અક્ષય કુમારએ ફરી દેખાડી દરિયાદિલી, વડાપ્રધાનના રિલીફ ફંડમાં દાન ઉપરાંત કર્યું આ મોટું કામ
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર એક ઉત્તમ અભિનેતા છે તે વાત તો સૌ કોઈ જાણે છે પરંતુ કોરોના વાયરસની આ મહામારી વચ્ચે તેની દેશભક્તિનું ઉદાહરણ પણ જોવા મળ્યું છે.

જ્યારે વડાપ્રધાન મોદીએ પીએમ કેર્સ ફંડમાં સહયોગ આપવાની અપીલ કરી તો એક ધડાકે અક્ષયએ 25 કરોડની માતબર રકમ દાન કરી દીધી. આ અંગે તેની પત્નીએ તેને એકવાર પુછ્યું પણ ખરા કે તે જાણે છે ને કે કેટલી મોટી રકમ દાન કરવાની વાત તેણે કરી છે. આ સમયે અક્ષયએ જણાવ્યું હતું કે, જ્યારે તે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે કંઈ જ ન હતું. આજે શક્તિ છે તો લોકો માટે કંઈ કરવામાં પાછળ નથી રહેવું.
અક્ષયએ પોતાની આ વાતને ફરીવાર સાબિત કરી છે. 25 કરોડના દાન બાદ અક્ષયએ ફરીવાક બીએમસીને પણ મોટી રકમ દાન કરી છે. બીએમસી માટે અક્ષય 3 કરોડ ફાળવ્યા છે. કોરોના સામેની લડાઈમાં પીપીઈ કીટ, માસ્ક, રેપિડ ટેસ્ટિંગ કિટના નિર્માણ માટે બીએમસીને અક્ષયએ આ રકમ આપી છે.
Name : Akshay Kumar
City : MumbaiMere aur mere parivaar ki taraf se…
Police, Nagar Nigam ke workers, doctors, nurses, NGOs, volunteers, government officials, vendors, building ke guards ko #DilSeThankYou 🙏🏻 pic.twitter.com/N8dnb4Na63— Akshay Kumar (@akshaykumar) April 9, 2020
આ ઉપરાંત અક્ષયએ ટ્વિટર પર એક ટ્વીટ કરી ફોટો શેર કર્યો છે અને તેણે પોતાના અને પોતાના પરીવાર તરફથી થેન્ક યુ નોટ લખી શેર કરી છે. તેણે આ આભાર દિવસ રાત કામ કરતાં પોલીસ કર્મી, આરોગ્યની ટીમ, નર્સ, ડોક્ટર, સમાજસેવી સંસ્થાઓના કાર્યકરો અને અન્યનો દરેક વ્યક્તિનો આભાર માન્યો છે જે લોકોની રક્ષા માટે ખડેપગે રહે છે.
અક્ષયની આ દરિયાદીલી પર ટ્વિંકલ ખન્નાએ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે તેને પોતાના પતિ પર ગર્વ છે.