયેટરમાં યશની ફિલ્મ ‘KGF 2’ જોવા પણ જશે, અને તેણે પોતે જ પોતાના ઈન્ટરવ્યુમાં આ જાણકારી આપી છે. આમિર ખાને કહ્યું કે તેણે ‘KGF 2’ના કલાકારો અને નિર્માતાઓ સાથે વાત કરી હતી અને તેણે પોતાના નિર્ણય માટે ઘણી વખત તેમની માફી માંગી છે. આ સાથે તેણે યશને વચન આપ્યું હતું કે તે 14 એપ્રિલે તેની ફિલ્મ જોવા માટે થિયેટરમાં જશે.

જો કે, આમિર ખાન માને છે કે તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘KGF 2’ સંપૂર્ણપણે અલગ અલગ ફિલ્મો છે. બંને ફિલ્મોમાં કોઈ સમાનતા નથી. તેમની ફિલ્મ લવ સ્ટોરી છે અને KGF એક્શન પેક્ટ ફિલ્મ છે અને સૌથી મોટી વાત એ છે કે યશની ફિલ્મ એક સ્ટાલિશ બ્રાન્ડ બની ગઈ છે. એવામાં તેને આશા છે કે બંનેના કલેક્શન પર કોઈ અસર નહીં થાય.